Homeટોપ ન્યૂઝતો આ તારીખે લગ્નના બંધનમાં બંધાઇ જશે કિયારા અને સિદ્ધાર્થ...

તો આ તારીખે લગ્નના બંધનમાં બંધાઇ જશે કિયારા અને સિદ્ધાર્થ…

બી-ટાઉનના સૌથી ચર્ચિત અને લવલી કપલ્સમાંથી એક સિદ્ધાર્થ અને કિયારા અડવાણી લાંબા સમયથી તેમના લગ્નને લઈને સમાચારોમાં ચમકી રહ્યા છે. જોકે, બંનેએ હજુ સુધી તેમના લગ્નને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો હલ્દીથી લઈને સંગીત, મહેંદી, સ્થળ વગેરેની તારીખો નક્કી કરવામાં આવી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ચાહકો તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પણ એવું લાગે છે કે દંપતી પોતે આ વિશે કંઈપણ જાહેર કરવા માંગતા નથી. હાલમાં એવા અહેવાલો છે કે બંનેના લગ્ન પહેલાના ફંક્શન એટલે કે મહેંદી, સંગીત, હલ્દી માટે 4 અને 5 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે.
કિયારા અને સિદ્ધાર્થના લગ્નને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ બંનેના ભવ્ય લગ્ન થવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કરશે. આ કપલ 6 ફેબ્રુઆરી, 2023ના રોજ રાજસ્થાનની જેસલમેર હોટલમાં લગ્ન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular