Homeટોપ ન્યૂઝજાપાનના PM ભારતની મુલાકાતે: રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી, PM...

જાપાનના PM ભારતની મુલાકાતે: રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી, PM મોદી સાથે ચર્ચા કરી

જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા આજે ભારતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. દિલ્હી પહોંચતા જ તેઓ સૌથી પહેલા રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. પીએમ ફ્યુમિયો કિશિદાએ રાજઘાટ પર વિઝીટર્સ બૂકમાં હસ્તાક્ષર કર્યા અને તેમને મહાત્મા ગાંધીના જીવનચરિત્ર પર લખેલા પુસ્તકો ભેટ આપવામાં આવ્યા.
જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા રાજઘાટથી સીધા દિલ્હીના હૈદરાબાદ હાઉસ પહોંચ્યા, જ્યાં વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું. અહીં બંને પક્ષોએ પ્રતિનિધિમંડળ સ્તરે પરસ્પર હિતના દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી. આ વર્ષે જાપાન G7ની અધ્યક્ષતા કરી રહ્યું છે અને ભારત G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. G7 અને G20 ના પ્રમુખપદ તરીકે બંને દેશોની પ્રાથમિકતાઓ અંગે ચર્ચા થઇ.
જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ કહ્યું- મેં આજે પીએમ મોદીને હિરોશિમામાં યોજાનારી જી-7 સમિટ માટે આમંત્રણ આપ્યું હતું અને તેમણે તેનો સ્વીકાર કર્યો છે. પીએમ મોદીએ કહ્યું- હું પીએમ કિશિદાનું ભારતમાં સ્વાગત કરું છું. છેલ્લા એક વર્ષમાં હું તેને ઘણી વખત મળ્યો છું. હું હંમેશા બંને દેશો વચ્ચેના સંબંધો વિશે હકારાત્મક અનુભવ કરું છું. આજે મેં તેમની સાથે અમારા G-20 પ્રેસિડન્સીની પ્રાથમિકતાઓ વિશે વાત કરી. અમારો ધ્યેય બધાને સાથે લઈ ચાલવાનો છે.
ફ્યુમિયો કિશિદા થિંક ટેન્ક ઇવેન્ટમાં પણ હાજરી આપશે, જ્યાં તેઓ સંબોધનમાં મુક્ત ઈન્ડો-પેસિફિક પ્રદેશ માટેની તેમની યોજનાઓનું અનાવરણ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -