હિન્દુ મરણ
કોળી પટેલ
ગામ વાસણ (હાલ મુંબઇ સેન્ટ્રલ)સ્વ. ધીરજલાલ રવજીભાઇ પટેલનાં ધર્મપત્ની વીરૂમતી (ઉ. વ. ૭૨) મંગળવાર, તા. ૧૭-૧-૨૩ના દેવલોક પામ્યા છે. તે ભારતીબેન, દક્ષાબેન, યોગેશના માતુશ્રી. તે મનોજભાઇ, જયેશભાઇ અને તેજલના સાસુ. જયંતીભાઇ, અશોકભાઇ, હંસાબેનના બહેન. રાશિ, પ્રજલ, હર્ષના દાદી-નાની. તેમનું બેસણું સોમવાર, તા. ૨૩-૧-૨૩ના બપોરે ૩થી ૫. ઠે. દૂધવાલા એકવા પર્લ, બી-૫૦૩, જહાંગીર બમન બહેરામ માર્ગ, અંજુમન ગર્લ્સ સ્કૂલની બાજુમાં, મુંબઇ સેન્ટ્રલ, મુંબઇ. પુષ્પાણી શનિવાર, તા. ૨૮-૧-૨૩ના બપોરે ૩થી ૫. કલાકે રાખેલ છે.
જનોડ એકડા ખડાયતા
ગામ જનોડ હાલ નાલાસોપારા ગં. સ્વ. હેમલતાબેન શેઠ (ઉં. વ. ૭૮) તા. ૧૩-૧-૨૩ શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. બીપીનચંદ્ર શનીલાલ શેઠના પત્ની. સુનિલભાઇ, અલ્પાબેન, મીતાબેન અને જિજ્ઞેશભાઇના માતુશ્રી. કામિની, વિરલ, ગોપાલકુમાર અને હિરેનકુમારના સાસુ. પૂજા, ખુશ્બુ, ગૌરવ, મિત્સુના દાદી. સ્વ. આણંદીબેન નટવરલાલ શાહના દીકરી. નિરુબેન, રિટાબેન, અલકાબેન અને નિખિલભાઇના મોટાબહેન. પિયરપક્ષનું બેસણું સાથે જ રાખેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૨-૧-૨૩ના રવિવારના ૧૦.૩૦થી ૧૨. ઠે. ગુરુકૃપા હોલ, નાલાસોપારા ઇસ્ટની રેલવે ટિકિટ બારીની સામે, નાલાસોપારા (ઇસ્ટ).
ઔદીચ્ય ગોરવાલ બ્રાહ્મણ
ગામ-બામણેરા હાલ ભાયંદર ગૌતમનગર કાંતિલાલ દુર્ગાશંકરના પત્ની સ્વ. પૂર્ણાબેનનું નિધન તા. ૧૭/૦૧/૨૩ના થયેલ છે તેની શોકસભા તા. ૨૨/૦૧/૨૩ રવિવારના સાંજે ૫ થી ૭ વાગે નીચે સ્થળે બંનેે પક્ષની સાથે રાખેલ છે. દામોદર, ફુટરમલ, પુખરાજ, આનંદબાલા,લલિતા, બેબીના ભાભી. પ્રિયા ગિરીશ, સ્વ ભાવના કિશોરકુમાર, સાજના નિલેશ કુમારના માતુશ્રી. જિયાના દાદીમા. સાંડેરાવ નિવાસી સ્વ. નટવરલાલજી પારેશ્ર્વરજીની પુત્રી. સ્વ. મોતીલાલજી, બેબી, મંજુલાના બેન. બંને પક્ષની સાદડી નીચે સ્થળે રાખેલ છે. લૌકીક પ્રથા બંધ છે. સ્થળ:- શ્રી અક્ષર પુરષોત્તમ સ્વામી નારાયણ સત્સંગ કેન્દ્ર, બી. પી. ક્રોસ રોડ, સાઈબાબા હોસ્પિટલની પાછળ ભાઈંદર (ઇસ્ટ), ઠાણે – ૪૦૧૧૦૫.
૨૫ ગામ ભાટિયા
મૂળ ગામ જામનગર હાલ કાંદિવલી સ્વ. પુષ્પાબેન પ્રભુદાસ ગાંધીના પુત્ર ભુપેન્દ્ર ગાંધી (ઉં. વ. ૫૭) તે ૧૯/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે ભગવાનદાસ, રમણીકભાઇ ત્રિભોવનદાસ પાલેજા તથા કાંતાબેન રમણીકલાલ આશરના ભાણેજ. રમેશ, સુરેશ, હંસાબેન ઉદેશી, સ્વ. તારાબેન આશર, ચંદ્રિકાબેન આશર, હેમલતાબેન પાલેજા તથા સ્વ. નિરુપમા આશરના ભત્રીજા. જ્યોતિ પરાગ નેગાંધી તથા જયેશના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
સમસ્ત દરજી સમાજ બાબરીયાવાડ
ગામ લોઠપુર (રાજુલા) નિવાસી હાલ ભાયંદર સ્વ. ભગવાનભાઈ ભાણજીભાઇ હિંગુના પુત્ર. કાનજીભાઈ હિંગુ (ઉં. વ. ૮૩) તે ૧૮/૧/૨૩ના અક્ષરધામ પામ્યા છે. તે સ્વ. લક્ષ્મીબેનના પતિ. મનસુખભાઇ, સ્વ. દિનેશભાઇ, કમલેશભાઈ તથા પ્રવિણાબેન વાઘેલાના પિતા. ગીતાબેન, ગં. સ્વ. વર્ષાબેન, હંસાબેન, શાંતિલાલ ભાયાભાઇના સસરા. સ્વ. પરષોત્તમભાઈ, સ્વ. બચુભાઈ, સ્વ. અમુભાઈ, હિંમતભાઇના ભાઈ. ગામ રાજુલા નિવાસી હાલ મુંબઈ સ્વ. રણછોડભાઈ કરસનભાઈ ગોહિલના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૨૨/૧/૨૩ ના ૩ થી ૫. ગુરુનાનક દરબાર સાઈબાબા નગર, બોરીવલી વેસ્ટ.
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ
રાજકોટ નિવાસી હાલ કાંદિવલી સ્વ. નિરંજનભાઈ વેલજીભાઇ ચાવડા (ઉં. વ. ૮૭) તે ભારતીબેનના પતિ. હિમાંશુ, વર્ષા, સોનલ, તૃપ્તિ, ત્રિવેણી, મનીષાના પિતા. પ્રમિતિ, પરાગ, જયેશ, દિપક તથા વિપુલના સસરા. હેમીતના દાદા. જયેશ ધીરજલાલ ચાવડાના કાકા ૧૯/૧/૨૩ના અક્ષરધામ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૩/૧/૨૩ ના ૫ થી ૭. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ, મામલતદાર ક્રોસ રોડ ૩, મલાડ વેસ્ટ.
હાલાઇ લોહાણા
સ્વ. કાંતાબેન ભીખુભાઈ (પરમાનંદ) નારણદાસ કાપડિયાના પુત્ર પુલીનભાઈ (ઉં. વ. ૬૪) તે કરૂણાબેનના પતિ. મેઘના ગૌરવ છાબડીયાના પિતા. સ્વ. પરેશ, પ્રકાશ, દિનેશ, સ્વ. દિપક, મનીષ તથા પારૂલ મહેશ મજીઠીયાના ભાઈ. ગં. સ્વ. મંજુલા કનુભાઈ મગિયાના જમાઈ ૧૯/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વૈષ્ણવ વિશા ખડાયતા
ઉમરેઠ નિવાસી હાલ કાંદિવલી અ. સૌ. ભાવના અજિત રૂવાલા (ઉં. વ. ૬૩) જે અજિત રૂવાલાના પત્ની તથા શ્ર્વેતા અને સમયના માતૃશ્રી. અક્ષયકુમારના સાસુ. રમણલાલ અને લલીતાબેનના પુત્રવધૂ, તથા રતિલાલ અને વિદ્યાગૌરી ભાલજાના સુપુત્રી તા. ૧૯-૧-૨૦૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૨-૧-૨૦૨૩ ના ૫-૭, ૫મા માળે, સ્થળ શ્રી વર્ધમાન સ્થાનિકવાસી જૈન શ્રાવક સંઘ (મોટા ઉપાશ્રય) પારેખ લેન કોર્નર, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી લોહાણા
ગં. સ્વ. લક્ષ્મીબેન નારાયણજી જેઠમલ ઠક્કર (સોત્તા) (ઉં. વ. ૯૩) કચ્છ – મુરું હાલે મુલુંડ, ગુરુવાર તા. ૧૯.૧.૨૩ના શ્રીરામશરણ પામેલ છે. તે સ્વ. કરસનદાસ ખીમજી સૂચક (કચ્છ – નખત્રાણા)ના દીકરી. તે સ્વ. હરેશભાઈ, દિનેશભાઈ, મહેશભાઈ, અ. સૌ. નર્મદાબેન શંકરભાઈ, અ.સૌ. બિનાબેન પરેશભાઈના માતા. તે સ્વ. ભારતીબેન, ભાવનાબેન, દક્ષાબેન, શંકરભાઈ, પરેશભાઈના સાસુ. તે સ્વ. મુલબાઈ જેઠમલ, સ્વ. નાનજીભાઈ જેઠમલ (સોત્તા)ના નાનાભાઈના પત્ની. તે સ્વ. કાનજીભાઈ, સ્વ. પરષોત્તમભાઈ, મોહનલાલ, સ્વ. કાશીબેનના બહેન. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા, રવિવાર, ૨૨મી જાન્યુ.એ પાંચ થી સાત. શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હોલ, આર આર ટી રોડ, મુલુંડ વેસ્ટ.
ઘોઘારી દશા શ્રીમાળી મુંબઇગરા
મહુવા હાલ કાંદિવલી અ. સૌ. ભાવનાબેન શેઠ (ઉં. વ. ૮૦) તે અનંતરાય ભૂપતરાય શેઠના ધર્મપત્ની. તે જીતેન્દ્રભાઇ, પ્રવિણભાઇ, જયરાજભાઇ, મીનાબેન, અવંતિકાબેનના ભાભી. તે નિકુંજભાઇ, સંજયભાઇ, હિતેશભાઇના માતુશ્રી. તે આશા, કૃપા અને અમીષાના સાસુ. તે રોહન, જીમીત, તથા નીકીના દાદી. તે સ્વ. હસમુખભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ. જીતુભાઇ, પ્રદીપભાઇ, સ્વ. વિમળાબેન તથા હંસાબેનનાં બહેન. તા. ૧૯-૧-૨૩ના ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૩-૧-૨૩ના સોમવારે સાંજે ૫થી ૭. ઠે. હાલાઇ લોહાણા બાળાશ્રમ, બેંકવેટ હોલ, અતુલ ટાવરની બાજુમાં, મથુરાદાસ એક્ષટેન્શન રોડ, કાંદિવલી (પશ્ર્ચિમ).
જનોેડ એકડા ખડાયતા
મૂળ ગામ જનોડ હાલ નાલાસોપારા ગં. સ્વ હેમલતાબેન બીપીનચંદ્ર શેઠ (ઉં. વ. ૭૮) ૧૩-૧-૨૩, શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. બીપીનચંદ્ર શનીલાલ શેઠના ધર્મપત્ની. સુનિલભાઈ, અલ્પાબેન, મીતાબેન અને જિગ્નેશભાઈના માતુશ્રી. કામિની, વિરલ, ગોપાલકુમાર અને હિરેનકુમારના સાસુ. પૂજા, ખુશ્બુ, ગૌરવ અને મિત્સુના દાદી. સ્વ. આણંદીબેન નટવરલાલ શાહના દીકરી. નિરુબેન, રિટાબેન, અલકાબેન અને નિખિલભાઈના મોટા બહેન. (પિયર પક્ષનું બેસણું સાથે જ રાખેલ છે.) પ્રાર્થનાસભા ૨૨-૧-૨૩, રવિવારના સવારે ૧૦.૩૦ થી ૧૨ કલાકે રાખેલ છે. સ્થળ: ગુરુકૃપા હોલ, નાલાસોપારા ઈસ્ટની રેલ્વે ટિકિટબારીની સામે, નાલાસોપારા (ઈ.).
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
બરવાળાવાળા હાલ મુંબઇ સ્વ. લલિતચંદ્ર મણીલાલ મેરના ધર્મપત્ની ધીરજબેન (ઉં. વ. ૭૮) તે સ્વ. જગદીશભાઇ, દીલીપભાઇ, ગં. સ્વ. રેણુકાબેન વિજયકુમાર, વર્ષાબેન નરેશકુમારના માતુશ્રી. તે સ્વ. નટવરલાલ, સ્વ. બળવંતભાઇના ભાભી. તે રણછોડદાસ જીણાભાઇના દીકરી. ખુશમનભાઇ બાબુલાલ મણીયારના ભાણેજ. તે આરતીબેન મીતાબેનના સાસુ. ગુરુવાર તા. ૧૯-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર તા. ૨૨-૧-૨૩ના સાંજે ૪થી ૬. ઠે. ભાટીયા ભગીરથી, દાદીશેઠ અગિયારીલેન, ચીરાબજાર, મુંબઇ-૪૦૦૦૦૨.
ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
ગામ નેત્રામલી હાલ મુલુંડ દલપતરામ બહેચરલાલ ઉપાધ્યાય (ઉં. વ. ૭૮) તા. ૨૦-૧-૨૩ના દેવલોક પામ્યા છે. તે જયોત્સનાબેનના પતિ. સ્વ. મુળીબેન, ગં. સ્વ. દમુબેન, હરીશભાઇ, રમેશભાઇના ભાઇ. હિતેશભાઇ, દિપ્તીબેન, નિમિષાબેન અને બિંદુબેનના પિતા. આદર્શ, પાર્થ, મયુર, પ્રાંચી, ઇશાના દાદા. તે સ્વ. હરગોવિંદદાસ હરિશંકર ત્રિવેદીના જમાઇ. બન્ને પક્ષની સાદડી તા. ૨૨-૧-૨૩ના રવિવારે ૪થી ૬. ઠે. ગોપુપૂરમ હોલ, ડો. આર. પી. રોડ, (બાલાજી ઇરીસ) જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ),મુંબઇ-૪૦૦૦૮૦, ઉત્તરક્રિયા મુલુન્ડ નિવાસે તા. ૩૧-૧-૨૩ના રોજ રાખેલ છે.
કંઠી ભાટીયા
ગં. સ્વ. હંસા વેદ (ઉં. વ. ૭૨) તે સ્વ. હર્ષદ નારાયણદાસ વેદના ધર્મપત્ની. તે વિશાલના માતુશ્રી. તે સ્વ. માધવદાસ આશરના સુપુત્રી. તે મહેન્દ્રભાઇ આશર, ગં. સ્વ. પ્રતિમા, ચાંદની અશ્ર્વિન સંપટના બહેન. તે ભારતી તથા દિપકના દાદી. કૌશીક તથા અલકાના કાકી. શુક્રવાર તા. ૨૦-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૨-૧-૨૩ના ૪.૩૦થી ૬. ઠે. વિરેશ્ર્વર મહાદેવ મંદિર, એમ. જી. રોડ. ઘાટકોપર (ઇસ્ટ).