જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
દેશલપુર (કંઠી)ના ઉદય જાદવજી ભારાણી (ઉં.વ. ૭૨), તા. ૧-૧૧-૨૨ના અવસાન પામેલ છે. મણીબાઇ જાદવજીના પુત્ર. સુશીલાના પતિ. દિવ્યેશ, કલ્પેશના પિતા. બિદડાના મોતીબેન શીવરાજ, ભુજપુરના મધુરી મગનલાલ, ગુંદાલાના જયા માણેકલાલ, રતીલાલ, વિજયના ભાઇ. લુણીના લધીબાઇ દેવજી કરમશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કલ્પેશ ભારાણી, ૧૦૧/એ, સમીર, આત્મારામ સાવંત માર્ગ, કાંદિવલી (ઈ.).
વડાલા હાલે કોલ્હાપુરના રૂક્ષ્મણીબેન વિશનજી ગાલા (ઉં.વ. ૮૪) તા. ૩૦-૧૦-૨૨ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. ઉમરબાઇ રવજી વિજપારના પુત્રવધૂ. વિશનજીના ધર્મપત્ની. હેમલત્તા (ચંદ્રીકા), રસીક, મહેન્દ્રના માતુશ્રી. મુન્દ્રાના ખેતબાઇ વેલજી શીવજીના પુત્રી. સ્વ. કલ્યાણજી, સ્વ. પદમશી, સ્વ. મુલચંદ, સ્વ. કમલકાંત, મંજુલા, સ્વ. લક્ષ્મીબાઈના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. રસીક વીશનજી ગાલા, ૨૦૮ પદ્મ પૂજા પુરમ્, નાગાળા પાર્ક, કોલ્હાપુર.
મોટા કપાયા હાલે મુન્દ્રાના ગં.સ્વ. લક્ષ્મીબેન મુલચંદ સંગોઈ (ઉં.વ. ૭૯) તા. ૧/૧૧/૨૨ના કાળધર્મ પામેલ છે. ભચીબાઈ ઉમરશી જેવતના પુત્રવધૂ. મુલચંદના પત્ની. ભુજપુરના માતુશ્રી પુરબાઈ વેલજી દેઢિયાના પુત્રી. સ્વ. નિશા, મનોજ, નેના, રાજેશ, શિલ્પાના માતુશ્રી. ગેલડાના ભાણબાઈ ઉમરશી સૈયા, નવીનારના મણીબેન કુંવરજી વોરા, સ્વ. શિવજી, સંસાર પક્ષે મુકતાબાઈ મહાસતીજીના બેન. (પ્રાર્થના સભા રાખેલ નથી) સરનામું: મુલચંદ સંગોઇ, ઓશવાળ શેરી મુન્દ્રા કચ્છ.
સ્થાનકવાસી જૈન
પોરબંદર હાલ મીરા રોડ દિનેશભાઇ શાહ (જીતુભાઇ) (ઉં.વ. ૬૪) તે સ્વ. દમયંતીબેન હરકિશન શાહ (માસ્ટર)ના પુત્ર. સ્વ. લલિતભાઈ (ભીખાભાઇ), સ્વ. શૈલેષભાઈ, સ્વ. ભારતીબેન, જતીનભાઈના ભાઈ. રાજુલબેનના પતિ. સ્વ. ધનીબેન નગીનદાસ શાહ પોરબંદરના જમાઈ. ૨૫/૧૦/૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જેસર નિવાસી હાલ બોરીવલી સ્વ. નર્મદાબેન પ્રેમચંદ હીરાચંદ દોશીના પુત્ર બકુલભાઈ (ઉં.વ. ૬૮) તે ૩૦/૧૦/૨૨ના અરિહંતશરણ પામેલ છે. નિર્મળાબેનના પતિ. વજુભાઇ, સ્વ. પ્રવીણભાઈ, મહેન્દ્રભાઈ, ભારતીબેન ગુણવંતરાય, મંજુબેન વસંતરાય, મંગુબેન હર્ષદભાઈ, ધનીબેન ચંદ્રકાંતભાઈના ભાઈ. ચિરાગ-નીતા, જલ્પા ચિરાગ દોશી, શ્ર્વેતા સુધીર ધામેલીયાના પિતા. પીપરાળીવાળા સ્વ. જયંતીલાલ જીવનલાલ મહેતાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલ હાલ મીરા રોડ સ્વ. દિવાળીબેન ગિરજાશંકર હેમાણીના પુત્ર ધીરુભાઈ (ઉં.વ. ૯૩) તા. ૩૧.૧૦.૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે મંજુલાબેન વરજીવનદાસ શેઠના જમાઈ. તે સ્વ. ઉર્મીલાબેનના પતિ. તે બચુભાઈ, રમણીકભાઈ, નવલભાઈ, શાંતાબેન નવલચંદ દોશી, સવિતાબેન અમૃતલાલ કોટીચાના ભાઈ. તે નિરંજનભાઈ, કુમારભાઈ તથા વીણાબેન અનંતરાય ઘેલાણીના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કચ્છી ગુર્જર જૈન
શ્રી ચંદ્રકાંતભાઈ વચ્છરાજ દોશી કચ્છ અંજાર, હાલે ઘાટકોપર (ઉં.વ. ૭૫), તા. ૧-૧૧-૨૨ મંગળવારના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. સૂરજબેન શાંતિલાલ દોશીના સુપુત્ર. તે હેમલતાબેનના પતિ. તથા સ્વ. સુશીલાબેન હિરાલાલભાઈ શાહ અંજારના જમાઈ. તથા નિપા ચેતનભાઈ વોરા, પિન્કી હિતેશભાઈ શેઠ, ક્ધિનરી વિશાલભાઈ ક્ષત્રિયના પિતાશ્રી. તથા ચાર્મી-દિવ્યેશ, વરૂણ, હર્ષ તથા સાન્યાના નાનાજી. પ્રાર્થનાસભા તા. ૩.૧૧.૨૨ને ગુરુવાર સમય : ૩.૩૦ થી ૫. સ્થળ : શ્રી માટુંગા ગુર્જર વાડી (પાખાડી), લક્ષ્મી નારાયણ લૅન, માટુંગા (સેં.રે.).
ઝાલાવાડ દશા શ્રીમાળી દેરાવાસી જૈન
સુદામડા નિવાસી હાલે મલાડ ચંદ્રકાંત વિરચંદ શાહ (મસ્કારીયા)ના સુપુત્ર પરીમલ (ઉં.વ.૫૫) તા. ૨-૧૧-૨૨ને બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે હીનાબેનના પતિ. સ્વ. રાજલ રાજેન્દ્રકુમાર બેકલ, રૂપલ રાજેષ મેહતા, કુ. બિજલના ભાઈ. જે ધ્રાંગધ્રા નિવાસી હાલે કાંદિવલી સ્વ. રશીકલાલ ચતુરદાસ દોષીના જમાઈ. અનીતા સાગર, સુરુચી પાર્થ, કુ. કુંજન, કુ. હીરનાં મામા. સ્વ. કિરીટભાઈ, કમલેશભાઈ, સંગીતા પરેશકુમારના બનેવી. પ્રાર્થનાસભા તા. ૪-૧૧-૨૨ના શુક્રવારે, સમય ૩થી ૫. સ્થળ: લાડ પરિસદ ભવન, લીબર્ટી ગાર્ડન રોડ નં.૪, આયોજન નગર, મલાડ (વેસ્ટ).
વાગડ વિ.ઓ.જૈન
ગામ આધોઈના કસ્તુર ધનજી ડાઘા (ઉં.વ.૫૯) તા. ૧-૧૧-૨૨ના રોજ અવસાન પામેલ છે. સ્વ. ગંગાબેન વિસનજી નાથા ડાઘાના પુત્રવધૂ. ધનજીના ધર્મપત્ની. હિરેન, કાજલના માતુશ્રી. સ્વ. લક્ષ્મીબેન મણશીના દેરાણી, સ્વ. ખીમઈબેન હિરજી ભોજરાજ ચરલાના સુપુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. સ્થળ: ૩૩/૨૦ બીજે માળે, જવાહરનગર રોડ નં. ૪, ગોરેગામ (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. દોલત્તરાય દુર્લભજી ગાંધીના ધર્મપત્ની ગં.સ્વ. જયાલક્ષ્મી (ઉં.વ.૮૬) તે સ્વ. જગદીશભાઈ, નિલેશભાઈ, સ્વ. યોગેશભાઈ, સ્વ. ભારતીબેન જશવંતરાય, પ્રફુલ્લા દિલીપભાઈ, કલ્પનાના માતુશ્રી. કુ. નિક્કીના દાદી. તે સ્વ. રમણીકભાઈ, સ્વ. પ્રતાપભાઈ, સ્વ. વૃજલાલભાઈ, શાંતિલાલ દુર્લભજી, સ્વ. હિરાબેન, સ્વ. કંચનબેન દેસાઈ, સ્વ. ઉષાબેન બોટાદરા, હસાબેન ચંદ્રકાંતભાઈના ભાભી. તે વિસાવદર નિવાસી હાલ ભાયંદર કરશન કુરજીભાઈ શેઠના દીકરી. તા. ૨-૧૧-૨૨, બુધવારના રોજ અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થના-લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા પોરવાલ જૈન
ગામ સાંડેરાવ (રાજ.) હાલ સાયન સ્વ. પ્રેમચંદજી વોમાજી સાકરીયાના સુપુત્ર, શ્રીમતી હીરાબેનના પતિ, સ્વ. છોગીબેન સ્વ. સાકલચંદજી નેનુબેન ભવરીબેનના ભાઈ. રમેશ મહેન્દ્ર પ્રભા દિલીપ રાજેશ રેખા સ્વ. પ્રદીપ જીતેન્દ્ર છાયાબેન જયાબેન શીતલ કુંજના પિતાશ્રી ધીસુલાલ પ્રેમચંદજી સાકરીયા (ડા.આર.પી.જૈન)(ઉં.વ.૭૭) મંગળવાર, તા. ૧-૧૧-૨૨નાં દિવસે ગામ મુંબઈમાં થયું છે. તેમની ભાવયાત્રા ગુરુવાર, તા. ૩-૧૧-૨૨ દિવસે સવારે ૧૧થી ૧ સુધી રાખેલ છે. ઠેકાણું: લુણાવા ભવન, રાણીબાગ પાસે, ભાયખલા. સાસરા પક્ષ રાણીગામ (રાજ) નિવાસી શા ભબૂતમલજી હજારીમલજી મુઠલીયા, હુકમાજા કરીગંજાવાલા.