મુંબઈ: ભારતીય ચૂંટણી કમિશને શુક્રવારે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા શિંદે અને ઉદ્ધવ જૂથના શિવસેના અને ચૂંટણી ચિહન ધનુષ્ય-બાણ માટેની સુનાવણી પૂરી કરીને બંને જૂથને લેખિતમાં જવાબ નોંધાવવા માટેનો આદેશ આપ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે કહ્યું હતું કે તેઓ એવી આશા રાખે છે કે ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) શિવસેનાના ચૂંટણી ચિહન ‘ધનુષ અને તીર’ અંગે કાયદો અને વર્તમાન નિયમો અનુસાર નિર્ણય આપશે.
ભારતીય ચૂંટણી પંચે શુક્રવારે શિવસેનાના પ્રતીક પર સુનાવણી હાથ ધરી હતી, જેનો દાવો મુખ્ય પ્રધાન શિંદે અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના પક્ષના હરીફ જૂથો દ્વારા કરવામાં આવ્યો છે. ઓક્ટોબર, ૨૦૨૨માં વચગાળાના આદેશમાં મતદાન પેનલે સેનાનાં બંને જૂથોને ધનુષ્ય-બાણ પ્રતીક અને નોંધાયેલા પક્ષના નામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હરીફ છાવણીઓને નવાં નામો ફાળવવામાં આવ્યાં હતાં.
નવી દિલ્હીમાં ભારતીય ચૂંટણી પંચ સમક્ષ આ મામલે ચાલી રહેલી સુનાવણી વિશે પૂછવામાં આવતાં શિંદેએ પત્રકારોને કહ્યું હતું કે મને આશા છે કે ચૂંટણી પંચનો નિર્ણય કાયદા અને નિયમો મુજબ હશે.
(પીટીઆઈ)
શિવસેના ચૂંટણી ચિહનનો નિર્ણય ઈલેક્શન કમિશન કાયદા અને નિયમ પ્રમાણે લે એવી આશા: શિંદે
RELATED ARTICLES