ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને ફિલ્મ અભિનેત્રી કિયારા અડવાણીના લગ્નનો ઉત્સવ આજથી શરૂ થશે જેમાં મહેંદી, સંગીત અને હલ્દી સમારોહનું આયોજન કરવામાં આવશે. દંપતી 6 ફેબ્રુઆરીના રોજ જેસલમેરની ભવ્ય સૂર્યગઢ પેલેસ હોટેલમાં લગ્ન કરશે. દંપતીના લગ્નની ઉજવણી 5 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 7 ફેબ્રુઆરી સુધી ચાલશે. કિયારા અડવાણી ખૂબસૂરત મનીષ મલ્હોત્રાના લહેંગામાં સજ્જ થશે.
લગ્ન પછી, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બે રિસેપ્શન યોજશે, એક દિલ્હીમાં અને એક મુંબઈમાં. કપલ 12 ફેબ્રુઆરીએ મીડિયાનાને તેમના રિસેપ્શનમાં મહેમાન તરીકે હાજરી આપવા માટે આમંત્રિત કરશે. રાજસ્થાનમાં તેમના લગ્ન માટે, કપલે લગભગ 100-150 મહેમાનોને આમંત્રણ આપ્યું છે. સિદ્ધાર્થ અને કિયારા દ્વારા હોટલમાં નો-ફોન પોલીસી પણ લાગુ કરવામાં આવી છે, જ્યારે મહેમાનોને સોશિયલ મીડિયા પર કોઈપણ ચિત્રો શેર ન કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
સિદ્ધાર્થ અને કિયારાનો રોમાંસ ઓનસ્ક્રીન ‘શેરશાહ’થી શરૂ થયો હતો અને આ દંપતીએ કેમેરાની બહાર તેમની લવ સ્ટોરી ચાલુ રાખી હતી. આ દંપતી એક પરિણીત યુગલ તરીકે તેમના લગ્નના પ્રથમ ફોટા સાથે તેમના રોમાંસની જાહેરાત કરશે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નનું રિસેપ્શન મુંબઇમાં …..
RELATED ARTICLES