Homeટોપ ન્યૂઝ24 કલાકમાં જાહેર કરો અમસીડીના મેયરની ચૂંટણીની અધિસૂચનાઃ સુપ્રીમ કોર્ટનો આદેશ

24 કલાકમાં જાહેર કરો અમસીડીના મેયરની ચૂંટણીની અધિસૂચનાઃ સુપ્રીમ કોર્ટનો આદેશ

દિલ્હી નગર નિગમના મેયરની ચૂંટણીની અધિસૂચના 24 કલાકમાં બહાર પાડવાનું ફરમાન સુપ્રીમ કોર્ટે શુક્રવારે આપ્યું હતું. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે આ ચૂંટણીમા નોમિનેટેડ સભ્યો એટલે કે એલ્ડરમેન મત આપી શકશે નહીં કારણ કે તેમને મત આપવાનો અધિકાર નથી. કોર્ટના આ આદેશથી આમ આદમી પાર્ટીને ઘણી રાહત મળી છે, કારણ કે પાર્ટી હંમેશાં એલ્ડરમેનના મતને વાજબી ઠેરવવાનો વિરોધ કરી રહી હતી. આપના મેયરપદના ઉમેદવાર શૈલી ઓબેરોયે કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં નોમિનેટેડ સભ્યોના મતદાનને રોકવાની માગણી કરવામાં આવી હતી. આ સાથે ઓબેરોયે એમસીડીના સદનના પ્રોટેમ પીઠાસન અધિકારીને હટાવવાની માગણી પણ કરી હતી.

સોમવારે પણ આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. દિલ્હીના ઉપરાજ્યપાલના પ્રતિનિધિ તરીકે આવેલા એસએસજી સંજય જૈને કોર્ટને કહ્યું હતું કે જ્યાં સુધી આ મામલે કોર્ટની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી ચૂંટણીને સ્થગિત કરવામાં આવી શકે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular