Homeટોપ ન્યૂઝસરકારી આવાસ ખાલી કરવાની નોટિસ પર ગુસ્સે થયા મહેબુબા, કહ્યું ભાજપ બંધારણનો...

સરકારી આવાસ ખાલી કરવાની નોટિસ પર ગુસ્સે થયા મહેબુબા, કહ્યું ભાજપ બંધારણનો નાશ કરી રહી છે

પીડીપીના વડા અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીને તેમના મુખ્ય પ્રધાનનું નિવાસસ્થાન ખાલી કરવાનું કહેવામાં આવ્યાના દિવસો પછી, અનંતનાગમાં તેમનું સરકારી નિવાસસ્થાન 24 કલાકની અંદર ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. આ ઘર તેમને સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું હતું.
સરકારી મકાન ખાલી કરવાની નોટિસ પર મહેબુબા મુફ્તી ગુસ્સે થયા હતા. તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સરકાર પર બંધારણનો ‘નાશ’ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કાશ્મીર તેના બંધારણ દ્વારા ભારત સાથે જોડાયેલું છે, પરંતુ તમે (ભાજપ) બંધારણનો નાશ કર્યો. તેમણે આ આરોપ કલમ 370 નાબૂદ કરવાના અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, “ભારત ભાજપનું નથી. જ્યાં સુધી તમે કાશ્મીર સમસ્યાનું સમાધાન નહીં કરો ત્યાં સુધી તમે ગમે તેટલા સૈનિકો અહીં મોકલો તો પણ તમને કોઈ પરિણામ જોવા નહીં મળે.

મુફ્તી સિવાય, ભૂતપૂર્વ ધારાસભ્યો મોહમ્મદ અલ્તાફ વાની, અબ્દુલ રહીમ રાથેર, અબ્દુલ મજીદ ભટ, અલ્તાફ શાહ અને અબ્દુલ કબીર પઠાણ, ભૂતપૂર્વ ધારાસભ્ય બશીર શાહ અને ચૌધરી નિઝામુદ્દીનને પણ તેમના સત્તાવાર નિવાસસ્થઆનો ખાલી કરવા નોટિસ જારી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular