પીએમ મોદી માતા હીરાબાનું આજે વહેલી સવારે 100 વર્ષની વયે અમદાવાદની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમના પાર્થિવ દેહને પીએમ મોદી અને તેમના ભાઈઓએ ગાંધીનગરના સ્મશાન ગૃહમાં અગ્નિદાહ આપ્યો હતો. વિવિધ રાજ્યોના રાજ્યપાલો, મુખ્ય પ્રધાનો અને અગ્રણી રાજકીય નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ટ્વીટ કર્યું, “શ્રીમતી હીરાબેન મોદીના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. નરેન્દ્ર મોદીજી પ્રત્યે ઊંડી સંવેદના. દુઃખની આ ઘડીમાં સમગ્ર પરિવાર પ્રત્યે અમારી સંવેદના.
Deeply saddened to hear about the demise of Smt. Heeraben Modi.
My heartfelt condolences to Sri @narendramodi ji on the loss of his beloved mother. Our thoughts and prayers are with the entire family in this hour of grief.
— Mallikarjun Kharge (@kharge) December 30, 2022
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હીરાબાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા શ્રીમતી હીરા બાના નિધનના સમાચાર અત્યંત દુખદ છે. આ મુશ્કેલ સમયે, હું તેમને અને તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના અને પ્રેમ વ્યક્ત કરું છું.
प्रधानमंत्री नरेंद्र मोदी जी की माताजी, श्रीमती हीरा बा के निधन का समाचार अत्यंत दुःखद है।
इस मुश्किल समय में, मैं उन्हें और उनके परिजनों को अपनी गहरी संवेदनाएं और प्यार व्यक्त करता हूं।
— Rahul Gandhi (@RahulGandhi) December 30, 2022
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. ભગવાન દિવંગત આત્માને પવિત્ર ચરણોમાં સ્થાન આપે અને દુઃખની આ ઘડીઓમાં મોદીજી અને તેમના પરિવારના તમામ સભ્યોને હિંમત આપે. ઓમ શાંતિ!”
प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की माता जी के निधन का दुखद समाचार मिला।
ईश्वर दिवंगत पुण्यात्मा को श्रीचरणों में स्थान दें एवं श्री @narendramodi जी और उनके परिवार के समस्त सदस्यों को पीड़ा के इन क्षणों में साहस दें।
ॐ शांति!
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 30, 2022
મહારાષ્ટ્રની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે PM મોદીની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
“નરેન્દ્રભાઈ, તમારી માતાના અવસાન વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે. જીવનમાં જેમનું સ્થાન કોઈ ના લઈ શકે તેવી વ્યક્તિની પૂરી ન શકાય તેવી ખોટ સર્જાય છે.કૃપા કરીને મારી નિષ્ઠાપૂર્વક સંવેદના સ્વીકારો. તેમના આત્માને શાશ્વત શાંતિ મળે,” એમ તેમણે ટ્વિટ કર્યું હતું.
Narendra Bhai , I am deeply saddened to know about passing away of your mother. It’s an irreparable loss of a irreplaceable person in life ! Please accept my sincere condolences on her loss. May her soul rest in eternal peace.@narendramodi
— Sharad Pawar (@PawarSpeaks) December 30, 2022
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે હીરા બાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
माननीय प्रधानमंत्री जी को मातृ शोक का दुखद समाचार प्राप्त हुआ।
माँ का जाना जीवन से मुख्य आधार स्तंभ के ढह जाने जैसा होता है। एक ऐसी क्रिया जिसकी शून्यता सदैव अनुभव होती है।
इस शोक की घड़ी में ईश्वर @narendramodi जी, उनके परिवारजनों को साहस और माता जी को श्री चरणों में स्थान दे।
— Bhupesh Baghel (@bhupeshbaghel) December 30, 2022
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું કે પોતાની માતાને ગુમાવવાનું દુ:ખ સહન કરવું કોઈપણ માટે મુશ્કેલ છે. “પ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમે બધા જાણીએ છીએ કે તમે તમારી પ્રિય માતા હીરાબા સાથે જે ભાવનાત્મક બંધન ધરાવતા હતા. કોઈની પણ માતાને ગુમાવવાનું દુઃખ સહન કરવું મુશ્કેલ છે. હું ખૂબ જ દુઃખી છું અને હું તમારા માટે કેટલો દિલગીર છું તેનું વર્ણન કોઈ શબ્દો નથી કરી શકતા. દુઃખની આ ઘડીમાં મારી ઊંડી સહાનુભૂતિ અને હૃદયપૂર્વકની સંવેદનાઓ મોકલું છું. તમે તમારી મમ્મી સાથે શેર કરેલી યાદોમાં તમને શાંતિ અને આરામ મળે,” શ્રી સ્ટાલિને કહ્યું.
Dear Prime Minister @NarendraModi,
We all know the emotional bond you had with your beloved mother Hiraba. The grief of losing one’s mother is too hard to bear for anyone. I am deeply saddened and no words can describe how sorry I am for your loss. (1/2)— M.K.Stalin (@mkstalin) December 30, 2022
બહુજન સમાજ પક્ષના વડા માયાવતીએ ટ્વિટ કર્યું હતું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માતા શ્રીમતી હીરાબેનના અવસાનના સમાચારથી અત્યંત દુઃખી છું. તેમના સમગ્ર પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. કુદરત તેમને અને તેમના તમામ સ્નેહીજનોને આ ખોટ સહન કરવાની શક્તિ આપે.”
प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी की माता श्रीमती हीराबेन के निधन हो जाने की खबर अति-दुःखद। उनके पूरे परिवार के प्रति मेरी गहरी संवेदना। कुदरत उन्हें एवं उनके सभी चाहने वालों को इस दुःख को सहन करने की शक्ति प्रदान करे।
— Mayawati (@Mayawati) December 30, 2022
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા સંજય રાઉતે ટ્વીટ કર્યું કે માતા ગુમાવવાથી વ્યક્તિ અનાથ હોવાનો અહેસાસ કરાવે છે. રાઉતે ટ્વીટ કર્યું, “આ દુઃખની ઘડીમાં અમે મોદી પરિવાર સાથે છીએ. તેમની આત્માને શાંતિ મળે.”