સતીશ કૌશિકના પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું બહાર આવ્યું છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. પોસ્ટમોર્ટમમાં તબીબોને તેના શરીર પર કોઈ નિશાન નહોતું મળ્યું. સતીશ કૌશિકનું ગતરોજ દિલ્હીમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. ગુરુવારે સવારે, દિલ્હી પોલીસે સતીશ કૌશિકના મૃત્યુ પર કહ્યું હતું કે તેઓ સીઆરપીસીની કલમ 174 હેઠળ નિયમિત રીતે મામલાની તપાસ કરી રહ્યા છે. આ અંતર્ગત પોલીસ દરેક એંગલથી મોતની તપાસ કરે છે. પોલીસે કહ્યું હતું કે તપાસનો હેતુ એ જાણવાનો છે કે તેનું મૃત્યુ રહસ્યમય સંજોગોમાં થયું હતું કે અકુદરતી કારણોસર થયું હતું. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સતીશ કૌશિકના શરીર પર કોઈ નિશાન જોવા મળ્યા નથી. આ સિવાય પોસ્ટમોર્ટમમાં પણ હાર્ટ એટેક આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે. સતીશ કૌશિકનું પોસ્ટમોર્ટમ દિલ્હીની દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. અનુપમ ખેરે જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ બાદ સતીશ કૌશિકના મૃતદેહને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સતીશ કૌશિકના પરિવારજનોને પૂછ્યા બાદ આજે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જો કે, તેમણે કહ્યું કે આ ત્યારે શક્ય બનશે જ્યારે બધું જરૂરી કામ સૂર્યાસ્ત પહેલા થઈ જશે.