Homeઆમચી મુંબઈઉદ્ધવ ઠાકરે જૂથનું પ્રતિનિધિમંડળ મળ્યું સ્પીકરને, જાણો કેમ?

ઉદ્ધવ ઠાકરે જૂથનું પ્રતિનિધિમંડળ મળ્યું સ્પીકરને, જાણો કેમ?

મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથનું એક પ્રતિનિધિમંડળ આજે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મળ્યા હતા 16 વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવાના મુદ્દે વહેલામાં વહેલી તકે નિર્ણય લેવાની માગણી કરી હતી.

પ્રતિનિધિમંડળે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને એક નિવેદન આપ્યું હતું જેમાં 16 વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવા પર વહેલી તકે નિર્ણય લેવાની માંગ કરવામાં આવી હતી. પ્રમુખ સાથેની બેઠકમાં હકારાત્મક ચર્ચા થઈ હતી. વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું હતું કે અમને ખાતરી છે કે 16 વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા સોંપવામાં આવેલ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટ કરશે. આ અગાઉ વિધાનસભાના જૂથ નેતાઓ અજય ચૌધરી અને પ્રતોદ સુનીલ પ્રભુએ ડેપ્યૂટી સ્પીકર નરહરિ જીરાવલને પત્ર લખ્યો હતો. અહીંના પ્રતિનિધિમંડળમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવે, વિધાનસભ્ય અનિલ પરબ, શિવસેના ઠાકરે જૂથના નેતા અજય ચૌધરી, વિધાનસભ્ય વિલાસ પોટનિસ, વિધાનસભ્ય રવિન્દ્ર વાયકર, વિધાનસભ્ય રમેશ કોરગાંવકર હાજર હતા.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તાત્કાલિક શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પીકરને વહેલા નિર્ણય લેવાનો અનુરોધ કર્યો હતો. આ મુદ્દે અગાઉ સંજય રાઉતે કહ્યું હતું કે 16 વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવામાં આવે તો ગદ્દારોને જમાત ખતમ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -