હિન્દુ મરણ
રાજકોટવાળા હાલ મુંબઇ ગં. સ્વ. રંજનબેન બુધદેવ તે સ્વ. ચીમનલાલ મોહનલાલ બુધદેવના ધર્મપત્ની (ઉં. વ. ૭૯) તે સલાયાવાળા સ્વ. ગોપાલદાસ પોપટલાલ લાલના સુપુત્રી. તે ચી. પરેશ તથા ચી. રાજેનના માતુશ્રી. તે અ. સૌ. નીતિકા પરેશના સાસુ ૨૫, ડિસેમ્બરના મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા
બંધ છે.
વિશાસોરઠીયા વણિક
માંગરોળવાળા હાલ કાંદિવલી, બીપીન ચંદ્રકાંત શાહ (ઉં.વ. ૭૮) તા. ૨૫/૧૨/૨૨ રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. મૃદુલાબેનના પતિ. હેમલના પિતાશ્રી. શ્ર્વેતાના સસરા. રશ્મિબેન, સ્વ. સુરેશભાઈ, સ્વ. પન્નાબેન, પ્રદીપભાઈના ભાઈ. ડો. પૃથુલ અને શ્રી વિનોદભાઈના સાળા. અમૃતલાલ જીવનના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી વિસા સોરઠીયા વણિક
ઓસાવાળા (હાલ બોરીવલી) શ્રી કનકલાલ પારેખ (ઉં.વ. ૭૧) તા. ૨૬/૧૨/૨૨નાં શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પ્રભાબેન ગોકળદાસ પારેખના પુત્ર. તે શીલાબેનના પતિ. તેજસ અને ઉર્વશીના પિતા. બિનલ અને હેમલકુમારના સસરા. તે સ્વ. રાયચંદભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. પુષ્પાબેન, સ્વ. સરોજબેન, સ્વ. રંજનબેન, વસુમતીબેન અને ભારતીબેનના ભાઈ. તે સ્વ. ખુશાલદાસ જાદવજી શાહના જમાઈ. પ્રાર્થના સભા તા. ૨૯/૧૨/૨૨ ગુરૂવારે ૫ થી ૭ સ્થળ: શ્રી જમનાદાસ અડુકીયા સ્કૂલ, બાલીકા વિદ્યાલય માર્ગ, આઈસીઆઈસીઆઈ બેંકની સામે, શાંતીલાલ મોદી રોડ, કાંદિવલી (વેસ્ટ).
શ્રી દશા સોરઠિયા વણિક
વિસાવદર નિવાસી હાલ બોરીવલી શાંતિલાલ જમનાદાસ કિકાણી (ઉં.વ. ૭૪) તા. ૨૫/૧૨/૨૨ રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ માયાબેનના પતિ. સંદીપ, જીજ્ઞા કશ્યપ વખારિયાના પિતાશ્રી. એકતાના સસરા. સ્વ. કમળાબેન પ્રભુદાસ જનાણી, સ્વ. ભોગીલાલભાઈ, જયસુખભાઈ, ચંદુભાઈ તથા સ્વ. દિલસુખભાઈ જમનાદાસ કિકાણીનાં ભાઈ. સ્વ. પ્રભાવતીબેન અમૃતલાલ વઝીરના જમાઈ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
શ્રી મોઢ વૈષ્ણવ
સુરત નિવાસી હાલ મલાડ, સ્વ. પ્રવિણચંદ્ર ધનજીભાઈ ગાંધીના પત્ની ગં.સ્વ. સુભદ્રાબેન (ઉં.વ. ૮૮) ૨૫/૧૨/૨૨ રવિવારના મલાડ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તેઓ કલ્પેશભાઈ ગાંધી, કામિનીબેન મહેતા, વંદનાબેન શાહ અને ચારૂલબેન ઠાકરના માતુશ્રી. પૂર્વીબેન ગાંધીના સાસુ. પ્રાર્થનાસભા ૨૯/૧૨/૨૨ ગુરૂવારે ૪ થી ૬. સ્થળ: વર્ધમાન સ્થાનકવાસી ઉપાશ્રય, એસ. વી. રોડ, ૫મે માળે, કાંદિવલી (વેસ્ટ).
લોહાણા
બગસરા નિવાસી હાલ મુલુંડ ગં.સ્વ. શોભનાબેન (ઉં.વ. ૮૩), તે સ્વ. છોટાલાલ ભીમજી ઠક્કર (ખાલપાડા)ના ધર્મપત્ની. તે ઇશ્ર્વરભાઈ બાલુભાઈ પોંદા (દહાણુ)ના દીકરી. તે દીપકભાઈ, સ્વ. હિતેશભાઈ, રશ્મિબેન શશીકાંત શેજાળે તથા જસમીના અનિલ યોગીના માતુશ્રી. તે ઈલાબેન મથુરાદાસ પાંધીના બેન. તે મીનાબેનના સાસુમા તા. ૨૬/૧૨/૨૨ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
દેલવાડાવાળા સ્વ. તારાબેન તથા સ્વ. કીસનદાસ મોહનલાલ સંઘવીની પુત્રી પ્રિતીબેન (ઉં.વ. ૫૬) તા. ૨૬/૧૨/૨૨ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. આયુષીના મમ્મી. પ્રિતી તથા પરાગ સંઘવી, હિના હરેશ સંઘવી, પારૂલ વિપુલ ગાંધી, નયના રાજુ પારેખના બહેન. મહુવાવાળા નાગરદાસ ખુશાલદાસ ગાંધીના ભાણેજ. જનમ, વર્ષાના ફઈ. સર્વે લૌકિક ક્રિયા બંધ છે. એડ્રેસ: ૧, ભાવેશ્ર્વર કુટિર, પ્લોટ નં. ૧૯, રાજાવાડી, ૪થો રસ્તો, સંન્યાસ આશ્રમની બાજુમાં, ઘાટકોપર (ઈસ્ટ).
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
જામનગર નિવાસી હાલ મલાડ કીર્તિકુમાર અમૃતલાલ બોસમીઆ (ઉં.વ. ૬૭) તા. ૨૫/૧૨/૨૨ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે દર્શનાબેનના પતિ. રાજેન્દ્રભાઇ તથા ઇન્દીરાબેન ઘનશ્યામભાઈ નિર્મળના મોટાભાઈ. પિયુષ, જીજ્ઞા પમીન જનાની, વિધિ સંજય યાદવના પિતાશ્રી. પ્રેહાનના નાના. પ્રાર્થનાસભા તા. ૨૮/૧૨/૨૨ બુધવાર ૫ થી ૬. સ્થળ: બી- રાજભવન, પહેલો માળ, માર્વે રોડ, દેરાસર નજીક, મલાડ વેસ્ટ.
નવગામ ભાટીયા
મૂળ ગામ મોરબી, હાલ વડોદરા, અ.સૌ. રશ્મિબેન તે જયસિંહભાઈ વ્રજદાસ વેદના પત્ની (ઉં. વ. ૬૮) સ્વ. વ્રજદાસ ગોકળદાસ વેદના પુત્રવધૂ. સ્વ. દામોદરદાસ જમનાદાસ સંપટ (ગોંડલવાળા)ના પુત્રી. મયુરભાઈ તથા તેજલ આશરના માતુશ્રી. અ.સૌ. શ્ર્વેતાબેન તેમજ જીજ્ઞેશભાઈ આશરના સાસુ. દર્શિલ અને સ્વયમના દાદી. ખુશી અને કુંજનના નાની તા. ૨૬ ડિસેમ્બર ૨૦૨૨ સોમવાર, સાંજે ૪ વાગ્યે શ્રીજીચરણ પામેલ છે.
કચ્છી
મહેશગિરી કેશવગિરી ગોસ્વામી અને સરલાબેનના સુપુત્ર તથા દર્શના પિતા કચ્છ ગામ-ધુણઈ હાલે ઘાટકોપર જીતેશગિરી મહેશગિરી ગોસ્વામી (ઉં. વ. ૩૭) તા. ૨૬.૧૨.૨૦૨૨ના રોજ કૈલાશવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
લોહાણા
મૂળ ગામ દેવળા, હાલ કલ્યાણ – ડોંબિવલી ભાવનાબેન રૂપારેલિયા (ઉં. વ. ૬૨) તે લલિતભાઈ અમૃતલાલ રૂપારેલિયાના પત્ની. તે સ્વ. ભાવિકભાઈ, હિરેનભાઈ, અ.સૌ. ભાવિકાબેન દિપેશકુમારના માતુશ્રી. તે ગં.સ્વ.સવિતાબેન ગુણવંતરાય તથા અ.સૌ. મંગલાબેન રસીકલાલના દેરાણી. તે સ્વ. લીલાબેન લાલભાઈ, ગં. સ્વ. મંજુલાબેન ઈન્દુલાલ, કલાબેન દિનેશકુમાર, ગં. સ્વ. ઉષાબેન જીતેન્દ્રના ભાભી. તે સ્વ. જમનાદાસ જાદવજી રાયચુરા રાજકોટવાળાના દિકરી રવિવાર તા. ૨૫.૧૨.૨૦૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. રહેઠાણ ૨૦૧, શાંન્તાઈ પેલેસ, ૨, જૂનો ડોંબિવલી રોડ, વૈભવ મંગલ કાર્યાલય પાસે, ડોંબિવલી (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. સુંધામા નાનજી રૂપારેલ કચ્છ ગામ બરંધા હાલ પૂના નિવાસીના પુત્રવધૂ ગં. સ્વ. કસ્તુરીબેન (ઉં. વ. ૯૪) તે ડુંગરશીના ધર્મપત્ની. તે સ્વ. કેશરબેન તથા સ્વ. સુંદરજી હરિરામ ધેરાઇ કચ્છ ગામ તેરાવાળાની સુુપુત્રી મંગળવાર, તા. ૨૭-૧૨-૨૨ના રામશરણ પામેલ છે. તે ચંદ્રકાંતભાઇ, ભગવાનદાસ, નરેન્દ્રભાઇ, ભરતભાઇ, તેમ જ સ્વ. લતાબેન કાંતિલાલ, સૌ. દક્ષાબેન મનોજભાઇ, સૌ. ગીતાબેન કિર્તીકુમાર, સૌ. મીનાબેન જયકુમારના માતુશ્રી. તે સ્વ. મથરાદાસ, સ્વ. પ્રતાપભાઇ, ગં. સ્વ. દમયંતીબેન, ગં. સ્વ. મંજુલાબેનના મોટાબેન. તે સ્વ. લધારામ, સ્વ. વીરજીભાઇ, સ્વ. મંગલદાસભાઇ, સ્વ. મોંઘીબાઇ, સ્વ. સાકરબાઇના બંધુ પત્ની. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૨૮-૧૨-૨૨ના ૪થી ૬. ઠે. કચ્છી લોહાણા મહાજનવાડી, ૧૭૨ ભવાની પેઠ, કિરાડ ગલ્લી, પૂના મધ્યે બન્ને પક્ષની રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
પરજીયા સોની
ઉલ્લાસભાઇ પટ્ટ (ઉં. વ. ૮૦) ગામ જૂનાગઢ હાલ નવી મુંબઇ, નેરુલ તા. ૨૪-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. વિજયાબેન, સ્વ. જીવરાજભાઇ લક્ષ્મણભાઇ પટ્ટના પુત્ર. નંદિતાબેન ઉલ્લાસભાઇ પટ્ટના પતિ. સ્વ. ગીરીશભાઇ, સ્વ. ભરતભાઇ, જયશ્રીબેન જમનાદાસના ભાઇ. રોહિત, અપૂર્વ, અંજલિ, સ્વ. બીજલના પિતા. અમિત, આરતી, હિસ્સાના સસરા. જાલુંબેન હરીભાઇ ધાનકના જમાઇ. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. કલાવંતીબેન વાલજી સચદે કચ્છ ગામ ઢોરી હાલે ભીવંડીવાલાના સુપુત્ર વિનોદકુમાર (ઉં. વ. ૭૩) તે ગં. સ્વ. ભગવતી (નયના)ના પતિ. સ્વ. કાંતાબેન ભીમજી માધવાણી ગામ મોટા આસંબીયાવાળાના જમાઇ. તે ભાવેશ, અ. સૌ. મોનીકા બલરામ અનમ, અ. સૌ. કાજલ સતીષ અનમના પિતા. અ. સૌ. તૃપ્તીબેનના સસરા. કપિલ તથા કશીશના દાદાજી તા. ૨૫-૧૨-૨૨ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.૨૮-૧૨-૨૨ બુધવાર સાંજે ૪થી ૫.૩૦. ઠે: મુક્તીધામ હોલ, મુકતેશ્ર્વર મહાદેવ મંદિર, ડો. આર. પી. રોડ, મુલુન્ડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટિયા
ગામ અંજાર હાલ અંધેરી સ્વ. મોતીબાઇ ચત્રભુજ દ્વારકાદાસ સંપટના પુત્રવધૂ ગં. સ્વ. મધુરીબેન છોટાલાલ સંપટ (ઉં. વ. ૯૮) તા. ૨૬-૧૨-૨૨ સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ગીતા કરસનદાસ વેદ, અ.સૌ. મીના (ડોલી) કિરીટ કાનાણી, ઉમેશભાઇ તથા દીપકભાઇના માતુશ્રી. કાલિન્દી અને સ્વ. કલ્પનાના સાસુ. તે ખ્યાતિના દાદીસાસુ. તે સ્વ. ઝવેરબેન ચાંપશી આશરના સુુપુત્રી. તે સ્વ. જેઠમલભાઇ, સ્વ. રૂક્ષમણીબેન અને શાંતિકુમારભાઇના મોટાબહેન. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
સિહોરવાળા સ્વ. પ્રવિણચંદ્ર દામોદરદાસ મુનીના ધર્મપત્ની ગં.સ્વ. અનસુયાબેન (ઉં.વ. ૮૬) સોમવાર, તા. ૨૬મીના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે નિષિધના માતા. પારૂલના સાસુ. મૃણાલના દાદી. નીકીના દાદીસાસુ. તે સ્વ. મહુવાવાળા છગનલાલ ઓધવજી દોશીના દીકરી. તે સ્વ. રમુભાઈ, સ્વ. ભુપતભાઈ, મહેન્દ્રભાઇના ભાભી. (સર્વે લૌકિક પ્રથા બંધ છે.)