નેશનલ

રાજસ્થાન સરકારે આ પીડિતાને આપી સરકારી નોકરી…

રાજસ્થાન સરકારે નિર્વસ્ત્ર કરીને ફેરવવામાં આવેલી પીડિતા માટે એક મોટો નિર્ણય લીધો છે. રાજસ્થાનના આદિવાસી બહુલ પ્રતાપગઢ જિલ્લાના ધારિયાવડ ગામમાં એક મહિલાને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવવામાં આવી હતી. આ કેસમાં કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 21 વર્ષની સગર્ભા મહિલા સાથે આ ઘૃણાસ્પદ કૃત્યની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પીડિતા સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ મુખ્ય પ્રધાને પીડિતાને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય અને સરકારી નોકરીની જાહેરાત કરી હતી. પીડિતાને નોકરી આપવાના નિર્ણયને હવે રાજસ્થાન કેબિનેટે મંજૂરી આપી દીધી છે.

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની અધ્યક્ષતામાં ગઈકાલે રાત્રે યોજાયેલી રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં કરાર આધારિત કર્મચારીઓના હિતોના રક્ષણ માટે રાજસ્થાન લોજિસ્ટિક સર્વિસ ડિલિવરી કોર્પોરેશનની રચના, 80 થી વધુ સામાજિક સંસ્થાઓને જમીનની ફાળવણી જેવા અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટે અનુસૂચિત જનજાતિની મહિલા સાથે બનેલી ઘટનાની નિંદા કરી હતી તેમજ કેબિનેટે પીડિતાને ચોથા વર્ગના કર્મચારી તરીકે નોકરી આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

પીડિતાને શિક્ષણ વિભાગની સ્થાનિક સરકારી શાળામાં ચોથા વર્ગના કર્મચારીના પદ પર નિયુક્ત કરવામાં આવશે. તેનાથી પીડિતાનું સામાજની વચ્ચે અને પોતાના પગપર રહી શકશે. કેબિનેટે રાજસ્થાન ચોથા વર્ગના નિયમોમાં છૂટછાટ આપતી વખતે નિમણૂક માટેની દરખાસ્ત 1999 માં મંજૂર કરવામાં આવી છે.

ગર્ભવતી મહિલાને તેના પતિ અને તેના પરિવારના સભ્યોએ માર માર્યો હતો અને પછી તેને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવી હતી. ઘટના 31મી ઓગસ્ટના રોજ બની હતી. આ ઘટનાને મણિપુર સાથે જોડીને ભાજપે ગેહલોત સરકાર પર પ્રહાર કર્યા હતા. ગેહલોત સરકાર પર રાજ્યમાં મહિલાઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride” સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું…