Mumbai: અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજ્યમાં રાષ્ટ્રપિત શાસન લાગુ કરવાની માંગ કરી છે. એમણે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ હવે સામાન્ય નથી રહ્યો. રસ્તા પર ગુંડાગીર્દી થઇ રહી છે. લોકો પર હુમલા થઇ રહ્યા છે. અવ્યવસ્થા વધતી જઇ રહી છે. એવામાં કેન્દ્ર સરકારે તાત્કાલિક મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરવી જોઇએ.
નવનીત રાણાએ કહ્યું છે કે શિવસેનાની ગુંડાગીર્દીનો શિકાર બની રહેલા લોકોને બચાવવા જોઇએ. નવનીત રાણાએ શિવસેનાના બળવાખોર ધારાસભ્યો અને તેમના પરિવારની સુરક્ષા વધારવાની ભલામણ કરી છે. નવનીતે કહ્યું છે કે હું અમિત શાહને એ ધારાસભ્યોના પરિવારને સુરક્ષા પ્રદાન કરવાનો અનુરોધ કરુ છું જેમણે ઉદ્ધવ ઠાકરેને છોડીને બાળાસાહેબની વિચારધારાથી જોડાયેલા રહેની પોતાનો નિર્ણય લઇ રહ્યા છે.
I request Amit Shah to provide security to families of MLAs who are leaving Uddhav Thackeray & making their own decisions, staying connected with Balasaheb's ideology. Uddhav Thackeray's goondaism should be ended…I request for President's Rule in state: Amravati MP Navneet Rana pic.twitter.com/gToy0V0Ugk
— ANI (@ANI) June 25, 2022
નવનીત રાણાએ કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેની ગુંડાગિરદી ખતમ થાય એટલે હું રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો અનુરોધ કરુ છું. નોંધનીય છે કે શનિવારની સવારથી જ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની ઓફિસમાં શિવસૈનિકો હુમલો કરી રહ્યા છે.