વિશ્વ માતૃભાષા દિવસ નિમત્તે સરકારે જાહેરાત કરી હતી કે ત્રણથી છ વર્ષનાં બાળકો માટે ત્રણ અલગ-અલગ બાળવાટિકા શરૂ કરવામાં આવશે.
થલતેજની મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલમાંથી આજે માતૃભાષા દિવસની ઉજવણી માટેની રેલી યોજાઈ હતી. રેલી પંડિત દીનદયાળ ઓડિટોરિયમ બોડકદેવ પહોંચી હતી. ઉજવણીમાં શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર, પ્રફુલ પાનસેરિયા, મેયર, ધારાસભ્ય સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગને સંબોધતાં શિક્ષણ પ્રધાને બાળવાટિકા શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં ત્રણથી ચાર વર્ષનાં બાળકો માટે બાળવાટિકા, ચારથી પાંચ વર્ષનાં બાળકો માટે બાળવાટિકા અને પાંચથી છ વર્ષનાં બાળકો માટે બાળવાટિકા શરૂ કરવામાં આવશે.
આ અંગે કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે 1 જૂન 2023થી બાળવાટિકા શરૂ થશે. ત્રણથી ચાર વર્ષ અને ચારથી પાંચ વર્ષનાં બાળકો માટેની બાળવાટિકા આંગણવાડી હેઠળ ચાલશે. જે મહિલા અને બાળકલ્યાણ વિભાગ દ્વારા ચાલશે. જ્યારે પાંચથી છ વર્ષનાં બાળકો માટે પ્રાથમિક સ્કૂલમાં શરૂ થશે. 1 જૂન 2023 સુધી છ વર્ષની ઉંમર પૂરી થશે એ બાળકને ધોરણ 1માં પ્રવેશ પણ આપવામાં આવશે.
આ સાથે તેમણે ગુજરાતમાં અમુક અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ગુજરાતી વિષય ફરજિયાતપણે ભણાવવામાં ન આવતો હોવાથી તેમની સામે કડક પગલાં લેવાની વાત કરી હતી. જોકે ગુજરાત હાઈકોર્ટમાં પણ આ મામલે કેસ ચાલે છે.
ગુજરાતમાં હવે ત્રણ પ્રકારના બાળમંદિર શરૂ કરશે સરકાર
RELATED ARTICLES