આવતી કાલે વસંત પંચમીનું પાવન પર્વ છે અને આ દિવસે તમે ચોક્કસ રંગના કપડાં પહેરીને તમારા જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવી શકો છો. આ દિવસે પીળા રંગના કપડાં ખાસ કરીને પહેરવામાં આવે છે. દેવી સરસ્વતીને પીળાં ફૂલ ચઢાવવામાં આવે છે. પણ હવે લાખ રૂપિયાનો સવાલ એ છે કે આખરે વસંત પંચમીના દિવસે પીળા રંગનું એટલું મહત્ત્વ કેમ હોય છે?
હિન્દુ ધર્મમાં કોઈ પણ વાર-તહેવાર સાથે કોઈને કોઈને માન્યતા જોડાયેલી હોય છે અને આ માન્યતા પાછળ વૈજ્ઞાનિક કારણો સંકળાયેલા હોય છે. આવી જ એક પરંપરા વસંત પંચમી પર્વ સાથે પણ સંકળાયેલી છે અને આ દિવસે વર્ષોથી પીળા રંગના કપડાં પહેરવાની પરંપરા છે, એટલું જ નહીં આ દિવસે દેવીને પીળા રંગના ફૂલ ચઢાવવામાં આવે છે. આ દિવસે પીળા રંગના ચોખા અર્થાત્ કેસરી ભાતનો ભોગ વિશેષરૂપથી લગાવવામાં આવે છે. આજે આપણે અહીં વસંત પંચમી સાથે સંકળાયેલી કેટલીક માન્યત પરંપરાઓ વિશે…
પીળા રંગનું શાસ્ત્રોમાં ખાસ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. એટલું જ નહીં આ પીળો રંગ જ્ઞાનનો રંગ માનવામાં આવે છે. આ રંગને સુખ, શાંતિ, એકાગ્રતા અને માનસિક ક્ષમતાનું પ્રતિક સાથે સાંકળીને જોવામાં આવે છે. પીળા રંગને એકદમ શુદ્ધ માનવામાં આવે છે. આ રંગમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી હોતી આ જ કારણસર આ રંગને શુદ્ધતાનો પરિચાયક પણ ગણવામાં આવે છે. દેવી સરસ્વતી જ્ઞાનની દેવી છે અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મનુષ્યમાં બધા ગુણોનું હોવું ખાસ જરૂરી છે. આ વાતને ધ્યાન રાખીને આપણા વિદ્વાનોએ વસંત પંચમી પર પીળા રંગના કપડાં પહેરવાની પરંપરા બનાવી હતી.
જ્યોતિષશાસ્ત્ર અને હિન્દુ ધર્મમાં પીળા રંગને શુદ્ધ અને સાત્વિક પ્રવૃત્તિનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પીળો રંગ બૃહસ્પતિનું પ્રતીક છે સાથે જ બૃહસ્પતિને પણ જ્ઞાનના દેવતા માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે પીળા રંગના કપડાં પહેરવામાં આવે છે. દેવગુરુ બૃહસ્પતિ દેવતાઓના ગુરુ પણ છે. તેમની શુભ સ્થિતિ વગર કોઈપણ શુભ કાર્ય જેવા કે લગ્ન, મુંડન વગેરે નથી કરવામાં આવતાં. અર્થાત્ ગુરુ ગ્રહને સૌરમંડળનો સૌથી પવિત્ર અને સૌમ્ય ગ્રહ કહેવામાં આવે છે. આ ગ્રહ પાસેથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે પીળા રંગના કપડાં પહેરવામાં આવે છે જેથી કેસરયુક્ત ભોજન કરી શકાય જેમ કે કેસરી ભાત. ગુરુ ગ્રહની શુભ સ્થિતિથી આપણા જીવનમાં સુખ-શાંતિ આવે છે.
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કેસર જ્યાં ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે, તો ચોખા શુક્ર ગ્રહ સાથે. આ બંને ગ્રહો ખૂબ જ ખાસ છે કારણ કે ગુરુ ગ્રહના શુભ પ્રભાવથી જ જ્યાં જ્ઞાન પ્રાપ્ત થાય છે તો શુક્રના પ્રભાવથી જીવનમાં ધન આવે છે. જ્યારે આ બંને વસ્તુઓ નિર્મિત કેસરી ભાતનો ભોગ દેવી સરસ્વતીને લગાવવામાં આવે છે તો જીવનમાં દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. આ વર્ષે વસંત પંચમી બૃહસ્પતિવારના દિવસે રહેવાથી આ દિવસનું મહત્વ વધી ગયું છે. આ દિવસે માતા સરસ્વતીને પીળા ફૂલ અર્પિત કરવા જોઈએ. સરસ્વતી માતાને પીળા રંગના વસ્ત્ર અને પીળા ભોજનનો ભોગ લગાવવો જોઈએ.