Homeસ્પેશિયલ ફિચર્સસ્માર્ટફોનને કવર કરીને રાખો છો? થઈ શકે છે મોટું નુકસાન

સ્માર્ટફોનને કવર કરીને રાખો છો? થઈ શકે છે મોટું નુકસાન

આપણે બધા જ કવર સાથે મોબાઈલ ફોન વાપરીએ છીએ અને આપણી એવી માન્યતા હોય છે કે કવરને કારણે મોબાઈલ ફોનને રક્ષણ મળે છે અને આપણને આ ખૂબ જ સામાન્ય લાગે છે. પણ હકીકતમાં થાય છે એનાથી ઉલટું. મોબાઈલ ફોન પર કવર લગાવવાથી રક્ષણ તો નહીં પણ તેને કારણે નુકસાન ચોક્કસ થઈ શકે છે. આવો જોઈએ કયા છે આ નુકસાન-
કવરને કારણે હેન્ડસેટમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. વાત જાણે એમ છે કે મોબાઈલ ફોનમાં અનેક પ્રકારના સેન્સર હોય છે અને કવરને કારણે ઘણી વખત આ સેન્સર બ્લોક થઈ જાય છે. જેને કારણે મોબાઈલની નેટવર્ક કવોલિટી પર પણ અસર જોવા મળે છે. એટલું જ નહીં ચાર્જિંગમાં મૂકતી વખતે પણ તે સામાન્ય કરતાં વધારે ગરમ થાય છે. ફોનમાં રહેલા વેપર ચેમ્બર એ રીતે કામ નથી કરતુ જે રીતે એને કરવું જોઈએ.
એટલું જ નહીં ઘણી વખત સ્માર્ટફોનમાં પાણી જવાનું કારણ પણ આ કવર જ હોય છે, કારણ કે કવરની આસપાસમાં પાણી ફસાયેલું રહે છે અને તે મોબાઈલમાં જતું રહે છે. આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને મોબાઈલ ફોનને જો કવર વિના ઉપયોગમાં લેવામાં આવે તો શક્ય છે કે વધારે સારા પરિણામો મેળી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular