ઉત્તરાયણ અને તલ: વાયુના રોગથી પીડાતા ઘણા લોકોને તેલનો માલિશ કરતાં તમે જોયા હશે, પરંતુ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે દર વર્ષે શિયાળાની ઋતુમાં તેલનું સેવન યોગ્ય રીતે કરવામાં આવે તો વાયુદેવની સદાય કૃપા બની રહે છે અને વાયુકારક રોગોથી હેરાન થવું પડતું નથી. જેમ સૂર્યદેવને પાણીની અંજલિ આપીએ છીએ તે જ રીતે સૂકા-રુક્ષ વાયુદેવને તેલનું સાન્નિધ્ય ગમતું હોય છે. તેથી જે ઉત્તરાયણમાં લોકો તલના તેલનું માલિશ કરે છે, તલનું સેવન કરે છે કે તલનું દાન કરે છે તેને વાયુદેવ કનડતા નથી. ઉત્તરાયણમાં તલની ચીકી બનાવીને ખાવી જોઈએ. વાયુનું શમન તેલથી થાય છે તે વાત સાચી, પણ આયુર્વેદમાં તલના તેલને જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. અલબત્ત, તેલ શબ્દ જ તલ પરથી આવ્યો છે. આજના ડૉક્ટરો હૃદયરોગ જેવા રોગમાં તેલનો વપરાશ બંધ કરવાનું કહે છે, જે સદંતર ખોટું છે, પરંતુ તેમાં એમનો વાંક નથી, કારણ કે લોકો તેલનું તેલ ભૂલીને શરીરને નુકસાન કર્તા બીજા તેલો વાપરતા થઈ ગયાં છે. દા.ત. કરડી, સફોલા તેલનો કોલેસ્ટ્રોલથી બચવા ઉપયોગ કરે છે. શરીરમાં જે ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે તે તેલમાં રહેલી સંતૃપ્ત ચરબીને આભારી હોય છે. કરડીના તેલમાં આવી ચરબીનું પ્રમાણ ૯% છે, જ્યારે તલના તેલમાં ફ્કત ૫% જ વધારે છે એટલે કે ૧૪% નું પ્રમાણ છે. તેની સામે તલના તેલમાં શરીરને ઉપયોગી એવા અસંખ્ય ગુણો રહેલા છે. તલ માથાથી લઈ પગ સુધી કેવી રીતે ઉપયોગી છે તે હવે જોઈએ.
તલનું તેલ અને સ્વાસ્થ્ય: માથાના વાળથી શરૂઆત કરીએ તો તલનું તેલ બીજા તેલની સરખામણીએ અત્યંત સૂક્ષ્મ કણ ધરાવે છે તેથી વાળના મૂળ સુધી ઝડપથી પહોંચી જાય છે અને વાળને ખરતા અટકાવે છે. કાળા તલનું તેલ વાળને સફેદ થતાં અટકાવે છે. એટલું જ નહીં બુદ્ધિને પણ તેજ બનાવે છે. શિયાળામાં કાળા તલમાંથી જે કચરિયું બનાવવામાં આવે છે તે મગજનું શ્રેષ્ઠ ટોનિક છે. આ ઋતુમાં બાળકોને ચોકલેટ કે ટોફી ખવડાવવાના બદલે કચરિયું ખવડાવવામાં આવે તો તેમના મગજની શક્તિ ખીલી ઊઠે છે. તલને ચાવી ચાવીને ખાવા માત્રથી કે તલના તેલના કોગળા કરવાથી દાંતનાં પેઢાં મજબૂત બની જાય છે. પાયોરિયા સહિતના તમામ રોગ આ ક્રિયા નિયમિત કરવાથી દૂર થાય છે. શિયાળામાં ઠંડીના કારણે ચામડી રુક્ષ અને સૂકી બની જાય છે. તેના પર વાયુનાશક તલના તેલની માલિશ કરવાથી તે મુલાયમ અને સુંવાળી થાય છે. નિયમિત રીતે અઠવાડિયામાં એકવાર તલના તેલનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના કોઈ રોગ થતા નથી. મોટી ઉંમરે પણ કાનમાં બહેરાશ આવતી નથી. તલના તેલમાં શરીરના અંગેઅંગમાં ફેલાઈ જવાનો ગુણ છે. આથી હાથપગના સાંધા પર માલિશ કરવાથી સાંધામાં રહેલા વાયુનું ઝડપથી શમન થાય છે અને સાંધા મજબૂત બને છે. જેને સંધિવાનો રોગ હોય તેને રાહત થાય છે. આયુર્વેદમાં વાયુનાશક પદાર્થ તરીકે સૌ પ્રથમ નામ તલનું લેવાય છે એટલે વાયુના રોગની સારવાર માટે જે મહાનારાયણ તેલનો ઉલ્લેખ થયો છે તેમાં મુખ્ય ઘટક તરીકે તલનું તેલ હોય છે. તલના તેલનું નિયમિત માલિશ કરવાથી રુધિરાભિસરણ નિયમિત બને છે જેથી બ્લડપ્રેશર કાબૂમાં રહે છે અને હૃદયને વધુ કાર્યક્ષમ બનાવે છે.
તલનું તેલ અને રસોડું: સીંગતેલ, કપાસિયા તેલ કે પામોલીન તેલ આરોગ્યને નુકસાનકારક છે. આયુર્વેદમાં તો તલના તેલ અને સરસવના તેલને જ સાચું તેલ ગણવામાં આવ્યું છે. તલનું તેલ સારા કોલેસ્ટ્રોલને યોગ્ય પ્રમાણમાં જાળવી રાખે છે. સાથે સાથે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવાનું કામ પણ કરે છે. તેથી રસોડામાં તલના તેલનો ઉપયોગ કરવાથી ખોરાક પોષણયુક્ત અને આરોગ્યકારક બની રહે છે. આપણા જૂના પાકશાસ્ત્રીઓને આરોગ્યનું ઘણું જ્ઞાન હતું. તેથી જ કોઈ પણ ચીજ કાચી બાફેલી ન ખાતાં તેલના તેલમાં રાઈ, મેથી, જીરું નાખી વઘાર કરવાની ઉત્તમ પ્રથા ભેટમાં આપી છે. કાચી કે બાફેલી વસ્તુ વાયુને વધારનારી હોય છે, જ્યારે વધુ તળેલી વસ્તુ શરીરમાં ચરબીનું પ્રમાણ વધારી દે છે. વઘારમાં તેલનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી ચરબીનું પ્રમાણ તો વધતું નથી, સાથે સાથે વાયુનું શમન પણ થાય છે. આમ, બાફવા કે તળવા કરતાં વઘારવું એ શ્રેષ્ઠ ક્રિયા છે. બીજાં તેલો કરતાં તલના તેલથી કરેલો વઘાર દાળના કે શાકના અણુએ અણુમાં પ્રસરી જઈ શરીરને વધુ લાભકર્તા બની રહે છે. વળી તલનું તેલ લાંબા સમય સુધી ખોરું થતું નથી અને વિટામિનો પણ જળવાઈ રહે છે. આથી અથાણાં બનાવવા માટે પણ તલનું તેલ
ઉત્તમ છે. ઉ