ગઢચિરોલીના મરકનાર ગામમાં આઝાદી પછી પહેલી વાર એસટી બસસેવા શરૂ
આમચી મુંબઈ

ગઢચિરોલીના મરકનાર ગામમાં આઝાદી પછી પહેલી વાર એસટી બસસેવા શરૂ

ગઢચિરોલી: એક સમયે નક્સલવાદી પ્રવૃત્તિના કેન્દ્ર ગણાતા મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના એક અંતરિયાળ ગામમાં આઝાદી પછી પ્રથમ વખત રાજ્ય સંચાલિત બસ સર્વિસ શરૂ થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. બુધવારે પહેલી બસ મરકનાર ગામમાં દાખલ થતા ગામ રાજ્યના માર્ગ પરિવહન નેટવર્ક સાથે સંકળાયું હતું. સ્થાનિકોએ બસનું સ્વાગત કરી રાષ્ટ્રધ્વજ ફરકાવી ખુશાલી વ્યક્ત કરી હતી.

આ બસ સર્વિસથી મરકનાર અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓ સહિત લગભગ 1 હજાર 200 રહેવાસીઓને લાભ થશે એવી જાણકારી પોલીસે આપી હતી. એવો દાવો કરવામાં આવ્યો છે કે ગઢચિરોલી પોલીસના પ્રયાસોને પગલે આઝાદી પછી પ્રથમ વખત અંતરિયાળ મરકનાર ગામથી આહેરી સુધી બસ શરૂ કરવામાં આવી છે.

Metro vaartha

છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં 420.95 કિલોમીટરના 20 રસ્તા અને 60 પુલનું નિર્માણ ગઢચિરોલી પોલીસની સુરક્ષા હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું હતું એવી માહિતી પણ પોલીસે આપી હતી. (પીટીઆઈ)

આ પણ વાંચો…મહારાષ્ટ્ર સુરક્ષા બિલ ‘શહેરી નક્સલવાદ’ સામે કડક કાર્યવાહી કરવામાં મદદ કરશે: ફડણવીસ

આ પણ વાંચો…ગઢચિરોલીમાં ચાર મહિલા સહિત પાંચ નક્સલવાદી પકડાયાં: ઘાતક શસ્ત્રો જપ્ત

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button