Homeટોપ ન્યૂઝખાલિસ્તાનીઓએ લંડનમાં ભારતીય દૂતાવાસ પરથી તિરંગો હટાવ્યો, ભારતે આપ્યો વળતો જવાબ

ખાલિસ્તાનીઓએ લંડનમાં ભારતીય દૂતાવાસ પરથી તિરંગો હટાવ્યો, ભારતે આપ્યો વળતો જવાબ

પંજાબમાં ખાલિસ્તાની સમર્થકો વિરુદ્ધ થઇ રહેલા મેગા ઓપરેશનના પડઘા ઇંગ્લેન્ડના લંડનમાં પડી રહ્યા છે. રવિવારે લંડનમાં ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશનની બિલ્ડીંગ પરથી ભારતીય ત્રિરંગાને કાઢીને ફેંકી દીધો હતો. જો કે હવે ભારતીય દુતાવાસે પહેલા કરતા પણ મોટો તિરંગો લહેરાવીને ખાલીસ્તાનીઓને વળતો જવાબ આપ્યો છે.
ગઈકાલે રવિવારે આ ઘટનાના ઘણા વીડિયો સામે આવ્યા હતા. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે ખાલિસ્તાની સમર્થકોએ લંડનમાં ભારતીય હાઈ કમિશનરની બિલ્ડીંગ પરથી ત્રિરંગો હટાવી દીધો હતો અને ખાલિસ્તાની ઝંડો લગાવ્યો હતો.

“>

યુકેમાં ખાલિસ્તાન સમર્થકોના એક જૂથે રવિવારે 19 માર્ચના રોજ ભારતીય હાઈ કમિશનની બહાર અલગતાવાદી નેતા અમૃતપાલના સમર્થનમાં ધ્વજ અને પોસ્ટરો સાથે વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા હતા.. આ દરમિયાન તેમણે ભારત વિરોધી નારા પણ લગાવ્યા હતા. વાયરલ વીડિયોમાં એક ખાલિસ્તાની સમર્થક ભારતીય ધ્વજ ઉતારતો જોવા મળી રહ્યો છે. ખાલિસ્તાની સમર્થકોના પ્રદર્શનને રોકવા માટે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
પંજાબમાં આ અઠવાડિયે રવિવાર 19 માર્ચ સુધીમાં અમૃતપાલના કુલ 112 સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ હાલ ફરાર છે જેને ટૂંક સમયમાં જ પકડી લેવામાં આવશે એવો દાવો પંજાબ પોલીસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -