ભારત અને સિંગાપોર તેમની બે સૌથી લોકપ્રિય પેમેન્ટ સિસ્ટમ્સ, UPI અને PayNow વચ્ચે ક્રોસ-બોર્ડર પેમેન્ટ કનેક્ટિવિટી શરૂ કરીને તેમના નાણાકીય સંબંધોને વધારવા માટે તૈયાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગ 21 ફેબ્રુઆરીના રોજ ક્રોસ-બોર્ડર કનેક્ટિવિટી શરૂ કરશે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ અને સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર રવિ મેનન ક્રોસ બોર્ડર પેમેન્ટ કનેક્ટિવિટી લોન્ચ કરશે.
સિંગાપોરમાં રહેતા ભારતીયો હવે UPI-PayNow દ્વારા ભારતમાં નાણાં ટ્રાન્સફર કરી શકશે. અથવા એક ભારતીય વિદ્યાર્થી જે સિંગાપોરમાં અભ્યાસ કરી રહ્યો છે, તો તેના માતા-પિતા તેને UPI-PayNow દ્વારા ખૂબ જ સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરીને પૈસા મોકલી શકશે. 21 ફેબ્રુઆરી, 2023 ના રોજ, ભારત અને સિંગાપોર વચ્ચે રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ્સ લિંકેજ શરૂ કરવામાં આવશે, જેમાં બંને દેશો વચ્ચે ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી હેઠળ નાણાં ખૂબ જ સરળતાથી અને ઝડપથી ટ્રાન્સફર કરી શકાય છે.
ભારત અને સિંગાપોર વચ્ચે પેમેન્ટ સિસ્ટમના એકીકરણથી બંને દેશોમાં રહેતા લોકોને ફાયદો થશે. તેઓ ખૂબ જ ઝડપથી અને પોસાય તેવા દરે ક્રોસ બોર્ડર રેમિટન્સ મોકલી શકશે. સિંગાપોરમાં રહેતા ભારતીયોને સૌથી વધુ ફાયદો થશે. હવે UPI-PayNow દ્વારા ભારતમાં ઝડપથી અને સસ્તા દરે રેમિટન્સ નાણા મોકલી શકશે. તેથી સિંગાપોરમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા UPI-PayNow દ્વારા સિંગાપોરમાં નાણાં ટ્રાન્સફર કરી શકશે.
અત્યાર સુધી બિનનિવાસી ભારતીયો (NRI) UPI દ્વારા ચુકવણી કરવામાં અસમર્થ હતા, કારણ કે આ સુવિધા માત્ર ભારતીય સિમ કાર્ડ ફોન પર ઉપલબ્ધ હતી, પરંતુ હવે વિદેશમાં રહેતા NRI અથવા ભારતીયોએ તેમના NRE અથવા NRO એકાઉન્ટને ઇન્ટરનેશનલ સિમ સાથે લિંક કરવું પડશે, ત્યારબાદ તેઓ UPI દ્વારા સરળતાથી પેમેન્ટ કરી શકશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અન્ય દેશોમાં UPI ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ છે જેથી કરીને ડિજિટલ પેમેન્ટનો વિસ્તાર કરી શકાય.