આજે પણ આપણા દેશમાં ઘણા લોકો ગરીબી રેખા નીચે જીવે છે. આ લોકોને મદદ કરવા અને તેમના જીવનધોરણને કંઇક અંશે ઊંચુ લાવવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા પોતપોતાના સ્તરે વિવિધ લાભકારી અને કલ્યાણકારી યોજનાઓ લાગુ કરવામાં આવી રહી છે. આ યોજનાઓ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. દરમિયાન આધારભૂત વર્તુળો દ્વારા માહિતી આપવામાં આવી છે કે દેશના કરોડો રેશનકાર્ડ ધારકોને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા મફત રાશનની સાથે વિશેષ સુવિધાઓ આપવામાં આવશે. તેથી જો તમારી પાસે પણ અંત્યોદય રેશન કાર્ડ છે, તો તમને સરકાર દ્વારા વધુ એક વિશેષ લાભ આપવામાં આવશે. હવે આ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે રાશનની સાથે ફ્રી મેડિકલ સુવિધા પણ આપવામાં આવશે.
સરકારે હવે એક ડગલું આગળ વધીને અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા તમામ પરિવારો માટે બીજી સુવિધા ફરજિયાત બનાવી છે. આ અંતર્ગત સરકારે તમામ અંત્યોદય કાર્ડ ધારકોની મફત સારવાર માટે આયુષ્માન કાર્ડ બનાવવાનો નિર્ણય લીધો છે. આ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને આ અભિયાન અંતર્ગત અંત્યોદય કાર્ડ ધારકોના પરિવારના તમામ સભ્યોને આયુષ્માન કાર્ડ હેઠળ આવરી લેવામાં આવશે.
જો અંત્યોદય કાર્ડ ધારકો પાસે આયુષ્માન કાર્ડ ન હોય તો તેઓ સંબંધિત વિભાગની મુલાકાત લઈને અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. અને કાર્ડ પ્રાપ્ત કર્યા પછી લાયક લાભાર્થીઓ જન સેવા કેન્દ્ર, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, આયુષ્માન પેનલ સાથે જોડાયેલી ખાનગી હોસ્પિટલ અથવા જિલ્લા હોસ્પિટલ ખાતે અંત્યોદય રેશન કાર્ડ બતાવીને પરિવારના તમામ સભ્યો માટે આયુષ્માન કાર્ડ મેળવી શકે છે. આયુષ્યમાન કાર્ડ બતાવીને તેઓ આયુષ્માન પેનલ સાથે જોડાયેલી ખાનગી હોસ્પિટલ અથવા જિલ્લા હોસ્પિટલ ખાતે ફ્રી મેડિકલ સુવિધા મેળવી શકશે.
રાજ્ય સરકારે ઉઠાવ્યું મોટું પગલું, રેશનકાર્ડ ધારકો માટે કરી મોટી જાહેરાત
RELATED ARTICLES