Homeટોપ ન્યૂઝOperation Dost : ભૂકંપને કારણે તૂર્કેય બન્યું સ્મશાન, ભારતનું છઠ્ઠું વિમાન પહોંચ્યું...

Operation Dost : ભૂકંપને કારણે તૂર્કેય બન્યું સ્મશાન, ભારતનું છઠ્ઠું વિમાન પહોંચ્યું મદદ માટે

તૂર્કેય-સીરિયા ભૂકંપ બાદ ભારત એક સાચા મિત્રની જેમ સતત તેની પડખે ઊભું રહ્યું છે અને ત્યાંના લોકોને મદદ કરી પહોંચાડી રહ્યું છે. ભારત સરકાર ઓપરેશન દોસ્ત હેઠળ રાહત સામગ્રી મોકલી રહી છે. આજે (9 ફેબ્રુઆરી) ભારતે રાહત સામગ્રીથી ભરેલી છઠ્ઠી ફ્લાઇટ (6મી) તુર્કેય મોકલી છે. વિદેશ મંત્રી એસ જયશંકરએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે આજે છઠ્ઠું વિમાન તુર્કેય પહોંચી ગયું છે.
સત્તાવાર માહિતી અનુસાર, ભારતનું છઠ્ઠું વિમાન, 5 સી -17 આઇએએફએમાં 250 થી વધુ બચાવ કર્મચારીઓ, વિશેષ સાધનો અને 135 ટનથી વધુ રાહત સામગ્રી મોકલવામાં આવી છે. ભારત ભૂકંપને કારણે કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવામાં અને ઘાયલ થયેલા લોકોને સારવાર આપવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. બચાવ ટીમ, ડોગ સ્કવોડ, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ છઠ્ઠી ફ્લાઇટમાં મોકલવામાં આવી છે. ઓપરેશન દોસ્ત હેઠળની છઠ્ઠી ફ્લાઇટ આવી ગઈ છે અને લોકોને ત્યાં મદદ કરવામાં આવી રહી છે, એવું વિદેશ ખાતાના પ્રધાને જણાવ્યું હતું.
અગાઉ એક ટ્વીટમાં વિદેશ પ્રધાને ફિલ્ડ હોસ્પિટલની કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં, ડોકટરો ઘાયલોની સારવાર કરતા જોવા મળ્યા હતા. 6 ફેબ્રુઆરીના રોજ, તુર્કીયે-સીરિયામાં ભૂકંપને કારણે 19 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
વિદેશ ખાતાના પ્રધાને ફિલ્ડ હોસ્પિટલની તસવીરો શેર કરીને લખ્યું હતું કે તુર્કેયની આ ફિલ્ડ હોસ્પિટલ ઘાયલોની સારવાર કરશે. વિદેશ મંત્રી એસ જયશંકરે એનડીઆરએફની એક તસવીર શેર કરી છે, જેમાં લખ્યું છે કે, એનડીઆરએફની ટીમ ગઝિયાંટેપમાં સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશનમાં વ્યસ્ત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુશ્કેલ સમયમાં ભારતે આપેલા મદદના હાથ માટે તુર્કેય દ્વારા ટ્વીટ કરીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular