Homeઆમચી મુંબઈમુંબઈ સહિત થાણેમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો રહેશે બંધ

મુંબઈ સહિત થાણેમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો રહેશે બંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ સહિત થાણેમાં સોમવારથી મંગળવાર સુધીના ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેવાનો છે. તેથી મુંબઈગરાની સાથે થાણેના નાગરિકોને આ દરમિયાન પાણીને સંભાળીને વાપરવાનું રહેશે.
પાલિકાના પાણીપુરવઠા ખાતાના જણાવ્યા મુજબ ભાંડુપ કૉમ્પ્લેક્સમાં જળ શુદ્ધીકરણ કેન્દ્રમાં વધારાની ૪,૦૦૦ મિલિમીટર વ્યાસની પાઈપલાઈન જોડવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે. તેમ જ ભાંડુપ કૉમ્પ્લેક્સથી સંબંધિત રહેલી જુદી જુદી પાઈપલાઈન પર બે ઠેકાણે વાલ્વ બેસાડવાનું, નવી પાઈપલાઈન જોડવાનું અને બે ઠેકાણે થઈ રહેલાં ગળતરનું સમારકામ કરવામાં આવવાનું છે. તેથી સોમવાર ૩૦ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી ૨૪ કલાક માટે પશ્ર્ચિમ તથા પૂર્વ ઉપનગરમાં પાણીપુરવઠો ખંડિત થશે.
આ કામ સોમવારના સવારના ૧૦ વાગ્યાથી ચાલુ થશે, જે બીજા દિવસે મંગળવારે સવારના ૧૦ વાગ્યા સુધી ચાલશે. તેથી મુંબઈના ૨૪ વોર્ડમાંથી ૧૨ વોર્ડમાં આ સમય દરમિયાન પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહશે. તો બે વોર્ડમાં પાણીપુરવઠામાં ૨૫ ટકા કાપ હશે.
પશ્ર્ચિમ ઉપનગરમાં અંધેરી પૂર્વ અને પશ્ચિમ, ગોરેગાંવ, મલાડ, કાંદિવલી, બોરીવલી, દહીસર, બાંદ્રા પૂર્વ અને પશ્ર્ચિમ આ નવ વોર્ડના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે ખંડિત થશે. તો પૂર્વ ઉપનગરમાં ભાંડુપ, ઘાટકોપર, કુર્લા વોર્ડમાં પણ અનેક વિસ્તારમાં પાણીપુુરવઠો બંધ રહેશે.
જ્યારે દાદર, માહિમ (પશ્ચિમ), પ્રભાદેવી અને માટુંગા (પશ્ચિમ) પરિસરમાં પાણીપુરવઠામાં ૩૦ અને ૩૧ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ ૨૫ ટકા કાપ રહેશે. તો ધારાવી પરિસરમાં જે વિસ્તારમાં ચારથી સાંજના નવ વાગ્યા સુધી પાણીપુરવઠો થાય છે તે વિસ્તારમાં ૩૦ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
મુંબઈ સહિત થાણેમાં પણ સોમવારથી મંગળવાર ૨૪ કલાક પાણીપુરવઠો બંધ રહેશે. થાણે પાલિકાના કહેવા મુજબ મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ મહામંડળે જાંભૂળ જળશુદ્ધિ કેન્દ્રમાં સમારકામ હાથમાં લીધું છે. જે સોમવારના રાતના ૧૨ વાગ્યાથી મંગળવાર રાતના ૧૨ વાગ્યા સુધી ચાલવાનું છે. તેથી આ સમય દરમિયાન શટડાઉન રહેશે. તેથી આ સમય દરમિયાન થાણે મહાનગરપાલિકામાં આવતા દિવા, મુંબ્રા, મુંબ્ર બાયપાસથી મુના ફાયર બ્રિગેડ સુધી (કિસ્મત કોલોની, ચાંદ નગર, એમ.એમ. વેલી, અમૃત નગર, અલમાસ કોલોની) તેમ જ કલવાના ગણપતિ પાડા, વિટાવા, કળવા ગાંવ, મનીષા નગર, ખારીગાંવ, પારસિક નગર, કલવા (પૂર્વ) અને કોલશેતમાં પાણીપુરવઠો બંધ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular