કેન્દ્ર સરકારે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની ડેડલાઈન એટલે કે છેલ્લી તારીખ લંબાવી છે. હવે 30 જૂન, 2023 સુધી પાન સાથે આધાર કાર્ડ લિંક કરી શકાશે. અગાઉ આ તારીખ 31 માર્ચ, 2023 હતી. કેન્દ્રીય નાણાં વિભાગે નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પેન) કાર્ડ સાથે આધાર કાર્ડ જોડવાની છેલ્લી તારીખ 30 જૂન, 2023 જાહેર કરવામાં આવે છે. પહેલી જુલાઈથી લિંક ન થયેલા તમામ પાન કાર્ડ કાર્યરત રહેશે નહીં.
In order to provide some more time to the taxpayers, the date for linking PAN & Aadhaar has been extended to 30th June, 2023, whereby persons can intimate their Aadhaar to the prescribed authority for PAN-Aadhaar linking without facing repercussions.
(1/2) pic.twitter.com/EE9VEamJKh— Income Tax India (@IncomeTaxIndia) March 28, 2023
“>
નાણાં વિભાગે જણાવ્યું હતું કે આઈટી એક્ટ 1961 અનુસાર દરેક પાન કાર્ડ હોલ્ડરે આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. આ નિયમ એનઆરઆઈ, ભારતીય નાગરિકો ન હોય તેવા, 80 વર્ષથી ઉપરના નાગરિકો તેમ જ આસામ, મેઘાલય અને જમ્મુ કાશ્મીરના નાગરિકોને લાગુ પડતો નથી.
31 માર્ચથી ડેડલાઈન લંબાવવાની માગણી કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ કરી હતી. આ સાથે લોકોને સમસ્યાઓનો સમાનો કરવો પડતો હોવાનું પણ બહાર આવ્યું હતું. એક આંકડા પ્રમાણે લગભગ 13 કરોડ જેટલા આધાર-પાન લિંક કરવાના બાકી છે. જે લોકોએ ડેડલાઈન બાદ લિંક કરાવ્યું તેમની પાસેથી દંડ વસૂલવામાં આવશે, તેવી જોગવાઈ છે. જોકે સરકારે ઘણી ડેડલાઈન અગાઉ આપી છે.