Homeઆમચી મુંબઈભ્રમમાં ના રહેતા, ઉદ્ધવ જૂથ હંમેશા કુરબાની નહીં આપેઃ રાઉત

ભ્રમમાં ના રહેતા, ઉદ્ધવ જૂથ હંમેશા કુરબાની નહીં આપેઃ રાઉત

શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (શિવસેના-યુબીટી)ના નેતા સંજય રાઉતે સોમવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાન પરિષદની આગામી ચૂંટણીઓને લઈને વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (એમવીએ) માં મૂંઝવણ સ્પષ્ટ જણાય છે અને તેમની પાર્ટી કાયમ માટે બલિદાન આપી શકે નહીં. મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા, રાઉતે જણાવ્યું હતું કે નાસિક વિભાગના સ્નાતક મતવિસ્તારના સ્વતંત્ર ઉમેદવાર શુભાંગી પાટીલે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પાસે સમર્થન માંગ્યા પછી તેમની પાર્ટીએ તેમને (પાટીલ) ને ચૂંટણીમાં સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર લેજિસ્લેટિવ કાઉન્સિલ (MLC)ના પાંચ સભ્યોનો કાર્યકાળ 7 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે. વિધાન પરિષદના નવા સભ્યોની પસંદગી માટે મતદાન 30 જાન્યુઆરીએ થશે જ્યારે મત ગણતરી 2 ફેબ્રુઆરીએ થશે.
રાઉતે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવાર વચ્ચેની વાતચીત બાદ કોંગ્રેસ સમર્થિત ઉમેદવાર સુધાકર અડબલ (નાગપુર બેઠક પરથી)ને સમર્થન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, નાગપુર સીટ શિવસેના (યુબીટી) માટે છોડી દેવામાં આવી હતી, પણ આ સીટ જતી કરવાની જવાબદારી શિવસેના (યુબીટી) પર છોડવામાં આવી છે અને અમે વિપક્ષી એકતા જેવા મહાન શબ્દોને મહત્વ આપીને હંમેશા આમ કરતા જ આવ્યા છીએ. શિવસેના (UBT)ના સભ્ય ગંગાધર નાકડેએ પાર્ટીની સૂચનાને પગલે તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, પરંતુ દર વખતે એવું થશે નહીં. અમે અમારી રીતે નિર્ણય કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular