Uncategorized

અયોધ્યામાં પ્રોપર્ટીની કિંમતમાં આગામી મહિનાથી થઈ જશે 200 ટકાનો વધારો!

અયોધ્યા: “આવતા મહિને બુધવારથી સદર તાલુકાના સર્કલ રેટમાં 200 ટકાનો વધારો થઈ જશે” અધિકારીઓએ આ માહિતી આપી. અયોધ્યા ડિવિઝનના કમિશનર ગૌરવ દયાલે જણાવ્યું હતું કે, સર્કલ રેટમાં વધારો કરવા માટેની નોટિસ જારી કરવામાં આવી છે અને ચોક્કસ સર્કલ દરો આવતા મહિનાના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. આ મામલે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સર્કલ રેટ વધારીને ભાજપના લોકોને ફાયદો કરવાનો આરોપ મૂક્યો છે.

આ પણ વાંચો: અયોધ્યા ગેંગરેપ કેસના આરોપી સપા નેતાના ઘર પર બાબાનું બુલડોઝર ચાલ્યું! યોગી સરકાર એક્શન મોડમાં

અયોધ્યાના એડિશનલ ઈન્સ્પેક્ટર જનરલ (સ્ટેમ્પ) યોગેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં રામ મંદિરની આસપાસ અને હાઈવેની આસપાસની જમીન સર્કલ રેટ કરતા 41 ટકાથી 1,235 ટકા વધુ કિંમતે ખરીદવામાં આવી છે. આવી સ્થિતિમાં મુખ્ય વિસ્તારોમાં જમીનના સર્કલ રેટમાં 200 ટકાનો વધારો થવાની ધારણા છે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં જમીનની કિંમતો ઝડપથી વધી રહી છે. રોકાણકારો, રિયલ એસ્ટેટ કંપનીઓ અને મોટા હોટલ ગ્રુપો અયોધ્યામાં ઊંચા ભાવે જમીન ખરીદી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. જમીન માલિકોને સર્કલ રેટ મુજબ ચૂકવણી કરવામાં આવી રહી છે અને મોટી રકમ રોકડમાં આપવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લા વહીવટી તંત્ર 4 સપ્ટેમ્બર પછી નવા સર્કલ રેટ જાહેર કરશે અને આ માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. અયોધ્યા જિલ્લા મેજિસ્ટ્રેટ સીવી સિંહે ઉત્તર પ્રદેશ સ્ટેમ્પ (વેલ્યુએશન ઑફ પ્રોપર્ટી) એક્ટ 1997ના નિયમ 4 હેઠળ મૂલ્યાંકન સૂચિમાં સુધારો કર્યો છે.

આ પણ વાંચો: અયોધ્યા બળાત્કાર કેસ: આખરે પીડિતાની સારવાર માટે સરકારે કરી વ્યવસ્થા

2024 માટેના સુધારેલા સર્કલ રેટનો SDM, તહસીલદાર અને ડેપ્યુટી રજિસ્ટ્રાર દ્વારા સંયુક્ત રીતે સર્વે કરવામાં આવ્યો છે. જાન્યુઆરીમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહને કારણે શહેરમાં અને તેની આસપાસ થયેલા વ્યાપક બાંધકામના કામને કારણે મિલકતની કિંમતો ઉંચી પહોંચી ગઈ છે. જેને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે વર્તમાન બજારની ગતિવિધિઓને અનુરૂપ સર્કલ રેટ વધારવાની દરખાસ્ત કરી છે. 2017 માં અહીં દરોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ફાઇનલ રેટ લિસ્ટ આવતા મહિનાના પ્રથમ સપ્તાહમાં સાર્વજનિક રૂપે ઉપલબ્ધ થશે, જે રસ ધરાવતા ખરીદદારોને વધારાની માત્રાનો ખ્યાલ આપશે.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…