Homeટોપ ન્યૂઝમણીપુરમાં સ્કૂલ બસને નડ્યો ભીષણ અકસ્માતઃ 15 વિદ્યાર્થીનાં મોતની શંકા

મણીપુરમાં સ્કૂલ બસને નડ્યો ભીષણ અકસ્માતઃ 15 વિદ્યાર્થીનાં મોતની શંકા

મણીપુરમાં નોની જિલ્લામાં સ્કૂલ બસના અકસ્માતમાં 15 વિદ્યાર્થીના મોત થયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને લઈ જતી બે સ્કૂલ બસના ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા આ ભીષણ અકસ્માત સર્જાયો હતો, જ્યારે તેમાં અનેક વિદ્યાર્થી જખમી થયા હોવાના પ્રાથમિક સમાચાર છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ બનાવ નોલી જિલ્લાના વિષ્ણુપુર ખૈપુર રોડ વચ્ચે બન્યો હતો, જ્યારે બંને બસ થમ્બલનુ હાયર સેકન્ડરી સ્કૂલની છે. આ બસ સ્ટડી ટૂર માટે ખૌપૂમ જઈ રહી હતી. આ અકસ્માતમાં અનેક વિદ્યાર્થી ઘાયલ થયા છે, જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે ઈમ્ફાલની મેડિસિટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અત્યાર સુધી અહીંની હોસ્પિટલમાં 20થી વધુ વિદ્યાર્થીને દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માત અંગે મણિપુરના મુખ્ય પ્રધાન એ. બીરેન સિંહે દુઃખ વ્યક્ત કર્યું હતું. કછાર રોડ પરની સ્કૂલ બસના અકસ્માતની વાત જાણીને બહુ દુઃખ થયું છે તથા આ અકસ્માતથી પ્રશાસન અલર્ટ થઈ ગયું છે. ઘટનાસ્થળે એસડીઆરએફ, મેડિકલની ટીમ પહોંચી છે અને તમામને સુરક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરું છું. મુખ્ય પ્રધાને આ અકસ્માતનો વીડિયો પણ ટવિટ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular