પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિરૠતુ), સોમવાર, તા. ૨-૧-૨૦૨૩
* ભારતીય દિનાંક ૧૨, માહે પોષ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, પૌષ સુદ-૧૧
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે પોષ, તિથિ સુદ-૧૧
* પારસી શહેનશાહી ૨૦મો બહેરામ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૨૦મો બહેરામ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૮મો રશ્ને, માહે ૧૦મો દએ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૯મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧૧મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
* નક્ષત્ર ભરણી બપોરે ક. ૧૪-૨૩ સુધી, પછી કૃત્તિકા.
* ચંદ્ર મેષમાં રાત્રે ક. ૨૦-૫૧ સુધી, પછી વૃષભમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ), વૃષભ (બ, વ, ઉ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૩, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૨ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૫ સ્ટા. ટા.
* : મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :
* ભરતી: સવારે ક. ૦૮-૦૪ રાત્રે ક. ૨૧-૫૪
* ઓટ: બપોરે ક. ૧૪-૫૪, મધ્યરાત્રિ પછી ક.૦૩-૪૫. (તા. ૩)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, પોષ શુક્લ – એકાદશી. પુત્રદા એકાદશી (છાશ), વૈકુંઠ એકાદશી (દક્ષિણ ભારત), મન્વાદિ, બુધ પશ્ર્ચિમમાં અસ્ત થાય છે. ભદ્રા સવારે ક. ૦૭-૪૩ થી રાત્રે ક. ૨૦-૨૩.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
* મુહૂર્ત વિશેષ: એકાદશી વ્રત ઉપવાસ, શ્રી સત્યનારાયણ પૂજા, કથા વાંચન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, પુરુસુક્ત, શ્રી સુક્ત, ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસી પૂજા, યમદેવતાનું પૂજન, આમલીનું વૃક્ષ વાવવું, આમલીના ઔષધીય પ્રયોગો, માલ વેચવો, ધાન્ય ઘરે લાવવું, હાથીની લેવડદેવડ, મધ્યાહનમાં સૂર્યનારાયણ, અગ્નિ દેવતાનું પૂજન વિશેષરૂપે. નિત્ય થતાં પશુ લેવડદેવડના કામકાજ. બુધના અભ્યાસ મુજબ લોકોમાં સુખાકારી જણાય.
* આચમન: ચંદ્ર-બુધ ત્રિકોણ વિચારો ફર્યા કરે. સૂર્ય-રાહુ ત્રિકોણ જવાબદારીમાં જાગૃત રહે.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ત્રિકોણ, સૂર્ય-રાહુ ત્રિકોણ
ગ્રહ ગોચર: સૂર્ય-ધનુ, વક્રી મંગળ-વૃષભ, વક્રી બુધ-ધનુ, ગુરુ-મીન, માર્ગી શુક્ર-મકર, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.