હિન્દુ મરણ
રજપૂત કાઠિયાવાડી
ગામ બાબરકીટ હાલ બોરીવલી સ્વ. જશુબેન અરજણભાઈ જોળીયાના પુત્ર દિલીપભાઈ (ઉં.વ. ૫૪) તે ૪/૧૨/૨૨ના રામશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. અશોક, રાકેશ, વિનોદ, રાજુ, રાકેશ, પુષ્પાબેન, નિર્મળાબેન તથા ભાનુબેનના ભાઈ. સાસરાપક્ષે સ્વ. રમાબેન પાનાભાઈ બાંભણિયાના જમાઈ. પ્રાર્થનાસભા ૧૧/૧૨/૨૨ના ૪ થી ૬ વર્ધમાન સ્થા. જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ.ટી. રોડ, બોરીવલી વેસ્ટ.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
કાંતિલાલ અમૃતલાલ સેતા (ઉં.વ. ૭૫) તે રંજનબેન (બબુબેન)ના પતિ. ચંદ્રકાન્ત ખેતસીભાઇ બોસમીયા તથા સ્વ. સવિતાબેન દિલીપકુમાર મર્થકના પિત્રાઇ બનેવી. સ્વ. હીરાગૌરી રૂઘનાથ મણિયાર તથા રક્ષાબેન હર્ષદરાય જોગીના બનેવી. રાજકોટ મુકામે ૧/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. સાદડી પ્રથા બંધ છે.
દશા સોરઠીયા વણિક
જામખંભાળિયા નિવાસી હાલ કાંદિવલી સુરેશભાઈ રમણીકલાલ સેલારકાના ધર્મપત્ની ભારતીબેન (ઉં.વ. ૬૬) તે સ્વ. જયાબેન રમણીકલાલ સેલારકાના પુત્રવધૂ. દમયંતીબેન ઘીયા, સ્વ. જયશ્રીબેન ઝવેરી, અલ્કાબેન ધ્રુવ, સ્વ. ભાનુબેન જસાણી તથા ગં.સ્વ. છાયાબેન મહેતાના ભાભી. હિરેન, રાજેશ, ચેતના કુણાલ રાજકોટડીયાના માતા. લાલુભાઇ અંદરજી શેઠના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
લુહાર સુથાર
સ્વ. જીવરાજભાઈ હરીભાઈ કારેલિયા (ઉં.વ. ૮ર) ગામ દેવળાવાળા હાલ વસઈ તેઓ હેમકુંવરબેન હરીભાઈ કારેલિયાના પુત્ર. સ્વ. સરલાબેનના પતિ. નિતિનભાઈ, કમલેશભાઈ, હિતેશભાઈના પિતા. જ્યોતિબેન, દિપાલીબેન, કવિતાબેનના સસરા. સ્વ. કિશોરભાઈ, યોગેશભાઈ, સ્વ. જયેશભાઈ, તારાબેન, સ્વ. ઈંદુબેન, મીનાબેન, શીલાબેનના ભાઈ. સ્વ. હરીભાઈ નરશીભાઈ સિધપુરાના જમાઈ. પ્રાર્થના સભા તા. ૧૦-૧૨-૨૨ શનિવારના સાંજે ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલફેર સેન્ટર, દત્ત પાડા રોડ, બોરીવલી ઇસ્ટ.
કચ્છી લોહાણા
અરવિંદ ઠક્કર (કકડ) (ઉં.વ. ૮૪) ગામ જખૌ, હાલે નવસારી તે ગં. સ્વ. દેવકાબેન ખીમજી ઠક્કરના પુત્ર. ગં. સ્વ. રાધાબેન નાનજી પૌવાના જમાઈ. મંજુલાબેનના પતિ. સ્વ. રીટા કમલેશ મજેઠિયા, શિતલ પ્રતાપ પરબ, દીપકના પિતાશ્રી. નીતાના સસરા. હર્ષી, ધ્રુવના દાદા બુધવાર, તા. ૭-૧૨-૨૨ના રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૦-૧૨-૨૨ના સાંજે ૫ થી ૭ કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હોલ, આરઆરટી રોડ, મુલુન્ડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
મૂળ અંજાર હાલે મુલુંડ સ્વ. જમનાદાસ પોપટલાલ ઠક્કર (કોટક)ના ધર્મપત્ની ગં. સ્વ. લક્ષ્મીબેન તે પ્રેમજી કાનજી ગંધા દુધઈવાળાની પુત્રી. ઝવેરમા (ડાહીમા)ના ભાભી. હિના, સંજીવ, બીના, રાજુ, લીનાના માતુશ્રી. આશા, ચેતના, મુકેશ, હેમંત, નિતીનના સાસુમા. પ્રિયા, ક્રિશ, નિયતીના દાદી તા. ૮-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૦-૧૨-૨૨, શનિવાર, મુકતેશ્ર્વર મહાદેવ મંદિર, આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ)માં સાંજે ૪
થી ૬.
કચ્છી લોહાણા
સ્વ. લક્ષ્મીબેન પરસોત્તમ ટોકરશી ઠક્કર (ચગસોતા) ખોભડીવાળાના મોટા પુત્ર કેશવજીભાઈ (ઉં.વ. ૭૬) તા. ૮-૧૨-૨૨ના શ્રીરામશરણ પામેલ છે. તે ભગવતીબેનના પતિ. નિલેશ, નિરંજન, પીયુષના પિતા. આરતી, જયોતી, પ્રીતીના સસરા. સ્વ. દેવકરણ ગંગારામ દાવડા નલીયાવાળાના જમાઈ. સ્વ. રમેશ, સુરેશ, પ્રવીણ, સ્વ. પ્રકાશ, પુષ્પાબેન ભરતભાઈ પોપટ, નિર્મળાબેન શીવજી ધીરાવાણી, સ્વ. મંગળાબેનના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૦-૧૨-૨૨, શનિવારે સમય ૫ થી ૭. સ્થળ: જીવરાજ ભાણજી હોલ, અશોક નગર, મેહુલ સિનેમાની નજીક, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ એજ દિવસે આવી જવું.
કચ્છી લોહાણા
ગં. સ્વ. નર્મદાબેન દેવચંદ ચોથાણી ગામ બગડાવાલા હાલ થાણાવાલાના પુત્રવધૂ અ. સૌ. રાજેશ્ર્વરી શૈલેષ ચોથાણી (ઉં.વ. ૫૫) તા. ૭-૧૨-૨૨ના રામશરણ પામેલ છે. તે સ્વ. કુમારી માનસીના માતા. પરેશભાઈ, જીતેશભાઈ, અ. સૌ. આશા જિતેન્દ્ર દૈયાના ભાભી. ગામ વાંકુવાળા હાલ કલ્યાણ ગં. સ્વ. કાંતાબેન મનુભાઈ રૂપારેલના દિકરી. ગં. સ્વ. દેવમણીબેન કનુભાઈ રૂપારેલ, અ. સૌ. જયોત્સનાબેન કિશોરભાઈ રૂપારેલના ભત્રીજી. નીતા, પિંકી સતીશભાઈ મોહનપુત્રા, કરૂણા ભેગેનભાઈ ઠક્કર, સંજીવ, સંદીપ, પ્રશાંત, અલ્પેશ, કમલેશના બહેન. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
નાઘેર દશા શ્રીમાળી વણિક
ટીંબી હાલ ધનસોલી રાજેશ હિંમતલાલ મહેતા (ઉં.વ. ૪૬) તે હિંમતલાલ પ્રાણજીવનદાસ મહેતાના પુત્ર. કિંજલબેનના પતિ. પલક, ખુશીના પિતાશ્રી. મનીષાબેન કેતનકુમાર ચાવડાના ભાઈ. બાબુલાલ પ્રાણજીવનદાસ મહેતા, ગં. સ્વ. મધુબેન ભૂપેન્દ્રકુમાર શાહ, મહેન્દ્ર પ્રાણજીવનદાસ મહેતાના ભત્રીજા. જયંતીભાઈ બાલુભાઈ મહેતા (જાફરાબાદ)ના જમાઈ તા. ૭-૧૨-૨૨, બુધવારના અક્ષર નિવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રીમાળી સોની
વડીયા નિવાસી હાલ કાંદિવલી (વે), ગં.સ્વ. દમયંતીબેન હરકિશનભાઈ ભવાનભાઈ ધોળકિયા (ઉ.વ.૮૦), તે પરેશભાઈ, અ.સૌ. પારુલબેન પિયુષકુમાર રાણપરાના માતુશ્રી, તે અ.સૌ. વિનિશાના સાસુજી, ચિ. તન્મયના દાદીમા, તે ગૌ.વા. જયંતિલાલભાઈ, ગૌ.વા. પ્રાણલાલભાઈ, ગૌ.વા. ધીરજલાલભાઈ, ગૌ.વા.રતીલાલભાઈ, શ્રી ઉમેદલાલભાઈ, ગૌ.વા. ડો. ભાયલાલભાઈ નાગરદાસ તથા ગૌ.વા.લાભુબેન, ગં.સ્વ.ધીરજબેન કાંતિલાલ, ગૌ.વા. વિજ્યાબેન પ઼ભુદાસના બેન, તે ગૌ.વા. ગંગાબેન જયંતિલાલ લાઠીગરાના ભાભી, બુધવાર તા. ૦૭/૧૨/૨૦૨૨ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર તા. ૧૦/૧૨/૨૦૨૨ના સાંજે ૪.૩૦ થી ૬.૩૦. સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, પાંચમા માળે, એસ.વી.રોડ,
કાંદિવલી (વે).
કચ્છી લોહાણા
મૂળ ગામ સુથરી હાલે પનવેલ પ્રવિણભાઈ અર્જુન રવાસીયા (ઉં.વ. ૮૨), તે સ્વ. પુષ્પાબેનના પતિ. તે પ્રતિમા પ્રદીપ સચદે અને વંદના પ્રકાશ ઠક્કર, હિતેશ, મનીષના પિતા. તે પૂર્વી, લીનાના સસરા. તે શુભમ, હેતવી તથા જયના દાદા. તે કલ્યાણજી નરશી સચદે (ગઢશિશાવાળા)ના જમાઈ. તે સ્વ. કૃષ્ણકાંત, સુરેન્દ્ર, લક્ષ્મીકાંત, કિરીટ તથા સ્વ. શાંતાબેન, સ્વ. ભારતીબેન, સ્વ. ઉષાબેન તથા જયાબેન, રસીલાબેનના ભાઈ, તા. ૭-૧૨-૨૨ના શ્રીજીમહારાજના સાનિધ્યમાં ગયેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થના શનિવાર, તા. ૧૦-૧૨-૨૨ના સાંજે ૫ થી ૭ સિંધી પંચાયત હોલ, વિશ્રાલી નાકા, પનવેલ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.