જૈન મરણ
જૈન
કપડવંજ નિવાસી હાલ ભાઈન્દર રાજેન્દ્રભાઈ તેલીના ધર્મપત્ની. ઈન્દિરાબેન (ઉં.વ. ૭૮) તા. ૩-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કસ્તુરલાલ કેશવલાલ તેલીના પુત્રવધૂ. સ્વ. તારાબેન કાંતિલાલ દોશીના સુપુત્રી. તે રાકેશભાઈ, રૂપાબેન, સોનલબેન, વૈશાલીબેન અને નિકિતાબેનના માતુશ્રી. અમિષાબેન, સ્વ. મહેશકુમાર, રાકેશકુમાર, વિપુલકુમાર, વિકાશકુમારના સાસુજી. તે પૂર્વેશ અને પવનના દાદી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર
રાખેલ નથી.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઉમરાળા નિવાસી હાલ-મુલુંડ માતુશ્રી. જયશ્રીબેન અશોકભાઈ મણિલાલ શાહના સુપુત્રી ભૈરવી મોહનિશ રામસુરત રજકના સુપુત્ર દેવાંશ (ઉં.વ. ૧૩) જે ચારુબેન નીરજભાઈ સંઘવીના ભાણેજ. તા. ૧-૩-૨૩ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૪-૩-૨૩ને શનિવારનાં ૪થી ૬. સ્થળ: તથાસ્તુ હોલ, કાલિદાસ નાટ્ય મંદિરની પાછળ, કાલિદાસ કોમ્પ્લેક્સ, પી.કે. રોડ,
મુલુંડ (વેસ્ટ).
દશા સ્થા.જૈન
અનીડા નિવાસી હાલ મીરારોડ સ્વ. કાંતિભાઈ હેમચંદભાઈ શાહના પત્ની કંચનબેન શાહ (ઉં.વ. ૮૭) તા. ૩-૩-૨૩, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે વિનોદભાઈ, ગીરીશભાઈ, કિરીટભાઈ, ચંદ્રીકાબેન ભરતભાઈ મહેતલીયા, હંસાબેન હર્ષદભાઈ પારેખ, અરુણાબેન રાજેશકુમાર અજમેરાના માતુશ્રી. સ્વ. મીતાબેન, ધર્મિષ્ઠાબેનના સાસુમા. મીતેન, કિઝન, રાજ, ભવ્ય, સ્વેતા, ભૂમિ, જિનલના દાદીમા. તે પિયરપક્ષે ઉમરાળા નિવાસી હરગોવિંદભાઈ જૈન (મહેતા)ના દીકરીની પ્રાર્થનાસભા તા. ૫-૩-૨૩, રવિવારના ૩થી ૫ મીરારોડ. મીરારોડ વર્ધમાન સ્થા. જૈન ઉપાશ્રય, ગુરુદ્વારા સામે, સેક્ટર નં. ૬, શાંતિનગર,
મીરારોડ (ઈસ્ટ).
ખંભાત વિશા પોરવાડ જૈન
હાલ બોરીવલી નિવાસી બાબુભાઇ પ્રેમચંદ શાહ (ઉં.વ. ૯૫) તે સ્વ. ઇન્દુમતીબેનના પતિ. મુકેશ સગુણ, પરેશા તથા સાધનાના પિતા. નયના, સ્મિતા, સ્વ. તેજપાલકુમાર ચોક્સી તથા સ્વ. શૈલેષ શાહના સસરા, ૨/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તેમની શત્રુંજયની ભાવયાત્રા ૪/૩/૨૩ના ૧૦ થી ૧ આંગણ હોલ, કેન્ટ ગાર્ડન બાજુમાં, જાંબલી ગલ્લી સામે, બોરીવલી વેસ્ટ.
રાધનપુરી જૈન
ચંદ્રાબેન શાંતિલાલ ભણસાલીના પુત્ર નિલેશભાઈ (ઉં.વ. ૫૪) તે ૧/૩/૨૩ના અવસાન પામેલ છે. તે મહેશ, મનીષ, જીજ્ઞેશ, સોનલના ભાઈ. પંચકલ્યાણકની પૂજા ૫/૩/૨૩ના ૨.૩૦ થી ૪.૩૦ કલાકે મુનિસુવ્રતસ્વામી જિનાલય, ભુલાભાઇ દેસાઈ રોડ, કાંદિવલી વેસ્ટ.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
વંથલી નિવાસી હાલ ભાયંદર સ્વ. મગનલાલ કપૂરચંદ વસાના ધર્મપત્ની મંજુલાબેન (ઉં.વ. ૯૦) તે ૧/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે અશ્ર્વિનભાઇ, અરુણભાઈ, ગીરીશભાઈ, મુકેશ, વિજય, સાધના વિપુલ દોશીના માતા. નલિની, મધુ, કાશ્મીરા, બીના જ્યોતિના સાસુ. પિયરપક્ષે મજેવડી નિવાસી સ્વ. જગજીવનભાઈ શામજી મહેતાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ડેડાણ નિવાસી હાલ નાલાસોપારા ખીચાવાળા સ્વ. મણિલાલ મોહનલાલ ગોહેલના દીકરી કિરણબેન (ઉં.વ. ૫૨) તે ૨/૩/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે યશ, કેવલના માતુશ્રી. સ્વ. બિપિન ઓત્તમચંદ દેસાઈના ધર્મપત્ની. કિરીટભાઈ, સ્વ. રમેશ, જયેશ, શૈલેષના ભાભી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
તણસા નિવાસી હાલ મુંબઈ (વાલકેશ્ર્વર) ગુણવંતરાય બાબુલાલના સુપુત્ર. પાર્થિવ (ઉં.વ. ૫૨) તે પૂર્વીબેનના પતિ. દેવાંશના પિતા. ચેતનભાઈ અને અસ્મીબેનના ભાઈ તથા રેખાબેન મહેન્દ્રભાઈ દાણી (ગારિયાધાર) હાલ મુંબઈના જમાઈ અને મનસુખલાલ માણેકચંદ જાપાનના ભાણેજ. તા. ૨-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. સાદડી શનિવાર તા. ૪-૩-૨૩ના બંને પક્ષ તરફથી અમારા નિવાસસ્થાને રાખેલ છે. ૩થી ૬. રહેઠાણ: ૪૦૨, ન્યુ શ્રીસાગર, ૨૯-સી, ડુંગરશી રોડ, તીનબત્તી, વાલકેશ્ર્વર.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગામ રાજકોટ, હાલ સાયન, સ્વ. રજનીકાંત પ્રભુદાસ મોદીના પત્ની કોકિલાબેન મોદી (ઉં.વ. ૮૮) તા. ૨-૩-૨૩ના દેવલોક પામ્યા છે. તે સ્વ. કલાવતી છગનલાલ લાલસોદાગરના પુત્રી. હિમાંશુ, મમતા સુનીલકુમાર પારેખ, ધીરા નિશિથભાઈ મહેતાના માતા. દીપ્તિ હિમાંશુ મોદીના સાસુ. યશ-જીગરના દાદી. નિષ્મા, કરિશ્મા, હોશીલ અને વૃદ્ધિના નાની. પ્રાર્થના તા. ૫-૩-૨૩, રવિવારના માનવ સેવા સંઘ (ત્રીજે માળે), સાયન ૪.૦૦થી ૫.૩૦.
વિજાપુર વીસા ઓસવાલ જૈન
જાગૃતિ કાંતિલાલ ઝવેરી (ઉ. વ. ૬૭) સ્વ. અરુણકુમાર કાંતિલાલ ઝવેરીના બેન તા. ૨-૩-૨૩ના ગુરુવારે અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૧૦૪-એ, કાપડી બિલ્ડિંગ, વાલકેશ્ર્વર, મુંબઇ-૪૦૦૦૦૬.
ઘોઘારી વીશા શ્રીમાળી જૈન (નિસરાણી)
ભાવનગર નિવાસી સ્વ. વિમળાબેન દલીચંદ કામદારના સુપુત્ર સુરેશભાઇ (ઉં.વ. ૭૫) હાલ ડોમ્બિવલી તે અંજનાબેનના પતિ. શીરીનના પિતા. અ. સૌ. પૂજાના સસરા. સાહીલ અને દ્રિષ્ટીના દાદા. પ્રવીણભાઇ, જીતુભાઇ, મહેન્દ્રભાઇ, સ્વ. ભરતભાઇ તથા દિવ્યાબેન ભૂપતરાય શાહ (સિહોરવાળા)ના નાનાભાઇ. સસુરપક્ષે સ્વ. શાંતિલાલ કેશવજી શાહ (પોરબંદરવાળા)ના જમાઇ તા. ૨-૩-૨૩ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર અને સાદડીની પ્રથા બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગૌતમગઢ હાલ બોરીવલી ચંદુલાલ પોપટલાલ વોરા (ઉં. વ. ૯૩) તે લીલાબેનના પતિ. તે સ્વ. મનસુખલાલ, સ્વ. શાંતિલાલ, સ્વ. વાડીલાલ, સ્વ. કાન્તિલાલ તથા રંજનબેન મહાસુખલાલ જોબાલીયા તથા જસ્મીનના પિતા. તે રીટાબેન, પારૂલબેન, સોનલબેન તથા શરદકુમાર મનહરલાલ જસવાણીના સસરા. તે દિગસર નિવાસી સ્વ. હરિલાલ ચત્રભુજ શાહના જમાઇ. શુક્રવાર, તા. ૩ માર્ચ ૨૦૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૪ માર્ચ ૨૦૨૩ના ૧૦થી ૧૨. ઠે. પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી (વેસ્ટ).
શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
તળાજા નિવાસી (હાલ ભાયંદર) ભોગીલાલ મનસુખલાલ સલોત (ઉં. વ. ૮૫) તે મંજુલાબેનના પતિ. જયેશ, નિલેશ, રીટા, સોનલ, રૂપલ, નિમિષાના પિતાશ્રી. વિનુભાઈ, સ્વ. વાડીભાઈ, પુષ્પાબેન ધનવંતરાય મહેતાના ભાઈ. સંગીતા, દીપ્તિ, રમેશકુમાર, સુરેશકુમાર, જીગરકુમારના સસરા. ધર્મીન, જીનય, જૈનમ, શ્રુતિ, જૈવીનના દાદા. નાગજીભાઈ પ્રેમજીભાઈ ગાંધી દીહોરવાળાના જમાઈ. શુક્રવાર તા. ૩-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે) એડ્રેસ. ૨૦૧, હર્ષદ હાઈટ્સ, ૧૫૦ ફીટ રોડ, વસંત વૈભવની બાજુમાં, વેજ સાગર હોટેલની સામે, ભાયંદર (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
પત્રીના હાલે બેંગલુરુ પ્રકાશ ધરોડ, (ઉં. વ. ૬૬) તા. ૧-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે. જવેરબેન હીરજી દેવજીના પુત્ર. ચેતનાના પતિ. અર્ચીત, પુજીતના પિતા. જ્યોતિ કાલીશ્ર્વરમના ભાઈ. ગુંદાલાના જયાબેન ચુનીલાલ સતરાના જમાઈ. દેહદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી.