Maharashtra Political crisis: મહારાષ્ટ્રનો મહાસંગ્રામ પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, આવતી કાલે થઈ શકે છે સુનાવણી
મહારાષ્ટ્રમાં સત્તાના મહાસંગ્રામ વચ્ચે શિવસેનાના એકનાથ શિંદે જૂથ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયું છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર એકનાથ શિંદે કેમ્પ દ્વારા બે અરજી દાખલ કરવામાં આવી છે. બળવાખોર વિધાનસભ્યોને અયોગ્યતાની કાર્યવાહી શરૂ કરવા માટેને પડકારતી એક અરજી કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે વિધાનસભામાં શિંદેની જગ્યાએ બીજા કોઈ વિધાનસભ્યને શિવસેના વિધાનમંડળના નેતા અને ચીફ વ્હિપ બનાવવાને પડકાર આપવામાં આવ્યો છે. એટલે કે ડેપ્યુટી સ્પીકરના આધિકારક્ષેત્રના અતિક્રમણને પણ મુદ્દો બનાવવામાં આવ્યો છે.
Continue Reading