હિન્દુ મરણ
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
ગઢડા હાલ ભાવનગર સ્વ.જસવંતરાય ચુનીલાલ ગોસાળીયાના ધર્મપત્ની મધુબેન તા. ૧૦-૧-૨૩ના ભાવનગર મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે ભારતીબેન રમેશચંદ્ર, હંસાબેન જગદીશચંદ્ર, સ્વ. રજનીભાઇ, હિનાબેન રાજેન્દ્ર, કિરીટ વનરાવનદાસ, જયશ્રીબેન સતીશકુમારના બહેન. વર્ષાબેન કિરીટભાઇના નણંદ. તે વિપુલભાઇ, નીતાબહેન પંકજકુમાર શાહ, અલ્પા રાજેશ શાહ, પ્રશાંતના માતુશ્રી. તે કિરણ અને પારુલના સાસુ. તે શિવાની, કેયુર, તનિષા, દિવ્યા, હિતાર્થના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ભારતીબેન કિશોરભાઇ (ઉં. વ. ૭૬) તે સ્વ. કાશીબેન શામજીભાઇ જરીયાવાલા (ઠક્કર)-ભુજનાં પુત્રવધૂ. તે સ્વ. કિશોરભાઇ શામજીભાઇ ઠક્કરના ધર્મપત્ની. તે સ્વ. લીલાવંતી હંસરાજ ઠક્કરના પુત્રી. તે સ્વ. ભરત (શાદુલ)ના બહેન. તે બંસરી પંકજ ભગત, કેતકી ગુરદીપ ભટ્ટી, પૂજા ઠક્કર, દર્શનનાં માતુશ્રી. તા. ૧૧-૧-૨૩ના બુધવારના મુંબઇ મધ્યે અક્ષરવાસી થયેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૫-૧-૨૩ના રવિવારે. ઠે. સ્વામિ નારાયણ મંદિર, ૯૦ ફૂટ રોડ, ગારોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ), સાંજે ૪થી ૬. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ ચોયવાલી જૂનાગઢ હાલ મુંબઈ સ્વ. જીવીબેન ભગવાનજી પાજવાનીના પુત્ર રસીકલાલ (ઉં.વ. ૮૬) તે સ્વ. જયશ્રીબેનના પતિ. સ્વ. જયાબેન નરસિંહદાસ રાયઠઠ્ઠાના જમાઈ. સ્વ. અલકા પંકજ તન્ના, ભરત, મનીષના પિતા. દિવ્યાના સસરા, તા. ૧૨/૧/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૪-૧-૨૩ના સવારે ૧૦:૩૦ થી ૧૨ કલાકે નિવાસસ્થાન ગણેશ કૃપા એસઆરએ બિલ્ડીંગ, જ્ઞાનેશ્ર્વર સ્કૂલની બાજુમાં, બંદરપખાડી, કાંદીવલી વેસ્ટ.
કપોળ
મહુવાવાળા હાલ બોરીવલીના નલિન મંગળદાસ વોરાના ધર્મપત્ની અ.સૌ. નયનાબેન વોરા (ઉં.વ. ૬૬) તે તા. ૧૨/૧/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે ક્રિષ્નાના માતૃશ્રી. કૃપાના સાસુ. બળવંતભાઈ રવિન્દ્રભાઈ તથા સ્વર્ગસ્થ મધુબેનના ભાભી. પિયર પક્ષે સ્વર્ગસ્થ મૃદુલાબેન ચંદુલાલ મહેતાના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મોઢ વણિક
જૂનાગઢવાળા હાલ (મુંબઇ) સ્વ. મનસુખલાલ તથા સ્વ. લલીતાબેન કોઠારીના પુત્ર પ્રવીણભાઇ (ઉં. વ. ૮૩) તે કુસુમબેનના પતિ. કિશોરભાઇના ભાઇ. ગં. સ્વ. સરોજબેનના દિયર તથા વિપુલ અને અંજલિના પિતા. તેમ જ રાજુલ તથા હિમાંશુભાઇના સસરા. સોમવાર તા. ૯-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૫ જાન્યુઆરીના એફ.પી.એચ. ગરવારે હોલ, લાલા લજપતરાય રોડ, હાજીઅલી મુંબઇ મધ્યે રાખેલ છે, સાંજે ૪.૩૦થી ૬.૩૦.
કચ્છી લોહાણા
ગં. સ્વ. દમયંતિબેન ધરમશીભાઇ ઠક્કર (ચોથાણી)ના સુપુત્ર તથા નયનાબેનના પતિ. ગામ કાળીતલાવડીના સંજય (રાજા) (ઉં. વ. ૬૦) હાલે મલાડ શુક્રવાર તા. ૧૩-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. યશ, ઇશાની મનન દેસાઇના પિતા. હરીશભાઇ, ગં. સ્વ. સંધ્યાબેન, વિરેન્દ્રભાઇ ધ્રુવ અને કૌશિકના ભાઇ. ગં. સ્વ. કમળાબેન લક્ષ્મણભાઇ ઠક્કર ગામ અંજારના જમાઇ. અનિલાબેનના દીયર. સ્વ. ઉષાબેનના જેઠ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૫-૧-૨૩ના ૧૦થી ૧૨. ઠે. સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે, ચક્ષુદાન કરેલ છે.
હાલાઇ લોહાણા
મુંબઇ નિવાસી વિરલ જેઠાલાલ દત્તાણી (ઉં. વ. ૪૧) તા. ૧૧-૧-૨૩ના બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે ઇલા અને જેઠાલાલ મોનજી દત્તાણીના પુત્ર. ખ્યાતિના પતિ. અને આહનાના પિતા. હિનાબેન અને જીતેન્દ્ર પોપટલાલ શાહના જમાઇ. તે શીતલ ભાવેશ ઘેલાણીના ભાઇ. પ્રાર્થનાસભા તા. ૧૫-૧-૨૩ના રવિવારે ૧૦થી ૧૨. ઠે.લોહાણા બાળાશ્રમ બેન્કવીટ હોલ, મથુરાદાસ એકસ્ટ. રોડ, અતુલ ટાવરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ).
કપોળ
જયોત્સનાબેન દિલીપભાઇ ચિતલીયા (ઉં. વ. ૮૯) અમદાવાદ ખાતે તા. ૧૨-૧-૨૩ ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. સૌરભભાઇ, ચિ. દર્શનાબેનનાં માતુશ્રી. તે રજનીભાઇ અને શૈલેષભાઇના ભાભી. તે સ્વ. ઇન્દુમતીબેન અને સ્વ. ચુનીલાલ જીવનભાઇ દામજી મહેતાનાં દીકરી. તે રમેશભાઇ, દિનેશભાઇ અને વર્ષાબેનના બહેન. અને પાલીતાણાવાળા સ્વ. હકાણી હરગોવિંદાસ ઠાકરશીની ભાણેજ. પ્રાર્થનાસભા રાખેલ નથી.
નાઘેર દશા શ્રીમાળી વણિક
સામતેર હાલ ડોમ્બિવલી ગં. સ્વ. ચંપાબેન ભાયચંદ શાહના સુપુત્ર પ્રવીણભાઇ (ઉં. વ. ૭૫) તે કાન્તાબેનના પતિ. તે જીજ્ઞાબેન, નિલેશભાઇ અને હેમલબેનના પિતા. તે મનિષભાઇ, વિધિબેન તથા મિથુનભાઇના સસરા. તે સ્વ. નારાયણ ડુંગરશી મેથાના જમાઇ. તા. ૧૦-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર અને પ્રાર્થનાસભા બંધ
રાખેલ છે.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
મુલુંડ નિવાસી ગં. સ્વ. લીલાવતી મંગલદાસ જોશી (ઉં. વ. ૯૩) (વરધીયા)ના પત્ની. સ્વ. માધવજી ચન્નાના પુત્રવધૂ. સ્વ. ખેતબાઇ જેઠાનંદ રત્નેશ્ર્વર (નારાયણ સરોવરવાળા)ના પુત્રી. સ્વ. પુરુષોતમ, સ્વ. આત્મારામ, સ્વ. શંભુભાઇ (કાકુભાઇ), સ્વ. આનંદાબેનના બહેન. સ્વ. રામુભાઇ રાજેન્દ્ર (રાજુભાઇ) અને જગદીશભાઇ (પપુભાઇ), ઉર્મિલા લક્ષ્મીદાસ શીવ, દમયંતી અરુણકુમાર રાડિયા, દિવ્યા અનુપભાઇ ખીયરા, અસ્મિતા રાજેશકુમાર સેથપારના માતુશ્રી. ભાવનાબેન અને અનુરાધાબેનના સાસુ. તા. ૧૧-૧-૨૩ના બુધવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
દેસાઈ સઈ સુથાર જ્ઞાતિ
ત્રાપજ હાલ મુંબઈ (લાલબાગ) સ્વ. અનસુયાબેન (અંબાબેન) શાંતિલાલ વાઘેલા (ઉં. વ. ૮૮) તા. ૧૩-૧-૨૩ને શુક્રવારના રોજ રામચરણ પામ્યા છે. તે શાંતિલાલ હરિલાલ વાઘેલાના ધર્મપત્ની. રોયલ નિવાસી સ્વ. ચુનીભાઈ ભવાનભાઈ સોલંકીના બેન. અરવિંદભાઈ, કિશોરભાઈ, ડૉ. ચેતનભાઈ, ગીતાબેન હર્ષદભાઈ માંડલિયા (ગાંધીનગર), જયશ્રીબેન જયેશભાઈ ગોહેલ (અમદાવાદ)ના માતૃશ્રી. રૂપાબેન, દિપ્તીબેન, જસ્માબેનના સાસુ. તેજસ્વીતા સંકેતભાઈ ઓક, પૂર્વીબેન તુષારભાઈ સિંગ, કૃણાલ, કેયુર, રોનક, કૈવલ, સિદ્ધાર્થ, જયદેવના દાદી. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૪-૧-૨૩ના સાંજે ૪થી ૬ જૈન દેરાસર વાડી, ડૉ. એસ. એસ. રાવ રોડ, લાલબાગ, મુંબઈ-૪૦૦૦૧૨. (લૌકિક પ્રથા બંધ છે.)
હાલાઈ લોહાણા
જામ ખંભાળીયા નિવાસી (હાલ કોલકતાના રહેવાસી) સ્વ. જેઠાલાલ રણછોડદાસના સુપુત્ર અશ્ર્વિનભાઈ જેઠાલાલ પોપટ (ઠક્કર) (ઉં. વ. ૬૯) ગુરુવાર, તા. ૨૯-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે કોલકતાના રમેશભાઈ પોપટ (ઠક્કર)નાં નાના ભાઈ. તે ઈન્દોર નિવાસી સ્વ. ગોરધનદાસ ગણાત્રાના જમાઈ. તે હિતેશ અને રાહુલનાં પિતાશ્રી. તે કોલકતા નિવાસી દિનેશભાઈ ભગવાનજી ગણાત્રા અને નાગપુર નિવાસી હરેન્દ્રભાઈ રતિલાલ તન્નાના નાના સાળા. તેમની વરસી તા. ૧૪-૧-૨૩, શનિવારે સવારે ૧૧ વાગે. સ્થળ: લોહાણા મહાજનવાડી, લાલબજાર પોલીસ સ્ટેશનની બાજુમાં, કોલકતામાં રાખેલ છે.
કપોળ
જાફરાબાદવાળા સ્વ. કનૈયાલાલ લક્ષ્મીદાસ ગોરડીઆના ધર્મપત્ની ગં.સ્વ. અનસુયાબેન (ઉં.વ.૮૩) બુધવાર, તા. ૧૧-૧-૨૩ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેઓ પિયુષ, છાયા રાજેન્દ્રકુમાર દાણી, ફાલ્ગુની દિનેશકુમાર મહેતાના માતૃશ્રી તથા અ.સૌ. મમતાના સાસુ. તેઓ સ્વ. છબીલદાસ, સ્વ. હસમુખરાય, સ્વ. લલિતકુમારના ભાભી. તેઓ મહુવાવાળા ભવાનીદાસ હરગોવિંદદાસ વોરાની સુપુત્રી. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
મુંબઈ નિવાસી સ્વ. સુરેન્દ્ર ભટ્ટના પુત્રવધૂ. સ્વ. જગમોહનદાસ પંડ્યાની પુત્રી તથા તેજસ દિલીપ ભટ્ટના પુત્ર તથા દિલીપ ભટ્ટના ધર્મપત્ની ઉષા ભટ્ટનું (ઉં. વ. ૭૨) તા. ૧૩-૧-૨૩, શુક્રવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૫-૧-૨૩ના રોજ ૫થી ૭ કલાકે. સ્થળ: રામવાડી માટુંગા (સે.રે.) મુંબઈ-૧૯ના રોજ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
મુંબઇ નિવાસી (હાલ જર્મની) અશોકભાઇ (ઉં. વ. ૬૯) તે સ્વ. રસિલાબેન અને સ્વ. રતિલાલ વનમાળીદાસ વજાણીના મોટા પુત્ર જર્મનીના હેમબર્ગ મુકામે તા.૧-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે દિપ્તીબેનના પતિ. તે સ્વ. દમયંતીબેન અને સ્વ. મનુભાઇ દેવજી મેવાવાલાના જમાઇ. તે રાજુભાઇ, વર્ષાબેન ભરતભાઇ શિરોદરિયા અને પંકજના મોટાભાઇ. તે વાસંતીબેન અને શિલાબેનના જેઠ. તે દર્શિકના મામા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.