ગુજરાતમાં સાક્લોનિક સરક્યુલેશન સક્રિય છે અને ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજ્ય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત રહેશે, તેવી આગાહી પણ કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાશે સાથે ગાજવીજ અને કરા પડવાની ઉપરાંત રાજ્યમાં મહત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી પારો ગગડશે તો લઘુતમ તાપમાન 2 થી 4 ડિગ્રી ઉંચુ જવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં તા19 માર્ચ 2023 થી 25 માર્ચ સુધીમાં બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલીમાં 41 થી 61 કિલોમીટરની પ્રતિ કલાકે પવન અને ગાજવીજ સાથે સામાન્ય મધ્યમ વરસાદ પડશે આ સાથે કરા પડવાની આગાહી કરવામાં આવી હતી. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ, જામનગર, ભાવનગર, મોરબી, સુરત અને કચ્છમાં ભારે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. બીજી બાજુ ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, બોટાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. અને તા.19મી માર્ચથી રાજ્યમાં ગરમીમાં વધારો થશે અને વાતાવરણ સુકુ રહેવાની આગાહી કરવામાં આવી હતી. જ્યારે હવામાન વિભાગ દ્વારા પણ ખેડૂતોને તૈયાર થયેલા પાકને યોગ્ય જગ્યા પર ઢાકીને રાખી દેવા માટે સૂચના આપવામાં આવી હતી.
લો હવે માર્ચ મહિનામાં કરા પડવાની પણ આગાહી
RELATED ARTICLES