હિન્દુ મરણ
લુહાર સુથાર જ્ઞાતિ
ગામ પાલીતાણાવાળા હાલ ઘાટકોપર કાંતિભાઈ નારણભાઈ પરમાર (ઉં.વ. ૮૧) તા. ૫-૧૨-૨૨, સોમવારના શ્રીરામચરણ પામ્યા છે. તે રમાબેનના પતિ. બીનાબેન, અમિતભાઈ, મેહુલભાઈના પિતાશ્રી. અરવિંદકુમાર ઉમરાલિયા, સ્વ. શિલ્પાબેન/રાજવીબેન, અનિષાબેનના સસરા. સ્વ. ગોપાલભાઈ, સ્વ. બાબુભાઈ, ગં. સ્વ. સવિતાબેન હરસોરાના ભાઈ. ખુશી, તનિષ્કાના દાદા. સ્વ. ભાણજીભાઈ રામજીભાઈ રાઠોડના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૯-૧૨-૨૨ના સાંજે ૪ થી ૬ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર, સરિતા પાર્ક, ગરોડિયા નગર, ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર ઈસ્ટ.
હાલાઈ લોહાણા
મૂળ ગામ ગુરગઢ (જામખંભાળીયા) હાલ બોરીવલી ગં. સ્વ. શોભનાબેન (રસીલાબેન) સૂર્યકાંતભાઈ સચદેવ (ઉં.વ. ૭૮) તે સ્વ. પુષ્પાબેન વલ્લભદાસ સચદેવ (થાણાવાળા)ના પુત્રવધૂ તે જાગૃતિબેન અતુલકુમાર ખીમાણીના માતોશ્રી. ચાર્મી ગોરંગકુમાર પારેખ, કરિશ્મા મિતકુમાર સંપટના નાની. સ્વ. વશીકલાબેન મનુભાઈ માવાણી, રંજનબેન ભુપતરાય ઉનડકટની ભાભી. સ્વ. ધીરજલાલ, સ્વ. અમૃતલાલ પ્રવીણભાઈ વિઠ્ઠલદાસ ગણાત્રા, સ્વ. પાર્વતીબેન, લીલાવતીબેન, નિર્મળાબેનના બેન સોમવાર, તા. ૫-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૮-૧૨-૨૨ના સાંજના ૫ થી ૭. સ્થળ: મધુરમ હોલ, ગોખલે સ્કૂલની બાજુમાં, શિંપોલી રોડ, બોરીવલી વેસ્ટ.
વિશા નગર વણિક
હરેન્દ્ર જગમોહનદાસ મરચંટ તે સુનંદાના પતિ. અમિષ, હેમાંગી પટેલના પિતા. મયુરી, સંદીપ પટેલના સસરા. પ્રિયાંશીના દાદા. દિશાલીના નાના તા. ૬-૧૨-૨૨, મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
વડનગરા કડવા પાટીદાર
મુંબઈ હાલ વિલેપાર્લા જસવંતભાઈ પ્રભુદાસ પટેલ (ઉં.વ. ૭૧) તે હર્ષાબેનના પતિ. સમીરભાઈના પિતા. ધર્મધાબેનના સસરા. માર્કંડભાઈ, પ્રમોદભાઈ, યોગેશભાઈના ભાઈ. ધર્વના દાદા તા. ૬-૧૨-૨૨, મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૮-૧૨-૨૨, ગુરુવારે સાંજે ૫ થી ૭ વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લા વેસ્ટ.
કડવા પાટીદાર
વિરમગામ હાલે ઘાટકોપર સ્વ. નટવરલાલ ધીરજલાલ દેસાઈના પુત્ર પ્રફુલચંદ્ર (ઉં.વ. ૮૫) તે કોકીલાબેનના પતિ. નિલેશ, નિશાના પિતા. નિલમય, શ્રેયાના દાદા. જશ, ક્રિશના નાના. જીતેન્દ્ર દેસાઈ, દક્ષાબેનના ભાઈ. સ્વ. પ્રાણલાલ ગુલાબચંદ પટેલના જમાઈ તા. ૪-૧૨-૨૨, રવિવારે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
લાઠી હાલ દહીંસર જયંતીલાલ જમનાદાસ શેઠ (ઉં.વ. ૮૧) તા. ૪-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે જયોતિબેન (જયશ્રીબેન)ના પતિ. સ્વ. ઉમેશ, સિદ્ધાર્થ, અ. સૌ. જયશ્રી જયેશકુમાર, અ. સૌ. રજની મનોજકુમાર, અ. સૌ. પ્રીતી હિમાંશુકુમારના પિતાશ્રી. ગં. સ્વ. સાધના, અ. સૌ. અસ્મિતાના સસરા. ગં. સ્વ. રમાબેન કાંતિલાલ, અ. સૌ. પુષ્પાબેન નલીનચંદ્ર, ગં. સ્વ. મધુબેન નટવરલાલ, વિનોદભાઈ, સ્વ. રસીકભાઈના મોટા ભાઈ. સાસરા પક્ષે વલ્લભીપુરવાળા સ્વ. હિંમતલાલ ચંદુલાલ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૮-૧૨-૨૨ના સાંજે ૪ થી ૬. સ્થળ: પાવનધામ, મહાવીર નગર, પાવનધામ માર્ગ, કાંદિવલી વેસ્ટ.
ગુર્જર સુથાર
મોરબી, હાલ થાણા સ્વ. લક્ષ્મણભાઈ ટપૂભાઈ પેશાવરીયાના પુત્ર વિનોદ (ઉં.વ. ૬૪) તા. ૫-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે રમાબેનના પતિ. હાર્દિક, ખૂશ્બુના પિતા. વિજયભાઈ, ભારતીબેનના ભાઈ. સ્વ. જયંતીભાઈ વલ્લભભાઈ ભારદીયાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૦-૧૨-૨૨ના રાખેલ છે. સ્થળ: શ્રી ગુર્જર સુથાર વિશ્ર્વકર્મા બાગ, ૩૬/૩૭ બજાજ રોડ, વિલેપાર્લે (વે.).
પરજીયા સોની
બાબરાવાળા (સરસઇવાળા) હાલ દહિસર સ્વ. શારદાબેન શાંતિલાલ નાનજીભાઈ ધકાણના પુત્ર નરેશભાઈ (નટુભાઈ) (ઉં.વ. ૭૪) તે ૬/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. નીતાબેનના પતિ. નીરવ-નિશા, જીજ્ઞા નારાયણકુમાર મિશ્રાના પિતા. સ્વ. પ્રવિણાબેન હરેશભાઇ ધકાણના દિયર. કાનજી ભાઈચંદ જગડના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૮/૧૨/૨૨ ગુરુવારના રોજ ૫ થી ૬ બાઢડાવાળા હોલ, પારસનાથ સોસાયટી, ગ્રાઉન્ડ ફ્લોર, સોની વાડી પાસે, સિમ્પોલી ક્રોસ રોડ, બોરીવલી વેસ્ટ.
ત્રિવેડી મેવાડા બ્રાહ્મણ
બોખોર નિવાસી હાલ, વિદ્યાવિહાર સ્વ. હરિપ્રસાદ ઘેલાશંકર ઉપાધ્યાય (ઉં. વ. ૭૪) ૩-૧૨-૨૨ના દેવલોક પામ્યા છે. તે મનુબેનના પતિ. તે ચેતન અને નીતાના પિતાશ્રી. તે પરેશકુમાર અને પૂજાના સસરા. તે અરવિંદ, સુભાષ અને કલાવતીના મોટા ભાઈ. તે મિશા અને નૈશા, લૈશાના નાના-દાદા. તે સરવણા નિવાસી સ્વ. નર્મદાશંકર લીલાધર જોશીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૮-૧૨-૨૨, ગુરુવારે સાંજે ૫થી ૭. મહારાજ અગ્રસેન ભવન, ૩૫૩ બેરિસ્ટર નાથપાઈ રોડ, ૯૦ ફીટ રોડ, સ્વામિનારાયણ મંદિરની ઉપર, ગારોડીયાનગર, ઘાટકોપર (ઈસ્ટ). લૌકિક પ્રથા બંધ રાખેલ છે. તેરમાની વિધિ મુંબઈ ઘાટકોપર મુકામે ૧૫-૧૨-૨૨ના.
વાંઝા જ્ઞાતિ
રહીજ નિવાસી હાલ વિલેપાર્લે પરસોત્તમભાઈ (બાબાભાઈ) નારણદાસ જેઠવા (ઉં.વ. ૭૪) તે ૫/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે કાંતાબેનના પતિ. વિજય, સમીર તથા સ્વ. આરતીના પિતા. જયશ્રી, મનીષા, ભાવિનકુમારના સસરા. હસમુખભાઈ, કાંતિભાઈ, જયાબેન શામજીભાઈ રાઠોડ, સ્વ. જશુબેન હરકીશનદાસ હિંગુના નાનાભાઈ. સ્વ. મણીબેન સુંદરજી ચૌહાણના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૮/૧૨/૨૨ના ૪ થી ૬ કલાકે સંન્યાસ આશ્રમ હોલ, વિશ્ર્વેશ્ર્વર ભુવન, વિલેપાર્લે (વેસ્ટ).
હાલાઇ લોહાણા
રવીન્દ્રભાઈ રવિ (ઉં.વ. ૬૬) તે સ્વ. શાંતાબેન અને સ્વ. પ્રાગજીભાઈ મુલજીભાઈ વિઠલાણી વાંદરાવાળાના સુપુત્ર. નીનાબેનના પતિ તથા અ. સૌ. દિશાબેન નિશુલકુમાર પીઠડીયાના પિતા. નીશુલકુમાર જતીનભાઈ પીઠડીયાના સસરા. સ્વ લક્ષ્મીદાસ, રોહિતભાઇ, સ્વ. મુકેશભાઇ, અતુલભાઇ, સ્વ. નવીનભાઇ, સ્વ. લીલાવતીબેન વલ્લભદાસ રૂપારેલિયા, સ્વ. મંજુલાબેન કલ્યાણજીભાઇ નથવાણી, સ્વ. ભાનુબેન નકુલભાઈ ઠકકર, ઉષાબેન લલિતભાઈ મોકરિયા, ઇન્દુબેન કાકુભાઇ વસંત તથા બકુલાબેન કિર્તીકુમાર વસાણીના ભાઈ. તે સ્વ. કેશવજીભાઈ રતનશીભાઇ પંજવાણીના જમાઇ. તા. ૪/૧૨/૨૨ને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર જ્ઞાતિ
ગામ: ઢસા આંબરડી-વાળા, હાલ: બોરીવલી, સ્વ. હરિભાઈ, સ્વ. વનમાળીભાઈ, સ્વ. બાલુભાઈ ધનજીભાઇ મકવાણાના નાનાભાઈ. અમૃતભાઈ ધનજીભાઈ મકવાણા (ઉં.વ. ૮૦), તા. ૬/૧૨/૨૨ના શ્રી રામશરણ પામ્યા છે. તેઓ ઇન્દુબેનના પતિ. સ્વ. મીનાબેન, માયાબેન, દક્ષા બિપીનભાઈ વાઘેલા, હિતેશભાઈ તથા અમિતભાઈના પિતાશ્રી. સ્વ. મગનભાઈ પુરુષોત્તમભાઈ ચુડાસમા – ઘેટીવાળાના જમાઈ. સ્વ. કાનજીભાઈ, કિશોરભાઈ, રાજેશભાઈ, નીતિનભાઈ, વિપુલભાઈ, સ્મિતાબેન જયેન્દ્રકુમાર ડોડિયા તથા રીટાબેન શાહના કાકા. પ્રિયાંશીના દાદાશ્રી. તેમની પ્રાર્થના સભા તા. ૮/૧૨/૨૨ ને ગુરુવારના સાંજના ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફરે સેન્ટર, અંબાજી મંદિર પાસે, કાર્ટર રોડ નં. ૩, બોરીવલી – ઈસ્ટ.
કપોળ
સિહોરવાળા સ્વ. કંચનગૌરી હરગોવિંદદાસ મુળજી મેહતાના પુત્ર મહેશભાઈ (ઉં.વ. ૮૨) હાલ કાંદિવલી નિવાસી, તે કુસુમબેનના પતિ. તે વિઠ્ઠલદાસ વિશ્રામ વોરાના જમાઈ. વંદના, જિગિષા તથા દેવાંગના પિતા. ચંદ્રેશ, મયંક તથા જુલીના સસરા. શરદભાઈ તથા સ્વ. દિલીપભાઈના ભાઈ તા. ૬-૧૨-૨૨ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તેમની લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
ગુર્જર સુથાર
મૂળ ગામ મહિકાવાળા (હાલ બોરીવલી) સ્વ. મુક્તાબેન ગણેશભાઇ ધ્રાંગધરિયાના પુત્રવધૂ, મણીભાઈ ધાંગધરિયાના ધર્મપત્ની, સ્વ. હીરાબેન (ઉં.વ. ૬૭) રવિવાર, તા. ૪-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે લીના અતુલ, ખુશી જીતેન્દ્ર, મૈત્રી, અલ્પા સચીન, હિરેનના માતુશ્રી. વૈશાલીના સાસુજી. સ્વ. નરસિંહભાઈ આણંદજી અખિયાણીયાના દીકરી. સ્વ. શોભનાબેન મનસુખલાલ કથરેચા, અ.સૌ. સરોજબેન બળવંતભાઈ, નિલમા ભરતભાઈ, હંસા અશોકભાઈ, સ્વ. મહેશભાઈના ભાભી. તેમની પ્રાર્થનાસભા તા. ૮-૧૨-૨૨ના ગુરુવારના સાંજે ૪.૩૦ થી ૬.૦૦ સ્થળ: પાવનધામ, સત્યનગર, કાંદિવલી-વેસ્ટ.
કપોળ
મહુવાવાળા સ્વ. રમાબેન તથા રમણિકલાલ મગનલાલ મોદી (હાલ ઘાટકોપર)ના સુપુત્ર દિપક (ઉં.વ. ૬૬) તે મીનાબેનના પતિ. તે અભિજીત – ગૌરવના પિતાશ્રી. તે મિતલ અને ઉર્વીના સસરા. તે ગં.સ્વ. મૃદુલાબેન સુરેશચંદ્ર મથુરિયા, સ્વ. માલતીબેન હરીશભાઈ પારેખ, સ્વ. નીરુબેન અરૂણભાઈ મહેતા, મનીષના ભાઈ. તે સ્વ. મણીભાઈ વિઠ્ઠલદાસ પારેખના જમાઈ, તા. ૬-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. સર્વે પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૦-૧૨-૨૨ના શનિવારના સાંજે ૫ થી ૭ના લાયન્સ કોમ્યુનીટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર-ઈસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ ગુરગઢ (જામખંભાળીયા) હાલ બોરિવલી ગં.સ્વ. શોભનાબેન (રસીલાબેન) સુર્યકાન્તભાઈ સચદેવ (ઉં.વ. ૭૮) તે સ્વ. પુષ્પાબેન વલ્લભદાસ સચદેવના પુત્રવધૂ. તે જાગૃતિબેન અતુલકુમારના માતોશ્રી. તે ચાર્મી ગોરંગકુમાર, કરિશ્મા મિતકુમારના નાની. તે સ્વ. વશીકલાબેન મનુભાઈ, રંજનબેન ભુપતરાયના ભાભી. તે સ્વ. ધીરજલાલ, સ્વ. અમૃતલાલ, પ્રવિણભાઈ વિઠ્ઠલદાસ, સ્વ. પાર્વતીબેન, લીલાવતીબેન અને નિર્મળાબેનના બેન, સોમવાર, તા. ૫-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૮-૧૨-૨૨ના સાંજના ૫ થી ૭ રાખેલ છે. સ્થળ- મધુરમ હોલ, ગોખલે સ્કૂલની બાજુમાં, શિંપોલી રોડ, બોરિવલી-વેસ્ટ.
હાલાઈ લોહાણા
મૂળ ગામ ધીણકી (દ્વારકા) હાલ થાણા નિવાસી મંગળદાસ પંચમતીયા (ઉં. વ. ૮૧) તે સ્વ. લક્ષ્મીદાસ રતનશી પંચમતીયાના પુત્ર. તે વશીલાબેનના પતિ. તે જયેન્દ્ર, પિન્કેશ તથા છાયાબેન દિલીપકુમાર ઠક્કરના પિતા. તે સ્વ. રતિલાલ હેમરાજ માણેકના જમાઈ. તે હિનાબેન તેમજ અલ્પાબેનના સસરા. તે મનન, અનન્યા, સિયા તથા સારા, નિહાતના દાદા-નાના મંગળવાર, ૬-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, ૮-૧૨-૨૨ના સાંજે ૪-૩૦થી ૬. સહયોગ મંદિર, ૧લે માળે, સહયોગ મંદિર રોડ, ઘેટાળી, નૌપાડા, થાણા (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
કીર્તિભાઈ (ઉં. વ. ૬૧) સ્વ. પુષ્પાબેન પરસોત્તમદાસ વલ્લભદાસ ગોકાણીના પુત્ર દ્વારકાવાળા (વરવાળા) હાલ ઉમરગામ તે ભાવિનીબેનના પતિ. પ્રિયંકા અને મીરાના પિતા. તે મનુભાઈ, સ્વ. નરેશભાઈ, સ્વ. રાજેશભાઈના ભાઈ. સ્વ. હંસાબેન ધરમશીભાઈ ઠક્કર (કાંદિવલી)ના જમાઈ સોમવાર, ૫-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગાંધીસદન હોલ, ઉમરગામ મુકામે ગુરુવાર, ૮-૧૨-૨૨ના સમય ૩-૩૦થી ૫-૩૦.
જામ ખંભાલીયા નિવાસી હાલ મુંબઈ સ્વ. ભાનુમતી છગનલાલ કાલીદાસ હિન્ડોચાના પુત્ર સ્વ. પ્રફૂલચંદ છગનલાલ હિન્ડોચા (ઉં. વ. ૭૫) તે રંજનબેનના પતિ. સ્વ. ત્રિભોવનદાસ, સ્વ. વિનોદચંદ્ર, સ્વ. દીનાબેન તેમજ મૂળરાજભાઈ, લલીતભાઈ, કિરણભાઈના ભાઈ. જે શીલ્પા અશોકકુમાર સેતા, રીના મનીષકુમાર રાડીયા તથા ઈશા-કીશાના પિતાશ્રી. જે સ્વ. કાકુભાઈ થોભાણીના જમાઈ અને ચંદ્રકાંત તથા રીટાના બનેવી ૭-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. સાદડી અને લૌકિક વ્યવહાર બંધ છે.
વિસા સોરઠીયા વણિક
માધવપુરવાળા હાલ બોરીવલી સ્વ. જયંતીલાલ મોતીચંદ શાહના ધર્મપત્ની. ગં. સ્વ. રજુબેન જયંતીલાલ શાહ (ઉં વ. ૯૨)નો સ્વર્ગવાસ ૬-૧૨-૨૨, મંગળવારના થયેલ છે. તે સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. રણજીતભાઈના માતુશ્રી. સ્વ. મધુબેન અને ગં. સ્વ. હર્ષાના સાસુ. ચંદ્રિકાબેન, આશાબેન, સરલાબેન અને ભારતીબેનના માતુશ્રી. તે મેહુલ, રાજીવ, ભૂમિકા ને પ્રીતિના દાદી તથા પૂર્વી અને હેતલના દાદીસાસુ. લૌકિક વ્યવહાર બંધ છે.