Homeટોપ ન્યૂઝતો, આ ભારતીય શ્વાનો હવે પીએમ મોદીની સુરક્ષા કરશે

તો, આ ભારતીય શ્વાનો હવે પીએમ મોદીની સુરક્ષા કરશે

દેશના વડાપ્રધાનનું પદ સંભાળનાર વ્યક્તિનો જીવ હંમેશા જોખમમાં રહે છે. તેથી આ પદ પરની વ્યક્તિની સુરક્ષા માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તેઓ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક છે. તેઓ બોલ્ડ નિર્ણયો લેવા માટે જાણીતા છે. અને તેના કારણે તેમની સુરક્ષાનું ખૂબ જ પ્રાથમિકતા સાથે ધ્યાન રાખવામાં આવે છે. અત્યાધુનિક કારથી લઈને ઘાતક હથિયારોથી સજ્જ ખાસ પ્રશિક્ષિત અંગરક્ષકો, વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થામાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, પરંતુ હવે વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે નવી યોજના બનાવવામાં આવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની “મેક ઇન ઇન્ડિયા” પહેલના ભાગરૂપે, ભારતીય શ્વાનોની મુધોલ શિકારી જાતિને વડા પ્રધાનની સુરક્ષામાં સામેલ કરવામાં આવી છે. મુધોલ શિકારી શ્વાન તેમના મજબૂત શિકાર, રક્ષણ કૌશલ્ય, ચપળતા અને વફાદારી માટે જાણીતા છે.ભારતના વડાપ્રધાનનું રક્ષણ કરતા ચુનંદા સુરક્ષા અધિકારીઓના જૂથ – ગ્રુપ (SPG)એ મુધોલ શિકારી શ્વાનોને તેમની ટીમમાં સામેલ કર્યા છે.

મુધોલ શિકારી શ્વાનોની જાતિ મૂળ કર્ણાટકની છે. આ શ્વાનોને તેમની શિકારની કુશળતા માટે દેશમાં ઉપલબ્ધ ભારતીય શિકારી શ્વાનોની સૌથી શ્રેષ્ઠ જાતિઓમાંની એક માનવામાં આવે છે, જે તેમને અન્ય શ્વાનોથી અલગ પાડે છે. મુધોલ શિકારી શ્વાનો સામાન્ય રીતે ઊંચા હોય છે. આ શ્વાન લાંબા અને ઊંચા શરીર સાથે ખૂબ જ ચપળ હોય છે. આ શ્વાનો સારી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા હોવાથી ઓછા થાકેલા અને ઓછા બીમાર રહે છે. તેઓ કોઈપણ હવામાનમાં કામ કરવાની ક્ષમતા ધરાવે છે. મુધોલ શિકારીઓએ એરફોર્સ, અર્ધલશ્કરી દળ, ડીઆરડીઓ, રાજ્ય પોલીસ દળમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

કર્ણાટકમાં, ટાઇગર રિઝર્વમાં વાઘના રક્ષણ માટે મુધોલ શિકારી શ્વાનોને તૈનાત કરવામાં આવે છે.

ડૉ મહેશ આકાશી જણાવે છે કે “મુઘલ શ્વાનો શ્રેષ્ઠ ભારતીય જાતિના શ્વાનોમાંથી એક છે જેનો ઉપયોગ દેશના સર્વોચ્ચ મહાનુભાવોની સુરક્ષામાં થઈ શકે છે. તેમની તીવ્ર ધ્રાણેન્દ્રિયને કારણે તેઓ આતંકવાદીઓને ઝડપથી શોધી શકે છે અને જરૂર પડે તો તેમને મારી પણ શકે છે. આ શ્વાનોનો ઉપયોગ આતંકવાદીઓનો શિકાર કરવા માટે પણ થઈ શકે છે. તાલીમ પછી તેઓ ભીડમાંથી શંકાસ્પદ વ્યક્તિઓને શોધી કાઢવામાં પણ સક્ષમ હોય છે. તેઓ બોમ્બ અને ડ્રગ્સ પણ શોધી શકે છે. તેઓ શિકારીઓ છે અને તેમની મૂળ વૃત્તિ પ્રાણીઓનો શિકાર કરવાની છે. તેઓ ભારતમાં ઉપલબ્ધ સૌથી શ્રેષ્ઠ શિકારી જાતિઓમાંથી એક છે.”

ડો. આકાશીએ એમ પણ કહ્યું હતું કે મુધોલ શિકારી શ્વાનોની ધ્રાણેન્દ્રિય મનુષ્યો કરતાં 10,000 ગણી વધારે તેજ છે અને તેમની દ્રષ્ટિ પણ મનુષ્ય કરતાં લગભગ 5,000 ગણી વધારે તેજ છે, જે તેને સુરક્ષા દળો દ્વારા ઉપયોગમાં લેવા માટે એક સંપૂર્ણ શ્વાન બનાવે છે. આ શ્વાન અત્યંત જાગ્રત અને સચેત છે.
આ જાતિ લેબ્રાડોર્સ અથવા તે બાબત માટે જર્મન શેફર્ડ કે જે હાલમાં દેશના અન્ય સુરક્ષા દળો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે તેનાથી કેવી રીતે અલગ છે તે અંગે પૂછવામાં આવતા, ડૉ. આકાશીએ કહ્યું, “મુધોલ હાઉન્ડ એક ભારતીય જાતિ છે અને તે ભારતીય વાતાવરણમાં ખૂબ જ સારી રીતે અનુકૂલિત છે. તેઓ અત્યંત વફાદાર છે અને લેબ્રાડોર અથવા વિદેશી જાતિઓથી વિપરીત તેમની જાણવણીનો ખર્ચ ઓછો આવે છે.”

મુધોલ શિકારી શ્વાનો 34 ઇંચની ઊંચાઈ સુધી વધી શકે છે, સામાન્ય રીતે દેખાવમાં પાતળો અને ઊંચો દેખાય છે અને તેનું વજન 28 કિલો સુધીનું હોય છે. તેઓ ભારતમાં સરળતાથી ઉપલબ્ધ છે અને ભારતીય પર્યાવરણ માટે ખૂબ જ અનુકૂલનશીલ છે, ઓછી જાળવણીની જરૂર છે. તેમનો માસિક રાખવાનો ખર્ચ રૂ. 4,000 થી રૂ. 6,000 ની વચ્ચે હોઈ શકે છે. SPGએ ગયા વર્ષે એપ્રિલમાં સુરક્ષા વિગતના ચુનંદા જૂથનો ભાગ બનવા માટે મુધોલ હાઉન્ડની પસંદગી કરી હતી અને તેમને છ મહિનાથી વધુની તાલીમ આપ્યા પછી ગયા વર્ષે ડિસેમ્બરથી વડા પ્રધાનની સુરક્ષા માટે સેવામાં મૂકવામાં આવ્યા હતા. હાલમાં, SPG દ્વારા વડાપ્રધાનની સુરક્ષા માટે ચાર મુધોલ શિકારીઓનો ઉપયોગ કરવામાં આવે છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે એસપીજીએ ભારતીય કૂતરાઓની અન્ય બે જાતિઓનો અભ્યાસ કર્યો હતો. તેમાંથી એક રામપુર ગ્રેહાઉન્ડ છે. જોકે, અંતે તેઓએ તેમની ઉત્તમ શિકાર કુશળતા અને વૃત્તિ માટે મુધોલ શિકારી શ્વાનો લેવાનો નિર્ણય કર્યો હતો.

મુધોલ હાઉન્ડનો ઉપયોગ ભારતીય સેના અને અર્ધલશ્કરી દળો દ્વારા દેશના વિવિધ ભાગોમાં પહેલેથી જ કરવામાં આવી રહ્યો છે. સેના લગભગ 20 મુધોલ શિકારીઓને ભારત-પાક સરહદે લઈ ગઈ છે, જ્યારે BSF પણ તેમાંથી કેટલાકનો ઉપયોગ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે મુધોલ શિકારી પ્રાણીઓનો સૌપ્રથમ ઉછેર હાલના કર્ણાટકના મુધોલના ડેક્કન રાજ્યના રાજા માલોજીરાવ ઘોરપડે દ્વારા કરવામાં આવ્યો હતો. કર્ણાટકના બાગલકોટ વિસ્તારમાં આ એક સામાન્ય કૂતરો છે. કર્ણાટકના કેનાઇન રિસર્ચ એન્ડ ઇન્ફર્મેશન સેન્ટર કે જે આ જાતિને ઉછેર કરે છે તેના અનુસાર, ભારતીય સુરક્ષા દળોએ પહેલાથી જ 40 મુધોલ શિકારીઓને મહાનુભવોની સુરક્ષા માટે રાખ્યા છે અને તેમને સેવા અને તાલીમ આપવામાં આવી રહી છે. ભારતીય નૌકાદળે પણ આ શ્વાન માટેની જરૂરિયાતો સંસ્થાને મોકલી છે જે આગામી મહિનાઓમાં પૂરી કરવામાં આવશે.

ડો. આકાશીના જણાવ્યા અનુસાર, શ્વાનને સંબંધિત સુરક્ષા દળો દ્વારા ચાર મહિનાની ઉંમરે સંસ્થામાંથી શ્વાનને લેવામાં આવે છે અને તેમને ઓછામાં ઓછા છ મહિના માટે તાલીમ આપવામાં આવે છે, ત્યારબાદ તેને સેવામાં સામેલ કરી શકાય છે. “કૂતરાને બે વર્ષ સુધી તાલીમ આપી શકાય છે અને પછી સેવામાં મૂકી શકાય છે. સેના તેમને સેવામાં મૂકતા પહેલા દોઢથી બે વર્ષ સુધી તાલીમ આપી રહી છે. અમારા ઘણા શ્વાન સરહદી વિસ્તારોમાં તહેનાત છે. તેઓ ઓછામાં ઓછા છ થી સાત વર્ષ સુરક્ષા દળોમાં સેવા આપી શકે છે અને સામાન્ય રીતે તેઓનું આયુષ્ય 10 થી 15 વર્ષ હોય છે,” ડો આકાશીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular