… અને ધ્રુસકે ધુ્સકે રડી પડ્યા એનસીપીનાં એમએલએ સરોજ આહિરે

140
Times Of India

મુંબઈઃ શિંદે-ફડણવીસ સરકારના પહેલાં અર્થસંકલ્પિય અધિવેશનની આજથી શરૂઆત થઈ હતી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસનાં એમએલએ સરોજ આહિરે પોતાના ચાર મહિનાના દીકરાને લઈને વિધાન ભવન પહોંચ્યા હતા, પરંતુ ‘હિરકણી કક્ષ’ની અવસ્થા જોઈને તેમની આંખો ભરાઈ આવી હતી.
નાગપુર ખાતે થયેલાં અધિવેશનમાં પણ સરોજ આહિરે પોતાના દીકરાને લઈને આવ્યા હતા અને એ સમયે તે માત્ર અઢી મહિનાનું હતું. એક માતા અને એમએલએ એમ બંને જવાબદારી સરોજ આહિરે ઉઠાવી રહ્યા છે, પણ આજે વિધાન ભવન ખાતે ‘હિરકણી કક્ષ’ની સ્થિતી જોઈને તેમની સામે હવે તેમના દીકરાને રાખવો ક્યાં એવો સવાલ ઉપસ્થિત થયો હતો.
દીકરો બીમાર હોવા છતાં હું મારી ફરજ બજાવવા માટે સરોજ આહિરે અધિવેશનમાં આવ્યા હતા, પરંતુ ‘હિરકણી કક્ષ’ની હાલત જોઈને તેઓ નારાજ થયા હતા અને રડી પડ્યા હતા. રૂમમાં બધે જ ધૂળ જોવા મળી હતી અને હવે આવા ધૂળવાળા રૂમમાં બાળકને રાખવું કઈ રીતે એવો સવાલ પણ તેમણે ઉપસ્થિત કર્યો હતો. મુખ્ય પ્રધાન એકનાશ શિંદે એનસીપીના એમએલએ સરોજ આહિરેની મુલાકાત લીધી હતી.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને આરોગ્ય ખાતાના પ્રધાન તાનાજી સાવંત રાજ્યની બધી ઓફિસમાં બાળકોને લઈને આવતી માતાઓ માટે વ્યવસ્થા કરવી એવી માગણી પણ સરોહ આહિરે દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!