થિયેટર અને ફિલ્મજગતના પાવરધા અભિનેતા પરેશ રાવલનો આજે 70મો જન્મદિવસ છે, તેમને જન્મદિવસની શુભકામનાઓ
બેંકની નોકરી ત્રણ દિવસમાં છોડી અભિનય ક્ષેત્રમાં ઝંપલાવનારા પરેશ રાવલના શિવામ્બુ ચિકિત્સા-મૂત્ર ચિકિત્સાના પ્રયોગ વિશે આજે તમને જણાવીશું
આ વાત તેમણે પોતે એક ઈન્ટરવ્યુમાં જણાવી હતી જે અમે તમારી સાથે શેર કરી રહ્યા છે
સન્ની દેઓલ સાથેની ફિલ્મ ઘાતકના શૂટિંગ દરમિયાન તેમને ઘૂંટણમાં ગંભીર ઈજા પહોંચી હતી અને નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
તેમને મળવા ફાઈટ માસ્ટર વીરુ દેવગન આવ્યા હતા. વીરુ દેવગને તેમને પોતાનો જ પેશાબ પીવા કહ્યું
વીરુએ એમ પણ કહ્યું કે બધા જ ફાયટર્સ આમ કરતા હોય છે અને સાથે દારૂ પીવાની અને મટન ખાવાની ના પણ પાડી
પરેશ રાવલે જણાવ્યું હતું કે મેં તેમની વાત માની અને રોજ સવારની શરૂઆત સૌથી પહેલા મારા પેશાબ પીવાથી કરી
જે સારવારમાં મને બેથી અઢી મહિના લાગવાના હતા, તે ઘૂંટણ 15 દિવસમાં સારા થઈ ગયા અને મારા રિપોર્ટ્સ જોઈને ડોક્ટર્સ
પણ અચંબામાં મૂકાઈ ગયા
મૂત્ર-ચિકિત્સાના નામે ઓળખાતી આ આયુર્વેદીક પદ્ધતી કેન્સર સહિતના અસાધ્ય રોગને મટાડી શકે છે તેમ માનવામાં આવે છે
આ ચિકિત્સાને શિવામ્બુ તરીકે પણ ઓળખાય છે. શિવનો અર્થ અહીં લાભદાયક અને અમ્બુન અર્થ જળ થાય છે, તેમ આયુર્વેદીક નિષ્ણાતો કહે છે