(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને ભાજપની મદદથી મુખ્ય પ્રધાન બનેલા એકનાથ શિંદ અને તેમને સમર્થન આપનારા વિધાનસભ્યોની શિવસેનાના (ઉદ્ધવ ગ્રુપ) નેતા સુષમા અંધારેએ ફરી એક વખત જોરદાર ટીકા કરી છે.
થોડા દિવસ પહેલા એક ગાડીમાં એકનાથ શિંદે બેઠા હતા અને ગાડીનું સ્ટિયરિંગ દેવેન્દ્ર ફડણવીસના હાથમાં હતું. આ બનાવને લઈને સુષમા અંધારેએ કહ્યું હતું કે ‘આ જ ખરું ચિત્ર છે. મારા ૪૦ ભાઈઓ કોપી કરીને પાસ થયા છે. તમને ખબર નથી પડતી કે બધા માલધારી ખાતા ભાજપ પાસે છે અને મારા ભાઈઓ પાસે બધા નકામા ખાતા છે’ એવો કટાક્ષ પણ સુષમા અંધારેએ કર્યો હતો.