જૈન મરણ
વાડા, પુના હાલ કલ્યાણ ગં. સ્વ. રત્નાબેન શાહ (ઉં.વ. ૮૨) તા. ૮-૧૧-૨૨ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રસિકલાલ ભિકચંદ શાહના ધર્મપત્ની. સ્વ. નિતિનભાઈ, સ્વ. વસંતબેન શાંતિલાલ શાહના ભાભી. સ્વ. પૂર્ણિમાબેન નિતિનભાઈ શાહના જેઠાણી. હેમાક્ષીબેન, કુમારભાઈના માતુશ્રી. હેમેન્દ્રકુમાર બાબુભાઈ શાહના સાસુ. નિશાંતના નાની. સ્વ. બાળકપા યસ પપા ગંગઈના દિકરી. લૌકિક વ્યવહાર બંધ છે. રહેઠાણ: ૪, શિવ શક્તિ એપાર્ટમેન્ટ, ઝુંઝારરાવ નગર, ન્યુ શિવાજી પથ, કલ્યાણ વેસ્ટ.
વાગડ વિ. ઓ. જૈન
ગામ આઘોઈના જયાબેન કેશવજી ગુણશી ગીંદરા (ઉં.વ. ૭૧) મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. મધીબેન ગુણશી ધનજીના પુત્રવધૂ. રસિક, રાજેશ, સુરેશ, વૈશાલીના માતુશ્રી. પ્રીતિ, દિપ્તી, નિશા, લાકડીયાના મનીષ મણીલાલ ગાલાના સાસુ. રીહેન, રીખવ, સ્તુતી, રીયા, ક્રિના, હિરલના દાદી. પ્રાર્થનાસભા તા. ૧૧-૧૧-૨૨, શુક્રવારના ૨.૩૦ થી ૪. પ્રાર્થના સ્થળ: એમ. એમ. પ્યુપિલ્સ સ્કૂલ સ્ટેશનની બાજુમાં, એસ. વી. રોડ, ખાર (વેસ્ટ). પ્રાર્થના પછી બરવીધી રાખેલ છે.
ઝાલા દશાશ્રી દેરાવાસી જૈન
સાયલા તથા ભાવનગર હાલ ગોરેગાંવ સ્વ. અરવિંદભાઈ શામળદાસ મહેતાના ધર્મપત્ની સરોજબેન (ઉં.વ. ૮૮) તા. ૯-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયાબેન બળવંતભાઈ, સ્વ. શારદાબેન કાન્તીભાઈ, ગં. સ્વ. ચંદ્રિકાબેન બીપીનભાઈ, ગં. સ્વ. જયોત્સનાબેનના ભાભી. પુત્ર-પુત્રવધૂ- અનિલા દિનેશ મહેતા, ચેતના વિનિત મહેતા, કરૂણા જીતેન – વર્ષા અજયના માતુશ્રી. પિયર પક્ષ લીંબડી નિવાસી સ્વ. હિરાબેન હિંમતલાલ કામદારના પુત્રી. સ્વ. મધુબેન, વિનુભાઈ, સુનિલભાઈ, રજતભાઈ, સ્વ. અનસુયાબેન કોઠારી, હર્ષાબેન પટેલના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ટુંડાના અ.સૌ. હેમલતા લહેરી દેઢીયા (ઉં.વ. ૫૯) ૮-૧૧-૨૨ના અવસાન પામ્યા છે. કસ્તુરબેન મગનલાલના પુત્રવધૂ. લહેરી દેઢીયાના ધર્મપત્ની. હીરબાઇ ભવાનજી સોજપારના પુત્રી. મોટા આસંબીયાના કલ્પના રાજેશ પદમશીના બેન. પ્રા. યોગી સભાગૃહ (દાદર) ટા. ૩ થી ૪.૩૦ નિ. લહેરી દેઢીયા, ૭૦૨, પેરેડાઇઝ પ્લાઝા, નવરોજી લેન, ઘાટકોપર (વે.).
ટુંડાના હરખચંદ નરશી છેડા (ઉં.વ. ૭૬), તા. ૮-૧૧-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. સાકરબાઇ નરશીભાઇના પુત્ર. તરૂણાના પતિ. હર્ષ નિખિલ લતિકાના પિતા. સ્વ. સુરજી, સ્વ. કસ્તુરબેન નિર્મળાબેન નરેન્દ્રના ભાઇ. નાના ભાડીયાના સ્વ. વેલબાઇ ઉમરશી રામજી મારૂના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા.સં.સં. કરશન લધુ નિસર હોલ, દાદર (વે.), ટા. ૨ થી ૩.૩૦.
શેરડીના અ.સૌ. મીતાબેન (મંજુલા) વિનોદ હરિયા (ઉં.વ. ૭૧) તા. ૯-૧૧-૨૨ના અવસાન પામેલ છે. દમયંતીબેન વિશનજીના પુત્રવધૂ. વિનોદના પત્ની. વિવેક, કુણાલના માતુશ્રી. છસરા કાંતાબેન ગાંગજી (બાબુભાઇ) દેવજી ગંગરના પુત્રી. છસરાના રમેશ, કિશોર, સુરેન્દ્ર, ભરતના બેન. પ્રા. શ્રી વર્ધમાન સ્થા. જૈન સં. સં. કરસન લધુ નિસર હોલ, ટા. ૪ થી ૫.૩૦.
ઘોઘારી દશા શ્રીમાળી જૈન
ગારિયાધાર હાલ ઘાટકોપર મધુકર (ઉં.વ. ૭૪) તે સ્વ. જ્યોત્સનાબેન રમણલાલ શાહના સુપુત્ર. દક્ષાબેનના પતિ. જતીન, વિશાલના પિતા. નિશા તથા પ્રીતિના સસરા. સ્વ. શાંતિલાલ વીરાના જમાઈ. ૧૦/૧૧/૨૨ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મેંદરડા હાલ વાલકેશ્ર્વર અ. સૌ. રીટા (કનક) રાજેશ કામાણી (ઉં. વ. ૬૬) તા. ૧૦-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. અરુણાબેન ગોરધનદાસ કામાણીના પુત્રવધૂ. રાજેશભાઇ કામાણીના પત્ની. ચિ. સ્તવન, વ્યોમા પ્રણવ મહેતાના માતુશ્રી. સ્વ. ચંદનબેન, જયંતીલાલ ઉદાણીના સુપુત્રી. સ્વ. ડો. પુષ્પાબેન જશવંતભાઇ, સ્વ. મંજુલાબેન અરવિંદભાઇ, સ્વ. તરુણભાઇ, સ્વ. વિપીનભાઇ, શીલાબેન મુકેશભાઇ, જયોતિબેન યોગેશભાઇના બેન . લૌકીક પ્રથા બંધ રાખેલ છે. ઝુમ મિટિંગ
રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ ઘાટકોપર શ્રીમતી ગજરાબેન ચુનીલાલ મુળચંદ દોશીના સુપુત્ર સુરેશભાઈનાં ધર્મપત્ની ભારતીબેન (ઉં.વ.૬૯) તા. ૯-૧૧-૨૨ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તે સિદ્ધિ નિમેષ દોશી તથા હેતલ નિલેશ મુંદરા તથા પારસના માતુશ્રી તથા જય, મહેક તથા સમીરાના નાની. મહેશભાઇ, કુમારભાઇ, અનિલભાઇ તથા રક્ષાબહેન હરેશકુમારના ભાભી. પિયરપક્ષે મહુવાવાળા હાલ મુલુંડ સવિતાબેન હિંમતલાલ વૃજલાલ દોશીના સુપુત્રી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
સોરઠ વિશાશ્રીમાળી જૈન
કુતિયાણાના હાલ માટુંગા હસમુખલાલ અમૃતલાલ શાહના ધર્મપત્ની અ. સૌ. પુષ્પાબેન (ઉં. વ. ૭૮) તે દીપક, રુપા પુરુષોત્તમ ગગ્ગર, મીના દિવ્યેશ દોશી, જયશ્રી અમિત શાહ, અંજના, હિમાંશુ શાહ, પારુલ સોહિન મર્ચન્ટના માતુશ્રી. જીજ્ઞાના સાસુ. તે સ્વ. ઉમેદભાઈ, અનિલભાઈ તથા નરેશભાઈના ભાભી. પિયર પક્ષે છનગલાલ પાનાચંદ મહેતાના દીકરી તે ગુરુવાર, ૧૦-૧૧-૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સત્તાવીસ એકડા જૈન
ઘડકણ (હાલ મુંબઈ)ના સ્વ. પ્રવિણભાઈ પોપટલાલ શાહના ધર્મપત્ની હંસાબેન (ઉં. વ. ૭૫) ૧૦-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે ચેતન અને કેયુરના માતા. નિપા, મમતાના સાસુ. આગમ અને દીયાના દાદી. છાયા-હસમુખ, કલ્પના-ભૂપેન્દ્ર, નયના- અશ્ર્વીનકુમારના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે. ૩૯, ખોતાચી વાડી, ગીરગામ, મુંબઈ-૪૦૦૦૦૪.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
લીંબડીના હાલ ઘાટકોપર અશોક (ઉં. વ. ૬૯) તે સ્વ. ઈન્દુમતીબેન તથા સ્વ. જયંતિલાલભાઈ ખંધારના પુત્ર. તે રક્ષાબેનના પતિ. તે શ્રેણીક- દિશા, ફોરમ- રૂષભના પિતાશ્રી. તે સ્વ. યોગેશભાઈ રમીલાબેન, જનકભાઈ, માનસીબેન, શોભાબેન રમેશભાઈ પરીખ, મીનાબેન ભરતભાઈ ગોસળીયા, રેણુકાબેન મહેશભાઈ મહેતાના ભાઈ. તે સ્વ. મધુકાન્તાબેન, સ્વ. અનિલભાઈ નાગરદાસ ટીલીયા (શાહ)ના જમાઈ. તે વિયાન, રિહાનના દાદાશ્રી ૬-૧૧-૨૨ના અરિહંતશણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૨-૧૧-૨૨, શનિવારના ૪ થી ૬. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઈ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.