ટોપ ન્યૂઝનેશનલ

PM મોદીએ રોજગાર મેળામાં 1 લાખથી નિમણૂક પત્રોનું કર્યું વિતરણ, કહ્યું,’અમે ભરતી પ્રક્રિયા પારદર્શક બનાવી…’

નવી દિલ્હી: રોજગાર મેળા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરકારી વિભાગોમાં 1 લાખથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું (1 Lakh Appointment Letter). આ પ્રસંગે PM મોદીએ કહ્યું કે ‘આજે 1 લાખથી વધુ યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. તમે સખત મહેનત દ્વારા આ સફળતા મેળવી છે. હું તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.’

વધુમાં તેઓએ કહ્યું હતું કે,’ભારત સરકારમાં યુવાનોને નોકરી આપવાનો અધિકાર સતત ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. અગાઉની સરકારોમાં, નોકરીની જાહેરાતથી લઈને નિમણૂક પત્ર આપવામાં ઘણો સમય લાગતો હતો. આ વિલંબનો લાભ લઈને તે દરમિયાન લાંચનો ખેલ પણ બેફામ બન્યો હતો. અમે હવે ભારત સરકારમાં ભરતી પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક બનાવી છે.’

આ જ કાર્યક્રમમાં PM મોદીએ નવી દિલ્હીમાં નિર્માણ થનારા ‘કર્મયોગી ભવન’ (Karma Yogi Bhavan Delhi) ના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ સંકુલમાં મિશન કર્મયોગી અંતર્ગત થનારા તમામ કાર્યોમાં સહકાર અને સંકલનને પ્રોત્સાહન આપવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે આ રોજગાર મેળા દ્વારા ભારતીય રેલ્વેમાં પણ ભરતી કરવામાં આવી રહી છે. ભારતીય રેલ્વે આજે એક મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. આ દાયકાના અંત સુધીમાં ભારતીય રેલ્વે સંપૂર્ણ રીતે બદલાઈ જશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral