ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય બ્રાહ્મણ
રાજસીતાપુર હાલ ઘાટકોપર ગં. સ્વ. કુસુમબેન કનૈયાલાલ મહેતા (ઉં. વ. ૮૨) તા. ૧૮-૧૨-૨૨ના અક્ષરવાસી થયેલ છે. તેઓ તૃપ્તિ, કેતન, દર્શકના માતુશ્રી. હિમાંશુ જોશી, શિવાની, ભાર્ગવીના સાસુ. પાર્થ, નિષ્ઠા, પ્રેરક, હીરકના દાદીમા. જૈમિનીના નાનીમા. પ્રાર્થનાસભા તા. ૨૨-૧૨-૨૨ ગુરુવાર ૪થી ૫.૩૦. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, સરિતા પાર્ક, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (પુ).
કચ્છી લોહાણા
કચ્છ ગામ કોઠારાના હાલે મઝગામ સ્વ. શ્રીમતી શારદાબેન જમનાદાસ મડીયારના નાના પુત્ર શ્રી હરીશ મડીયારની દિકરી કુમારી સાક્ષી હરીશ મડીયાર (ઉં. વ. ૧૩) તા. ૧૮.૧૨.૨૦૨૨ના રોજ શ્રીરામશરણ પામેલ છે. તે સ્વ. મિત્તલબેન હરીશ મડીયારની દિકરી. તે સ્વ. મહેન્દ્ર ભગવાનજી પોપટ ગામ ભચાઉની દોહીત્રી. તથા કુમાર ક્રીશની બહેન. પ્રાથના સભા રાખેલ નથી. લૌકીક વ્યવહાર બંધ છે.
નવગામ વિસાનગર વણિક સમાજ
ગામ માણસા હાલ કાંદિવલી સ્વ. આરતીબેન શાહ (ઉં. વ. ૪૯) તા. ૧૮-૧૨-૨૨ રવિવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેઓ પ્રકાશભાઈના ધર્મપત્ની. મુસ્કાનની માતા. હસુમતી-બાલમુકુન્દના પુત્રવધૂ. સંતોષબેન રમેશભાઈ અગ્રવાલના દિકરી. ઉદય-મીતા- કિરીટકુમારના ભાભી. તૃપ્તિબેનના દેરાણી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૨-૧૨-૨૨, ગુરુવાર સાંજે ૫થી ૭ લોહાણા બાલાશ્રમ હોલ, મથુરાદાસ એક્સટેન્શન રોડ, અતુલ ટાવરની બાજુમાં, કાંદિવલી. લૌકિક વ્યવહાર બંધ છે. ચક્ષુદાન કરેલ છે.
દશા સોરઠીયા વણિક
બારપટોળી (અમરેલી) નિવાસી હાલ બોરીવલી શ્રી જીતેન્દ્રભાઈ ધોળકિયા (ઉં.વ. ૭૯) તે સ્વ. પ્રવિણાબેનના પતિ. તે સ્વ. લીલાવંતી રામજીભાઈના સુપુત્ર. તે હેતલબેન, નિકેશભાઈ અને ધનેશભાઈના પિતાશ્રી. અ.સૌ. ફાલ્ગુની અને અ.સૌ. ભક્તિના સસરા. તે સ્વ. મુક્તાબેન રજનીકાંત માલવીયા તથા અ.સૌ. યશવંતીબેન નવીનચન્દ્ર જનાણીના ભાઈ. તે જામનગર નિવાસી સ્વ. ચુનીલાલ દોશીના જમાઈ. તા. ૧૮-૧૨-૨૨ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. સાદડી તથા લૌકિક પ્રથા બંધ છે.
દશાનાગર વણિક
અમૃતલાલ ઠાકોરદસ મહેતા મૂળગામ બુરહાનપુર હાલ મુંબઈ ૧૪/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે ગં. સ્વ. શાંતાબેનના પતિ. પ્રવીણાબેનના જેઠ. સુનિતા તથા અનિતાના પિતા. અજય તથા હેમંતના સસરા. વિવેક, વિનય, અનુરાધાના કાકા. વરુણના નાના. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
પાંદડ નિવાસી હાલ કાંદિવલી, સ્વ. શાંતિલાલ ગાંડાલાલ મહેતાનાં ધર્મપત્ની ભાનુબહેન (ઉં.વ. ૮૮) તે નલીન, વિજય, અતુલ, સ્વ. અરુણા અને લતાના માતુશ્રી. તેઓ સૌ. રુપા, અ.સૌ. કોમલ, અ.સૌ. દર્શિતા, સ્વ. દિલીપકુમાર, સુનીલકુમારના સાસુ. તે સ્વ. રમણભાઈ-નલીનાબેન, સ્વ. રાજેશભાઈ-કિષ્નાબેન, બિપીન-આશા, સ્વ. રસીલાબેન મહેતા, ગં.સ્વ. નિર્મળાબેન-પરસોતમદાસ, ગં.સ્વ. કોકીલાબેન પ્રકાશચંદ્ર, પન્નાબેન હસમુખરાયના ભાભી. તે કૌકા નિવાસી સ્વ. મણીલાલ કરસનદાસ અને સ્વ. કાંતાબહેન અંબાલાલનાં બહેન. તે આશિષ- દેવિકા, માનસી હિમાંશુ શ્રીવાસ્તવ, પાથે, ધૃવ, વિધી, યશનાં દાદી, તા. ૧૮-૧૨-૨૨ ને રવિવારનાં શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના તેમજ લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
ચક્કરગઢ દેવળીયાવાળા હાલ અંધેરી, સ્વ. રમેશભાઈ મગનલાલ મહેતાના પત્ની રમાબેન (ઉં.વ. ૭૭), તા. ૧૯-૧૨-૨૨ના સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. દુર્ગેશ, તૃપ્તિ તથા સ્વ. મમતાના માતુશ્રી. ભારતી તથા કેતનના સાસુ. નિલય, દર્શિલ, નમ્રતાના દાદી. અહાન, ઘેલા શાહ બરવાળા સ્વ. બળવંતરાય પુરુષોત્તમ પારેખના પુત્રી. લીલાવંતી છગનલાલ મહેતા, ઉર્મીલા જશવંતરાય મહેતા તથા મધુકાન્તા મગનલાલ મહેતાના ભાભી, પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૨-૧૨-૨૨ના સાંજે ૫ થી ૭, મહેશ્ર્વરી ભવન, મહેશ્ર્વરીભવન ચોક, ન્યુ લીંક રોડ, ઓશિવરા પોલીસ સ્ટેશનની પાસે, અંધેરી-વેસ્ટ.
દશા સોરઠીયા વણિક
કાંત્રોડી હાલ ભિવંડી પ્રભુદાસ રતિલાલ મુંજયાસરાના ધર્મપત્ની હંસાબેન (ઉં. વ. ૮૦) તે કિરણભાઇ, નવીનભાઇ, રક્ષાબેન, દિલીપકુમાર, ભારતીબેન ભાવેશકુમાર, માયાબેન ભાવેશકુમારના માતુશ્રી. હર્ષાબેન, હીનાબેનના સાસુ. સ્વ. મંગળદાસ, સ્વ. મનમોહનદાસ, સ્વ. રમણીકભાઇ તથા દિપકભાઇ કાલિદાસ જસાપરાના બહેન. ધીરજલાલ, ચીમનભાઇ, કનૈયાલાલ, યશવંતભાઇ, જીતેન્દ્રભાઇ, ગં. સ્વ. મધુબેન પ્રભુદાસ, ગં. સ્વ. મંગળાબેન મગનલાલ, ગં. સ્વ. કાંતાબેન બાબુલાલના ભાભી. પાયલ, રાહુલ, મિતેશ, મયુરના દાદી. મંગળવાર, તા. ૨૦-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૨-૧૨-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. કચ્છ કડવા પાટીદાર હોલ, ગોપાલ નગર, એસબીઆઇ બેંકની સામે, ભિવંડી, જી. થાણા.