(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), બુધવાર, તા. ૨૨-૩-૨૦૨૩
શાલિવાહન શકે ૧૯૪૫ , ચૈત્ર નવરાત્રિ પ્રારંભ, ભારતીય ચૈત્ર, નવું વર્ષ ૧૯૪૫ પ્રારંભ પંચક.
ગૂડીપડવો નક્ષત્ર અને પર્વનો શ્રેષ્ઠ યોગ. આજે ઘટ સ્થાપન મુહૂર્ત સવારે ક.૬.૪૩ થી ૯.૪૬, સવારે ૧૧.૧૭ થી બપોરે ક.૧૨.૪૭. બપોરે ક.૧૫.૪૯ થી સાંજે ક.૧૮.૫૦.
ભારતીય દિનાંક ૧, માહે ચૈત્ર, શકે ૧૯૪૫, વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ચૈત્ર સુદ-૧
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ચૈત્ર, તિથિ સુદ-૧
પારસી શહેનશાહી ૯મો આદર, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૯મો આદર, માહે ૯મો આદર, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૨જો બેહમન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૯મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
મીસરી રોજ ૩૦મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
નક્ષત્ર : ઉત્તરાભાદ્રપદા બપોરે ક. ૧૫-૩૧ સુધી, પછી રેવતી, ચંદ્ર મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૩, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૪ સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૦ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: બપોરે ક. ૧૨-૩૩, મધ્ય રાત્રે ક. ૦૦-૪૩, ઓટ: સાંજે ક. ૧૮-૨૭
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શકે સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ચેત્ર શુક્લ પ્રતિપદા – ઈષ્ટિ, શાલિવાહન શકે ૧૯૪૫ ‘શોભન’ નામ સંવત્સર પ્રારંભ, અભ્યંગસ્નાન, ગૂડી પડવો, ધ્વજારોહણ, ચૈત્ર નવરાત્રિ પ્રારંભ, કલ્પાદિ, હેગડેવાર જયંતી, ભારતીય ચૈત્ર માસારંભ, ભારતીય નવું વર્ષ ૧૯૪૫ પ્રારંભ પંચક. શુભાશુભ દિનશુદ્ધિ: ગૂડી પડવો મુહૂર્તરાજ શ્રેષ્ઠ દિન.
મુહૂર્ત વિશેષ: શનિ-બુધ ગ્રહદેવતાનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, પુરુષ સુક્ત, શ્રી સુક્ત, દેવી અથર્વશિર્ષમ્નાં પાઠ, ઈષ્ટ દેવતાનું પૂજન, મંત્રાનુષ્ઠાન, ધ્યાન, ધ્રુવ દેવતા અર્હિબુઘન્ય દેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, તર્પણ શ્રાદ્ધ, સ્થિર કાર્યો, લીમડો વાવવો, લીમડાના પાન ખાવા, રાજ્યાભિષેક, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, બગીચો બનાવવો, ધજા, કળશ-પતાકા ચઢાવવી, પ્રયાણ મધ્યમ, દસ્તાવેજ દુકાન-વેપાર, નોકરી, નવા વસ્રો, આભૂષણ, અન્નપ્રાશન, દેવદર્શન, બી વાવવું, ખેતીવાડી, નવી તિજોરીની સ્થાપના, ઘર-ખેતર જમીન, મકાન, મિલકત લેવડદેવડ, ગાયબળદની લેવડદેવડ, શાંતિ મંત્રણા કરવી, સંશોધન, ખગોળશાસ્રનો અભ્યાસ કરવો. રાત્રિ આકાશદર્શન કરવું. સગાઈ સંબંધ, આર્થિક વ્યવહાર પૂરા કરવા. કળાકૃતિ બનાવવી, ઔષધ ઉપચાર, બગીચાના કામકાજ. મિત્રતા કરવી. જૂનાં વિષરાયેલ, ભૂલાયેલ સંબંધો તાજા કરવાં. ગેર સમજણો, મતભેદો ભૂલી, ક્ષમા આપી બગડેલા સબંધો સુધારવા.
ચૈત્ર માસ સંક્ષિપ્ત: ચૈત્ર માસારંભ બુધવારથી થાય છે. પાંચ બુધવાર, ગુરુવારનો આ માસ છે. શુક્લ પક્ષમાં દિવસ-૧૬, તેરસની વૃદ્ધિ, કૃષ્ણપક્ષમાં દિવસ-૧૪, છઠ્ઠનો ક્ષય છે, ચૈત્ર વદ પૂનમમાં ચંદ્રગ્રહણ નથી. ચૈત્ર વદ અમાસનું ખગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. આથી ગ્રહણ પાળવાનું નથી. આ માસમાં મુખ્ય પર્વો: તા. ૨૨મી ગૂડી પડવો, ચૈત્રી નવરાત્રિ: તા. ૨૨ થી ૩૦માર્ચ, રામનવમી: તા. ૩૦ માર્ચ, હનુમાન જન્મોત્સવ: તા. ૬ એપ્રિલ, શ્રી વલ્લભાચાર્ય જયંતી: તા. ૧૬ એપ્રિલનાં રોજ છે. આ માસમાં લગ્ન -ઉપનયન, સર્વદેવ પ્રતિષ્ઠા તા.૨૩મીએ છે. તા.૩૧ માર્ચથી તા.૨૬એપ્રિલ ગુરુનો અસ્ત હોઇ લગ્નાદિ-વાસ્તુ આદિ મુહૂર્ત ગ્રાહ્ય નથી. ચૈત્રી નવરાત્રિ પર્વ : નવરાત્રી પર્વોમાં વ્રતનાં નિયમ પાલન ઉપરાંત જીવનને સાદગીભર્યું, સંયમિત, બ્રહ્મચર્યયુક્ત બનાવવું પડે. માની કૃપા મેળવવા માટેની પ્રાર્થના. ભક્તિમાં સાચી શ્રદ્ધા હોવી જરૂરી છે તોજ શક્તિનો સંચાર થાય છે. શ્રી શૈલપુત્રી માતાજી: મનોવાંચ્છિત લાભને માટે મસ્તક ઉપર અર્ધચંદ્ર ધારણ કરનાર, આખલા ઉપર આરૂઢ, શૂલધારિણી, યશસ્વિની શૈલપુત્રી દુર્ગાદેવીને હું વંદન કરું છું. આચમન: ચંદ્ર-ગુરુ યુતિ સહાનુભૂતિવાળા
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ યુતિ (તા. ૨૩), ગ્રહ ગોચર: સૂર્ય-મીન, મંગળ-મિથુન,-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા