ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રવિવારે સિરીઝની બીજી મેચ રમાઈ હતી. જોકે, વરસાદ આ મેચમાં વિલન બન્યો હતો. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ માટે ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ 11 માટે બે ફેરફાર કર્યા હતાં, જેને લઈને ચાહકો રોષે ભરાયા હતાં. શાર્દુલ ઠાકુર અને સંજૂ સેમસનને ટીમમાંથી બહાર કરીને દીપક હુડ્ડા અને દીપક ચાહરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
#SanjuSamson is dropped in one game in overseas condition. Last game was average of Sanju but how a player can proved himself entirely in just one game.i am speechless 😔😔😔 pic.twitter.com/N8Nh2Q08nm
— Chetan Choudhary 🇮🇳🇮🇳🇮🇳 (@ChetanC75495924) November 27, 2022
ટીમ ઈન્ડિયાએ સંજુ સેમસનને પ્લેઈંગ-11માંથી બહાર કર્યો હોવાથી તેના ચાહકોએ બીસીસીઆઈ સામે નારાજી વ્યક્ત કરી હતી.
Dropped from Bangaldesh series. Haven’t given opportunity in t20 matches.. Performed decently in the first odi. Then again dropped 🥲. Shame on Indian team management!!indian team is not the platform for pant to find his form. He should go and play domestic.. 🙏#SanjuSamson pic.twitter.com/0qiE8v4jfa
— Navaneeth (@Navanee31078282) November 27, 2022
અત્રે ઉલ્લેખનીય છે કે સંજૂને તક આપવા માટે તેના ચાહકો અવાજ ઉઠાવતા હોય છે. જ્યારે સિનિયર પ્લેયર્સને આરામ આપવામાં આવે ત્યારે સંજૂને મોકો આપવામાં આવે છે. ટ્વિટર પર પણ આ મુદ્દો ટ્રેન્ડ કરી રહ્યો છે. ચાહકોએ બીસીસીઆઈ પર જાણી જોઈને સંજૂ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે વન ડે ક્રિકેટમાં સંજૂના રેકોર્ડ પણ ગણાવ્યા છે. સંજૂ સેમસન બીસસીઆઈ માટે સરળ ટાર્ગેટ છે. એક મેચ બાદ સંજૂને ડ્રોપ કરી નાંખ્યો, બીસીસીઆઈ કરી શું રહ્યું છે? એવા સવાલ સંજૂના ફેન્સ કરી રહ્યા છે.