પ્રખ્યાત ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અય્યરની ભૂમિકા ભજવનાર તનુજ મહાશબ્દેને મોટો આંચકો લાગ્યો છે. તેમના મોટા ભાઈ પ્રવીણ મહાશબ્દેનું અવસાન થયું છે. બબીતાજીના ઓનસ્ક્રીન પતિની ભૂમિકા નિભાવતા કૃષ્ણન અય્યરના મોટા ભાઇના મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં શનિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તનુજની જેમ તેમના મોટા ભાઈને પણ અભિનયમાં ખૂબ જ રસ હતો અને તેઓ લાંબા સમયથી મહારાષ્ટ્રની એક થિયેટર ક્લબ સાથે સંકળાયેલા હતા.
પ્રવીણ મહાશબ્દે 53 વર્ષના હતા. તનુજ કહે છે કે આજે તેઓ જે મુકામે પહોંચ્યા છે તેમાં તેના ભાઈનું યોગદાન ખૂબ મહત્વનું રહ્યું છે. તેમના ભાઈએ જ તેમને અભિનયની દુનિયામાં આવવાની પ્રેરણા આપી હતી. તેમના ભાઇના કારણે જ તેઓ આજે ઇન્ડસ્ટ્રીમાં આટલા લોકપ્રિય છે. તેમના કારણે જ તનુજને ઇન્ડસ્ટ્રીઝમાં કામ મળ્યું હતું. તનુજ મોટા ભાઈના નિધનથી ખૂબ જ દુઃખી છે. તેમના સમગ્ર પરિવારમાં શોકનું વાતાવરણ છે. દેવાસ લોકસભા ક્ષેત્રના સાંસદ મહેન્દ્ર સિંહ સોલંકી તનુજ મહાશબ્દેના ઘરે પહોંચ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને સાંત્વના આપી હતી.
પ્રવીણ મહાશબ્દે લગભગ 10 વર્ષથી થિયેટર ક્ષેત્રે સક્રિય હતા. તેઓ મહારાષ્ટ્રના નવયુગ નાટ્ય મંડળના કાર્યક્રમોમાં પણ અવારનવાર ભાગ લેતા હતા. આ સાથે તેમણે મહારાષ્ટ્ર સમાજમાં વિવિધ હોદ્દા પર રહીને પોતાની સેવાઓ પણ આપી છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ અય્યર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ
RELATED ARTICLES