Homeટોપ ન્યૂઝજમ્મુ-કાશ્મીર: પુલવામા-અવંતીપોરામાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીર: પુલવામા-અવંતીપોરામાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીરના પુલવામા અને અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. અવંતીપોરામાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
સોમવારે મધ્યરાત્રિ પછી દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પદગામપોરામાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. જેમાં એક આતંકી માર્યો ગયો હતો. પોલીસે એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે, પરંતુ આતંકવાદીની ઓળખ જાહેર કરી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકવાદી કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યામાં સામેલ હોઈ શકે છે. સેનાના બે જવાનો ઘાયલ થયાના પણ અહેવાલો છે.
નોંધનીય છે કે રવિવારે પુલવામામાં પત્ની સાથે બજારમાં જઈ રહેલા કાશ્મીરી પંડિત બેંક ગાર્ડ સંજય શર્માની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હત્યારાઓ પદગામપોરામાં છુપાયા હોવાની માહિતી મળતાં સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. હુમલા બાદથી પોલીસ અને સુરક્ષા દળોની ટીમ સતત હત્યારાઓની શોધમાં છે.
સંજય શર્માના સોમવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મુસ્લિમ પડોશીઓએ ભાઈચારાનું ઉદાહરણ આપ્યું હતું. તેઓએ એક પરિવારની જેમ સંજય શર્માના અંતિમ સંસ્કારમાં મદદ કરી હતી.
સ્થાનિક રહેવાસી મુદસ્સીર અહેમદે કહ્યું કે, જ્યારે અમને સંજય શર્માની હત્યાના સમાચાર મળ્યા ત્યારે અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ગામમાં દરેકને સંજય શર્માના પરિવાર સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો છે.
સંજય શર્માના સંબંધીઓએ કહ્યું કે ગામના મુસ્લિમ પરિવારો હંમેશા મુશ્કેલી અને જરૂરિયાતના સમયે તેમની મદદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular