ગણતરીના દિવસોમાં 2023નું પહેલું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણની અશુભ અસર કેટલીક રાશિઓ પર જોવા મળી શકે છે. જોકે,આ ગ્રહણ ભારતમાં દેખાવવાનું નથી એટલે અહીં કોઈ પણ સૂતક કાળ રહેશે નહીં. વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 20મી એપ્રિલ સવારે 7.04 કલાકથી બપોરે 12.29 દરમિયાન થશે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, સૂર્યદેવ 14મી એપ્રિલના મેષ રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યા છે, જેમાં રાહુ અને સૂર્ય એક સાથે રહેશે. આને કારણે સૂર્ય ગ્રહણની અશુભ અસર કેટલીક રાશિના લોકો પર પડવાની છે. આવો જાણીએ કઈ છે આ રાશિઓ કે જેમના માટે આ સૂર્યગ્રહણ અશુભ નિવડવાનું છે. જોઈ લો તમારી રાશિ તો નથી ને આ યાદીમાં…
આ રાશિના જાતકો માટે સૂર્યગ્રહણની અશુભ અસર અસર જોવા મળશે અને તેમણે ખાસ સાવધ રહેવાની જરૂર છે.
મેષ– વર્ષ 2023નું પ્રથમ સૂર્યગ્રહણ આ રાશિમાં જ થઈ રહ્યું છે અને આ ગ્રહણની અસરને કારણે મેષ રાશિના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સૂર્યગ્રહણ દરમિયાન આ રાશિના જાતકોએ ખાસ કાળજી લેવાની જરૂર છે. આવા સમયમાં શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય કરિયરમાં પણ કેટલાક પડકારોનો આવશે, જે મુશ્કેલીઓમાં વધારો કરશે.
સિંહ– સિંહ રાશિના સ્વામી સૂર્ય દેવ છે અને આ જ કારણસર સિંહ રાશિ પર પણ આ સૂર્યગ્રહણની માઠી અસર જોવા મળશે. જ્યોતિષ અનુસાર સૂર્યગ્રહણ સિંહ રાશિ માટે સારું રહેશે નહીં. આ રાશિના લોકોને તેમના કાર્યોનું શુભ ફળ તો નહીં જ મળે પણ બની શકે કે કરેલા કામો પણ બગડી શકે છે.
કન્યા– કન્યા રાશિના લોકો માટે પણ ગ્રહણ શુભ નહીં નિવડે, કારણ કે તમારા આઠમા ઘરમાં મૂકવામાં આવ્યું છે. સૂર્યગ્રહણ તમારા માનસિક તણાવમાં વધારો કરી શકે છે. એટલું જ નહીં આ સમયગાળા દરમિયાન તમારે તમારી વાણી પર વિશેષ સંયમ રાખવાની જરૂર છે. બિનજરૂરી વિવાદોમાં પડવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળો, કારણ કે આને કારણે તમારું બનતું કામ પણ બગડી શકે છે.
2023નું પહેલું સૂર્યગ્રહણઃ આ રાશિ માટે નિવડશે અશુભ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?- સૂર્યગ્રહણ મકર રાશિના લોકોના ચોથા ઘરમાં થશે. આ ગ્રહણ આ રાશિના જાતકોની માતાના આરોગ્ય પર માઠી અસર કરી શકે છે. આની અસરને કારણે તમારા ફાલતુ ખર્ચ પણ વૃદ્ધિ થઈ શકે છે. આ સમય દરમિયાન તમારીઆર્થિક સ્થિતિ પણ પ્રભાવિત થઈ શકે છે.