ઉદયપુરમાં હિંદુ દરજીના હત્યારાઓ પાક ઉગ્રવાદી જૂથ દાવત-એ-ઈસ્લામી સાથે કનેક્શન
રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે લઘુમતિ સમુદાયના બે શખસે કન્હૈયાલાલ નામના દરજીની હત્યા કરી હતી. આ ભયંકર હત્યાને કારણે રાજ્યમાં સાંપ્રદાયિક તણાવમાં વધારો થયો છે અને પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા છે.
નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાને કારણે મોહમ્મદ રિયાઝ અને ઘૌસ મોહમ્મદ તરીકે ઓળખાતા બે ગુનેગારોએ કન્હૈયાલાલની હત્યા કરી હતી.