જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. લીલાવંતી નંદલાલ પોપટલાલ વિરાણીના સુપુત્ર વિપીનકુમાર (ઉં. વ. ૭૪) તા. ૧૦-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે બિનાબહેનના પતિ. આત્મન, આત્મિના પિતા. ખ્યાતિના સસરા. ગોયમના દાદા. ડો. ભુપતભાઇ, હર્ષદભાઇ, ડો. રશ્મિભાઇ ડો. વિજયભાઇ, વિપુલભાઇ અને મીનાબેન શરદભાઇ દોમડીયાના ભાઇ. તે સ્વ. રાજીવ, સંજીવના બનેવી અને વનીતાબેન હર્ષદરાય પારેખના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
નવાવાસ (દુર્ગાપુર)ના રસિકભાઇ ગડા (ઉં. વ. ૭૪) ૧૦-૩-૨૩ના અવસાન પામેલ છે. વેલબાઇ વિજપાર નેણશી ગડાના પુત્ર. સુશીલાના પતિ. વિપુલ, આશીષ, ટેનીલના પિતા. કલ્યાણજી, મણીલાલ, નવિન, હેમંતના ભાઇ. ભાનુબેન શામજી, સાકરબેન હરખચંદના જમાઇ. પ્રા. સોમવાર, તા. ૧૩-૩-૨૩ના ૨ થી ૩.૩૦, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રા.સં.સં. શ્રી કરસન લધુભાઇ નિસર હોલ, દાદર (વે).
રાયધણજરના લક્ષ્મીબાઇ વાલજી ગાલા (ઉં. વ. ૯૪) તા. ૮-૩-૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. મેગબાઇ જીવરાજ આણંદના પુત્રવધુ. વાલજી જીવરાજના પત્ની. હીરબાઇ ભવાનજીના માતૃશ્રી. રાયધણજરના પુરબાઈ વીરજીના પુત્રી. રાયધણજરના રતનશી, મઠાબાઇ ખીમજી, ડુમરાના વાલબાઇ વસનજી, કેસરબેન જેઠાલાલ, નરેડી ના દમયંતી ભવાનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. દેહદાન કરેલ છે. ઠે. હીરાબેન સતરા, ૨૪/૧૩૨૦, શાંતિ સદન, વાંદરા (ઈ).
ગુંદાલાના મગનલાલ અરજણ પાસુ દેઢિયા (ઉં. વ. ૯૭) તા. ૧૦/૩/૨૩ના અવસાન પામ્યા છે. તે હીરબાઇના પુત્ર. કેસરબાઇ (મણીબાઇ)ના પતિ. કલ્પના, વસુમતી જયેષ્ઠા, જીતેન્દ્ર, વિભાકર, નિતીનના પિતા. લીલાધર, લખમશી, ડુંગરશી, સુંદરબાઇ, તલકશી, રાઘવજીના ભાઇ. વાંકીના દેવકાંબેન પ્રેમજી માણેક સાવલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કેસરબાઇ દેઢિયા, ૭, હેમછાયા, કસ્તુરબા માર્ગ, મુલુંડ (વે.).
ભચાઉના ભાનુબેન પ્રવિણ ફુરીયા (ઉં. વ. ૬૨) ગુરૂવારના તા. ૯-૩-૨૦૨૩ના અવસાન પામેલ છે. ગં.સ્વ. આસઇબેન ભગવાનજી કાનજી ફુરીયાના પુત્રવધૂ. સ્વ. પ્રવિણના ધર્મપત્ની. કુણાલના માતુશ્રી. ભચાઉ સ્વ. દિવાળીબેન દામજી કેશવજી ગાલાના દિકરી. નિકુંજ, અમૃતબેન, સ્વ. મંજુલાબેન, વિમળાબેન, કંચનબેન, નીતાબેનના બહેન. પ્રાર્થના સભા સોમવાર, તા. ૧૩-૩-૨૩ના બપોરે ૩ થી ૪.૩૦ કલાકે ઠે. યોગી સભાગૃહ, સ્વામી નારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઇ.), મું. ૧૪.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા નિવાસી (હાલ બોરીવલી) સ્વ. જયસુખલાલ નરોત્તમદાસ દોશીના ધર્મપત્ની પદમાબેન (ઉં. વ. ૭૮) તા. ૧૧-૩-૨૩ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. તે ભરતભાઇ નિલેશ, હિતેશ, ભાવના હસમુખરાય, જાગૃતિ પ્રિયકાંતકુમાર, સંગીતા ભરતકુમારના માતુશ્રી. તે સ્વ. પ્રિતી, ઇલા, હિનાના સાસુ. ઝીલ, ખુશ્બુ, મિતેશ, ફોરમ, હિરલ અને આર્યનાના દાદી. સ્વ. મુલજીભાઇ કચરાભાઇ રાઇકુંડલીયાની દીકરી. જામનગર નિવાસી હાલ અમદાવાદ સ્વ. જયોત્સના હર્ષદરાય, સ્વ. રસીલાબેન નરેન્દ્રભાઇ, સ્વ.ઇન્દુમતિ યોગેન્દ્રભાઇના ભાભી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઘોઘારી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
હણોલ નિવાસી હાલ મુલુંડ રમેશચંદ્ર રાયચંદ પારેખના પત્ની ઇલાબેન (ઉં. વ. ૭૭) તે સ્વ. મિલન અને દેવલ-ચાર્મીના માતુશ્રી. તે સ્વ. જયાબેન હિંમતલાલ હરજીવનદાસ દોશીના સુપુત્રી. તે સ્વ. દિનકળાબેન ચંદ્રકાન્ત, હંસાબેન અનંતરાયના ભાભી. તે રેણુકાબેન રમેશભાઇ, ભારતીબેન મહેન્દ્રભાઇ , સંગીતાબેન-સ્વ. જયેશભાઇ, રીટાબેન દિલીપભાઇ , રક્ષાબેન-જયેન્દ્રભાઇ , જિનલબેન ઉદયનભાઇના મોટાબેન. તે અવીવના દાદીમા. તા. ૧૧-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૧૪-૩-૨૩ના સાંજે ૪થી ૬. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગરોડિયાનગર, ઘાટકોપર ઇસ્ટ, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.