હિન્દુ મરણ
કોળી પટેલ
ગામ તલિયારા હાલ મુંબઈ સેન્ટ્રલ તારદેવ નિવાસી સ્વ. છગનભાઈ વલ્લભભાઈ પટેલના ધર્મપત્ની ગં.સ્વ. મણીબેન પટેલ (ઉં. વ. ૯૨) મંગળવાર, તા. ૧૦-૧-૨૩ના અવસાન પામેલ છે. તે જગજીવનભાઈ, નટવરભાઈ, જગદીશભાઈ અને જશુબેનના માતુશ્રી. તે જયાબેન, દક્ષાબેન અને ઉષાબેનના સાસુ. તે ભાવિકાના દાદી સાસુ. તે પ્રસાદ, પ્રિયંકા સન્ની, કિંજલ, વિધિ, સેજલ, ભૂમિના દાદીમા. તેમના બારમાની તેમ જ પુચ્છપાણીની વિધિ શનિવાર, તા. ૨૧-૧-૨૩ના સાંજે ૩થી ૫ નિવાસસ્થાને રાખેલ છે. રે. ઠે.: બી-૩૦૬, સિંહગડ સોસાયટી, બેલાસીસ બ્રિજ, તારદેવ, ફિસ માર્કેટની સામે, મુંબઈ- ૪૦૦૦૩૪. (લૌકિક વ્યવહાર બંધ છે.)
બાલાસિનોર દશાનીમા વૈષ્ણવ વણિક
સ્વ. ચંદ્રમણી ઓચ્છવલાલ ગાંધી (લોઢાવાળા)ના સુપુત્રી ગં.સ્વ. સાવિત્રીબેન પરીખ (ઉં. વ. ૯૧) તા. ૧૭-૧-૨૩, મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નવનીતલાલ રમણલાલ પરીખના ધર્મપત્ની. સ્વ. મણીબેન રમણલાલ સાકરલાલ પરીખ (સહદેવ)ના પુત્રવધૂ. ચેતનાબેન તથા મલ્લીકાના માતુશ્રી. કંચનલાલ મોદીના સાસુજી. રેશમા, ઝંખના, હેમલના નાનીજી. રાજેશભાઈ, ગૌરાંગભાઈ, કેયૂરીના નાની સાસુજી. (લૌકિક પ્રથા બંધ રાખેલ છે.)
મચ્છુકાંઠિયા ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ
સ્વ. નવીનભાઈ દવે (ઉં. વ. ૭૫) મૂળ ગામ રાજકોટ હાલ ડોમ્બિવલી તા. ૧૮-૧-૨૩ના કૈલાસવાસી થયેલા છે. તે સ્વ. કાંતાબેન હરગોવિંદદાસ દવેના સુપુત્ર. પદમાબેનનાં પતિ. સ્વ. વસંતબેન ડાહ્યાભાઈ પંડ્યાના જમાઈ. હેમેનભાઈ, શ્ર્વેતાબેન તથા મિતલબેનનાં પિતા. શાલીનીબેન, રાજેશભાઈ, સચિનભાઈના સસરા. સ્વ. ગિરિશભાઈ, સ્વ. જયશ્રીબેન, શિતલબેનના ભાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી.
પરજીયા સોની
મહુવા હાલ ભાયંદર ગં. સ્વ. ચંદ્રાબેન તથા સ્વ. નટવરલાલ શામજીભાઈ સતિકુંવરના પુત્ર કાંતિભાઈ સતિકુંવર (ઉં.વ. ૬૩) તે ૧૭/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. કાનજીભાઈ શામજીભાઈ, સ્વ. મોહનભાઇ શામજીભાઈના ભત્રીજા. મનસુખભાઈ, મુકુંદભાઈ, મુકેશભાઈના ભાઈ. મમતા કાંતિભાઈ સતિકુંવરના પિતા. જીનલ તથા નેહલ જયરાજ ઝગડાના કાકા. પ્રાર્થનાસભા ૨૧/૧/૨૩ના ૫ થી ૭ નિવાસસ્થાને બી ૨૦૭, ન્યુ રેશ્મા એપાર્ટમેન્ટ, કાશી નગર, વિમલ ડેરી રોડ, ભાયંદર પૂર્વ.
વિશા સોરઠિયા વણિક
બાલવાવાળા હાલ કાંદિવલી ખુશાલદાસ શાહ (ઉં.વ. ૮૨) તે સ્વ. સંતોકબેન તથા સ્વ. જુઠાલાલ માણેકચંદ શાહના પુત્ર. સ્વ. હિરલક્ષ્મીબેનના પતિ. હિના, નિલેશ તથા ભાવેશના પિતા. વિપુલ, મનીષા તથા માનસીના સસરા. ચુનીભાઇ, સ્વ. રંભાબેન, સ્વ. ગોદાવરીબેન, સ્વ. નિર્મલાબેન, સ્વ. ધનલક્ષ્મીબેન તથા શાંતાબેનના ભાઈ. ૧૮/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ કરાચી નિવાસી હાલ વિલેપાર્લે રંજનબેન ગણાત્રા (ઉં.વ. ૬૬) તે હસમુખ દેવજી ગણાત્રાના ધર્મપત્ની. માનસી અશ્ર્વિન ડિસિલ્વા, હેમાંલી, નેહા વિશાલ પરબ તથા ભાર્ગવના માતુશ્રી. વીણાબેન દેવજી ગણાત્રાના ભાભી. જ્યોતિ બકુલ (બકા) ગણાત્રાના જેઠાણી. પિયરપક્ષે રાજકોટ નિવાસી હાલ વિલેપાર્લા સ્વ. બળદેવ ગીરધરલાલ રાયમંગિયા તથા મનોરમાં ચંદ્રકાન્ત શીંગાડાના બહેન. ૧૮/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૦/૧/૨૩ના ૪ થી ૬ જલારામ હોલ (કાનબાઈ લાલબાઈ ક્ધયાશાળા), જે. વિ. પી. ડી સ્કીમ રોડ નં ૬, વિલેપાર્લા વેસ્ટ.
ઇડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
ગામ બડોલી હાલ બોરીવલી ઝવેરીલાલ જવી (ઉં.વ. ૭૪) તે ૧૮/૧/૨૩ના દેવલોક પામેલ છે. તે સ્વ. રેવાબેન હરિભાઈ જવીના પુત્ર. બ્રહ્મપુરી નિવાસી સ્વ. કલાવતી અંબાલાલ યાજ્ઞિકના જમાઈ. પદમાંબેનના પતિ. આશિષ તથા ઉર્વીના પિતા. હેતલ તથા રાહુલ મહાજનીના સસરા. પ્રાર્થનાસભા ૨૦/૧/૨૩ના ૫ થી ૭ લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
શ્રીમાળી બ્રાહ્મણ
મૂળવતન પોરબંદર નિવાસી હાલ કાંદિવલી મનોજબેન ત્રિવેદી (ઉં.વ. ૭૨) તે ૧૭/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. કનકબેન તથા સ્વ. કેશવલાલ ત્રિવેદીના પુત્ર. હરીશ, દિલીપ તથા નયનાબેન મૃદુલભાઈ સંઘવીના ભાઈ. ગીતાબેનના પતિ. હેમા ચેતન મહેતા તથા શ્રદ્ધા પ્રિતેશ ઓઝાના પિતા. સ્વ. ગુલાબબેન તુલસીદાસ વોરાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૦/૧/૨૩ના ૫ થી ૭ લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
દેસાઈ સઈ સુથાર જ્ઞાતિ
ભાવનગર નિવાસી હાલ વસઇ સ્વ. જશુમતીબેન તથા સ્વ. છોટાલાલ દુર્લભજી રાઠોડના પુત્ર સ્વ. રાજેશ રાઠોડ (ઉં.વ. ૭૩) બુધવાર, તા. ૧૮/૧/૨૩ના રામચરણ પામ્યા છે. તે જ્યોતીબેન રાઠોડના પતિ. સ્વ. ઈન્દુબેન, જીતેન્દ્રભાઈ, નટવરલાલ, હર્ષદભાઇ, સ્વ. રશ્મિભાઈ, સ્વ. પિયુષભાઈ, વિજયભાઈના ભાઈ. તે દીપાબેન દિવ્યેશકુમાર, ભક્તિબેન તુષારકુમાર, આરતીબેન મનીષકુમારના પિતાશ્રી. નાના ખોખરા હાલ વસઇ સ્વ. મંજુલાબેન તથા સ્વ. માધવજી હરજીવનદાસ ગોહીલના જમાઈ. તેમની બંને પક્ષની સાદડી શુકવાર, તા. ૨૦/૧/૨૩ના ૩ થી ૫ લૌકિક પ્રથા સદંતર બંધ છે. સ્થળ – ઓલ્ડ સ્વામિનારાયણ મંદિર, ૬૦ ફિટ રોડ, આઈડીબીઆઈ બેંકની પાછળ, વસઇ વેસ્ટ.
વિશા સોરઠિયા વણિક
વરજાંડા જાળીયાવાળા હાલ ભાયંદર ગં.સ્વ. ચારૂબેન ધીરજલાલ વલ્લભદાસ શાહ (ઉં.વ. ૭૫), તે હેમંત તથા રૂપલના માતુશ્રી. યશના નાની તથા કલકત્તાવાળા મથુરાદાસ નારાયણદાસ શાહના સુપુત્રી તા. ૧૮-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
કચ્છી લોહાણા
સ્વ. લક્ષ્મીબેન શંકરલાલ ગણાત્રા, ગામ અકરીવાળાની નાની પુત્રી ગં.સ્વ. લતા વિનોદ દેસાઈ (ઉં.વ. ૫૧), તે રાધિકાની માતા. સ્વ. જયાબેન ચુનીલાલ દેસાઈ ગામ જેતપુરવાળાની પુત્રવધૂ. તે હિના રાજેશ મોતીવાલા, માલતી જગદિશ કસરીયા, ભાવના જયેશ ચંદે, વિજયના બેન. તે ઉષાબેન જયેન્દ્ર દેસાઈના દેરાણી. અશોકભાઈ, માલતી, મીનાક્ષી, કાંતાના ભાભી તા. ૧૮-૧-૨૩ને બુધવારના સ્વર્ગવાસ થયેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૦-૧-૨૩ને શુક્રવારે ૫.૩૦ થી ૭ કલાકે, મહાજન વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, આર.આર. ટી. રોડ, મુલુન્ડ(પ.). લૌકિક વ્યવહાર સદંતર
બંધ છે.